MONSOON SESSION : સાંસદના ચોમાસુ સત્ર પૂર્વે 19 જુલાઇએ સર્વપક્ષીય બેઠકનું આયોજન
- ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત સાંસદનું સત્ર મળશે
- ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલા સર્વદલિય બેઠકનું આયોજન કરાયું
- બજેટ સત્ર 2025 માં વક્ફ સુધારા બિલ સહિત અનેક મહત્વપૂર્ણ બિલો પસાર કરવામાં આવ્યા હતા
MONSOON SESSION : કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ (MINISTER OF PARLIAMENTARY AFFAIRS INDIA KIREN RIJIJU) ગુરુવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સંસદના ચોમાસુ સત્ર (LOKSABHA - MONSOON SESSION) પહેલા 19 જુલાઈએ સર્વપક્ષીય બેઠક (ALL PARTY MEETING) બોલાવશે. ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલશે. સ્વતંત્રતા દિવસની ઉજવણીને કારણે 13 અને 14 ઓગસ્ટે સંસદની કોઈ બેઠક નહીં હોય.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પોસ્ટ કર્યું
આ સંદર્ભમાં, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ભારતના રાષ્ટ્રપતિએ 21 જુલાઈથી 21 ઓગસ્ટ 2025 સુધી સંસદનું ચોમાસુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે." અત્રે નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 7 મેના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ શરૂ થયેલા ઓપરેશન સિંદૂર પછી આ સત્ર પ્રથમ સંસદ સત્ર હશે. વિપક્ષી નેતાઓએ આ હુમલા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ખાસ સત્ર બોલાવવાની માંગ કરી હતી.
બજેટ સત્રમાં 26 બેઠકો યોજાઈ હતી
અગાઉ, બજેટ સત્ર 2025 માં વક્ફ સુધારા બિલ સહિત અનેક મહત્વપૂર્ણ બિલો પસાર કરવામાં આવ્યા હતા. સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં કુલ 26 બેઠકો યોજાઈ હતી. બજેટ સત્ર સમાપ્ત થયા પછી, કેન્દ્રીય મંત્રી રિજિજુએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે બજેટ સત્રના પહેલા ભાગમાં લોકસભા અને રાજ્યસભાની કુલ 9 બેઠકો યોજાઈ હતી. સત્રના બીજા ભાગમાં બંને ગૃહોની 17 બેઠકો યોજાઈ.
વિચારણા કરીને પસાર કરવામાં આવ્યું હતું
સત્રના બીજા ભાગમાં, રેલ્વે, જળ શક્તિ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયોની ગ્રાન્ટની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને લોકસભામાં મતદાન કરવામાં આવ્યું હતું. અંતે, બાકીના મંત્રાલયો/વિભાગોની ગ્રાન્ટ માટેની માંગણીઓ શુક્રવાર, 21 માર્ચ, 2025 ના રોજ ગૃહમાં મતદાન માટે મૂકવામાં આવી હતી. સંબંધિત વિનિયોગ બિલ પણ 21.03.2025 ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, તેના પર વિચારણા કરવામાં આવી હતી અને પસાર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો ---- Uttarakhandની હિમનદીઓ ઝડપથી પીગળી રહી છે, પર્વતો તૂટી રહ્યા છે, 25 તળાવો બની ગયા છે ખતરનાક!


