ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વડાપ્રધાન મોદીએ કતાર ના અમીર સાથે ફોન પર કરી વાતચીત ; દોહા પર ઇઝરાયલી હુમલાની નિંદા કરી

દોહા હુમલા બાદ મોદીની કતાર ના અમીર સાથે ચર્ચા, શાંતિ અને કૂટનીતિનું સમર્થન
11:03 PM Sep 10, 2025 IST | Mujahid Tunvar
દોહા હુમલા બાદ મોદીની કતાર ના અમીર સાથે ચર્ચા, શાંતિ અને કૂટનીતિનું સમર્થન

કતારની રાજધાની દોહા પર ઇઝરાયલી હુમલાના એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે વાતચીત કરીને આ હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ જણાવ્યું કે ભારત કતારની સાર્વભૌમત્વના ઉલ્લંઘનની નિંદા કરે છે અને મુદ્દાઓના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિના માર્ગનું સમર્થન કરે છે. બુધવારે સાંજે થયેલી આ વાતચીત બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું કે અમીર અલ-થાની સાથે ટેલિફોન વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારત પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટે કોઈપણ પ્રકારના આતંકવાદની સામે છે.

આ પણ વાંચો- પીએમ મોદી અને ઇટાલીના પીએમ જોર્જિયા મેલોની વચ્ચે ફોન પર ચર્ચા, India-Italy સંબંધો અને યુક્રેન સંકટ પર થયો વિચાર-વિનિમય

કતાર ના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે ફોન પર વાત

પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું, “કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે ફોન પર વાત કરી અને દોહામાં થયેલા હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારત ભાઈચારાવાળા રાજ્ય કતારની સાર્વભૌમત્વના ઉલ્લંઘનની નિંદા કરે છે. અમે વાતચીત અને કૂટનીતિ દ્વારા મુદ્દાઓના ઉકેલ અને તણાવ વધતો અટકાવવાનું સમર્થન કરીએ છીએ. ભારત પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટે અને કોઈપણ સ્વરૂપના આતંકવાદ સામે દૃઢતાથી ઊભું છે.”

વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે પીએમ મોદીએ દોહામાં થયેલા હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી અને કતારની સાર્વભૌમત્વના ઉલ્લંઘનની નિંદા કરી છે. આ દરમિયાન વડાપ્રધાને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં કતાર દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાની પ્રશંસા કરી, જેમાં ગાઝામાં યુદ્ધવિરામ અને તમામ બંધકોની મુક્તિ માટે મધ્યસ્થીના પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. શેખ તમીમે કતાર અને તેના લોકો સાથે એકજૂટતા વ્યક્ત કરવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો. બંને નેતાઓએ ભારત-કતાર રણનીતિક ભાગીદારીમાં સતત પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને પરસ્પર હિતના તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી. તેમણે નજીકનો સંપર્ક જાળવી રાખવા પર પણ સહમતિ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો- Qatar : દોહામાં હમાસના નેતાઓ પર ઇઝરાયેલના હુમલા પછી ઈસ્લામિક દેશ શું કહી રહ્યાં છે?

Tags :
#Bilateral_Cooperation#Doha_Attack#Gaza_Ceasefire#India_Qatar#Peace_Diplomacy#PM_Modi#Qatar_Emir#Qatar_SovereigntyCounterterrorismIsrael
Next Article