Khandwaમાં મશાલ સરઘસમાં ભીષણ આગ, 50 દાઝ્યા
- મધ્યપ્રદેશના ખંડવામાં એક મશાલ સરઘસ દરમિયાન આગ
- ભીષણ આગને કારણે 50થી વધુ લોકો દાઝી ગયા
- મશાલ ઉંધી વળી જતાં આગ ભભૂકી ઉઠી
Khandwa : મધ્યપ્રદેશના ખંડવા (Khandwa)માં એક મશાલ સરઘસ દરમિયાન લાગેલી ભીષણ આગને કારણે 50થી વધુ લોકો દાઝી ગયા છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી. આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાના વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો ઝડપથી દોડી રહ્યા છે. 26/11ના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત મશાલ સરઘસમાં લોકોએ ભાગ લીધો હતો.
ઘાયલ થયેલા લોકો સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ
ખંડવા આગની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
આ પણ વાંચો---Maharashtra New CM પર આ નામ પર લાગી મહોર, આજે થશે જાહેરાત
Khandwa Torch Rally : મધ્યપ્રદેશના ખંડવામાં મશાલ રેલીમાં સર્જાઈ દુર્ઘટના | Gujarat First
મશાલ રેલીમાં આગ ભભકતાં 50થી વધુ લોકો દાઝ્યા
આતંકવાદ વિરૂદ્ધ મશાલ રેલીનું કરાયું હતું આયોજન
મશાલ ઉંધી પડતાં તેલ ઢોળાયા બાદ આગ ભભૂકી
આગમાં દાઝેલા 12 લોકોની હાલત હાલમાં ગંભીર… pic.twitter.com/gAduh7y4yw— Gujarat First (@GujaratFirst) November 29, 2024
મશાલ ઉંધી વળી જતાં આગ ભભૂકી ઉઠી
ખંડવા પોલીસે જણાવ્યું કે આ અકસ્માત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન થયો હતો. ક્લોક ટાવર પર આ કાર્યક્રમ પૂરો થવા આવ્યો ત્યારે મશાલ મૂકતી વખતે કેટલીક મશાલ ઊંધી પડી ગઈ, જેના કારણે તેમાં રહેલ લાકડાંઈ નો વહેર અને તેલથી આસપાસની મશાલ સળગી ઉઠી હતી જેથી ઉંચો ભારે ભડકો થયો હતો અને તેના કારણે આસપાસ ઉભેલા લોકો દાઝી ગયા હતા.
દાઝી ગયેલા લોકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ
આગમાં દાઝી ગયેલા લોકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. લોકોના ચહેરા અને હાથ બળી ગયા છે. 50 લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 12 લોકોની ભરતી કરવામાં આવી હતી. બાકીનાને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો---દેશમાં છેલ્લા બે વર્ષમાં નકલી બોમ્બ ધમકીઓના ચોંકાવનારા આંકડા


