Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MP : ગણેશ મૂર્તિની શોભાયાત્રા પર પથ્થરમારો, રોષે ભરાયેલા ટોળાએ તોડફોડ કરી, FIR નોંધાઈ

MP માં ગણેશ મૂર્તિની શોભાયાત્રામાં પથ્થરમારો રતલામ ઉંકલા વિસ્તારમાં બાની ઘટના રોષે ભરાયેલા હિન્દુ યુવાનોએ તોડફોડ કરી મધ્યપ્રદેશ (MP)ના રતલામના ઉંકલા વિસ્તારમાં ગણેશ મૂર્તિની શોભાયાત્રા પર મોચીપુરા વિસ્તારમાં પથ્થરમારાને કારણે રોષ ફેલાયો છે. રોષે ભરાયેલા હિન્દુ યુવાનોનું ટોળું સ્ટેશન...
mp   ગણેશ મૂર્તિની શોભાયાત્રા પર પથ્થરમારો  રોષે ભરાયેલા ટોળાએ તોડફોડ કરી  fir નોંધાઈ
Advertisement
  1. MP માં ગણેશ મૂર્તિની શોભાયાત્રામાં પથ્થરમારો
  2. રતલામ ઉંકલા વિસ્તારમાં બાની ઘટના
  3. રોષે ભરાયેલા હિન્દુ યુવાનોએ તોડફોડ કરી

મધ્યપ્રદેશ (MP)ના રતલામના ઉંકલા વિસ્તારમાં ગણેશ મૂર્તિની શોભાયાત્રા પર મોચીપુરા વિસ્તારમાં પથ્થરમારાને કારણે રોષ ફેલાયો છે. રોષે ભરાયેલા હિન્દુ યુવાનોનું ટોળું સ્ટેશન રોડ પોલીસ સ્ટેશન પર એકત્ર થઈ ગયું છે. પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની સાથે રસ્તો પણ રોકી દેવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોની માંગ છે કે દોષિતો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે.

પોલીસે આ કેસમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધી છે. આ દરમિયાન હિંદુ સંગઠનના કાર્યકરો બીજી બાજુના વિસ્તારોમાં પહોંચી ગયા હતા અને તોડફોડ કરી હતી. પોલીસે તેમને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. મોડી રાત્રે સ્થિતિ કાબુમાં આવી હતી. વાસ્તવમાં ગણેશ મૂર્તિની શોભાયાત્રા ઉંકલા વિસ્તારના મોચીપુરા વિસ્તારમાંથી નીકળી રહી હતી. ભગવાન ગણેશની મૂર્તિને ટ્રેક્ટર ટ્રોલીમાં લઈ જવામાં આવી રહી હતી. મોચીપુરા વિસ્તારમાંથી રાત્રે સાડા નવ વાગ્યે ગણેશ મૂર્તિની શોભાયાત્રા નીકળી ત્યારે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement

દોષિતો સામે કાર્યવાહી કરવા માંગ...

આ પથ્થરમારામાં કેટલાક બાળકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. ગણેશ મૂર્તિને ઉંકલાના સ્થાપન સ્થળે લઈ જવામાં આવ્યા બાદ રોષે ભરાયેલા યુવાનોનું ટોળું સ્ટેશન રોડ પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું. સ્ટેશન રોડ પોલીસ સ્ટેશનમાં જોરથી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સૂત્રોચ્ચાર કરી રહેલા યુવાનોએ ગુનેગારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આ પણ વાંચો : Delhi : ટેક્સટાઈલ ફેક્ટરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટના સ્થળે...

નેતાઓ સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા...

પ્રદર્શનકારીઓએ સ્ટેશન રોડ પોલીસ સ્ટેશન સામે રોડ બ્લોક કરી દીધો હતો. દેખાવકારો રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કરતા રહ્યા. આ દરમિયાન હિન્દુ જાગરણ મંચના નેતા રાજેશ કટારિયા, ભાજપના નેતા નિર્મલ કટારિયા સહિત અનેક નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને દેખાવકારો સાથે વાત કરી અને તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો : જો NRC નંબર આપશો તો જ બનશે Aadhar Card, આ રાજ્યના CM ની મોટી જાહેરાત...

પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા...

દેખાવકારોની માંગ મુજબ, પોલીસે પથ્થરમારાના મામલામાં અજાણ્યા લોકો સામે FIR નોંધી છે, પરંતુ હિન્દુ સંગઠનના કાર્યકરોએ આરોપીઓની ધરપકડની માંગ કરવાનું શરૂ કર્યું. કેટલાક કાર્યકરોનું ટોળું પોલીસ સ્ટેશનથી મુસ્લિમ વિસ્તાર તરફ રવાના થયું હતું. ટોળાને રોકવા પોલીસ પણ પહોંચી હતી, પરંતુ તે પહેલા ટોળાએ અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. SP એ પોતે સ્થળ પર આવીને કમાન્ડ લેવો પડ્યો હતો. બપોરે 2.00 વાગ્યાની આસપાસ સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.

આ પણ વાંચો : Manipur માં ફરી હિંસા, હવે ડ્રોન અને રોકેટ દ્વારા હુમલા, સરકારે લાગુ કરી આ સિસ્ટમ...

Tags :
Advertisement

.

×