Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai Blast Case: મુંબઈ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

મુંબઈ બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો
mumbai blast case  મુંબઈ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Advertisement
  • બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે
  • 12 આરોપીઓને મુક્ત કરવાના આદેશ પર રોક
  • સુપ્રીમ કોર્ટે તમામ આરોપીઓને નોટિસ મોકલી

Mumbai Blast Case: મુંબઈ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો સામે આવ્યો છે. જેમાં બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આવ્યો છે. 12 આરોપીઓને મુક્ત કરવાના આદેશ પર રોક છે. સુપ્રીમ કોર્ટે તમામ આરોપીઓને નોટિસ મોકલી છે. જેમાં 2006ના બ્લાસ્ટ કેસમાં 12 દોષિત નિર્દોષ ઠર્યા હતા. ત્યારે મહારાષ્ટ્ર સરકારે ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો.

મુંબઈ બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો

મુંબઈ બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે 2006 ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના હાઈકોર્ટના નિર્ણય સામે મહારાષ્ટ્ર સરકારની અરજી પર આ નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે બધા આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે. કોર્ટે એમ પણ કહ્યું કે આ 12 નિર્દોષ જાહેર કરાયેલા આરોપીઓની ફરીથી ધરપકડ કરવામાં આવશે નહીં. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આરોપીઓને પાછા જેલમાં મોકલવાની કોઈ માંગણી કરી નથી. તુષાર મહેતાએ કહ્યું કે જ્યાં સુધી સ્વતંત્રતાના મુદ્દા પર સ્ટેનો સવાલ છે, હું સાવધ છું. આના પર કોર્ટે કહ્યું કે અમે નોટિસ જારી કરીશું.

Advertisement

મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 180 થી વધુ લોકો માર્યા ગયા હતા

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે હું બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સ્ટે ઇચ્છું છું, પરંતુ તેમને ફરીથી જેલમાં મોકલવાનો મારો ઉદ્દેશ્ય નથી. તેઓ પહેલાથી જ મુક્ત થઈ ચૂક્યા છે. આના પર કોર્ટે કહ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે બધા આરોપીઓને છોડી દેવામાં આવ્યા છે તેથી તેમને પાછા જેલમાં મોકલવાનો કોઈ પ્રશ્ન જ નથી. તમને જણાવી દઈએ કે 11 જુલાઈ 2006 ના રોજ મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 180 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 800 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Advertisement

આ પણ વાંચો: Anil Ambani સાથે જોડાયેલી કંપનીઓ પર ED ના દરોડા, મુંબઈમાં કાર્યવાહી શરૂ

Tags :
Advertisement

.

×