Navsari: મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નિલમ પરીખનું નિધન!
- મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નિધન
- નવસારીમાં જૈફવયે લીધા અંતિમશ્વાસ
- નીલમ પરીખની સ્મશાન યાત્રા નીકળશે
Navsari: નવસારીમાં મહાત્મા ગાંધી બાપુના પ્રપૌત્રી નિલમ પરીખનું (Neelam Parikh)નવસારી (Navsari)ખાતે જૈફવયે લીધા અંતિમ શ્વાસ લીધા છે. લગ્ન બાદ નીલમ પરીખ નવસારી ખાતે સ્થાયી થયા હતા. આવતીકાલે નીલમ પરીખની સ્મશાન યાત્રા નીકળશે.
આવતીકાલે સવારે 8 વાગ્યે નીકળશે અંતિમ યાત્રા
મળતી માહિતી મુજબ,મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નિલમ પરીખનું નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. મહાત્મા ગાંધી બાપુના પ્રપૌત્રી નિલમ પરીખે નવસારી ખાતે જૈફ વયે અંતિમ શ્વાસ લીધા છે. બાપુના પુત્ર હરિદાસના પુત્રી અને તેના પુત્રી રામીબેનના પુત્રી હતા નીલમ પરીખ...લગ્ન બાદ દાયકાઓથી નીલમ પરીખ નવસારી સ્થાયી થયા હતા. આવતીકાલે સવારે આંઠ વાગ્યે નીલમ પરીખની સ્મશાન યાત્રા નીકળશે.
આ પણ વાંચો -ડીસા ફટાકડા ફેક્ટરીવાળો આરોપી Deepakkumar Mohnani ક્રિકેટ સટ્ટાનો પણ મહારથી
CR પાટીલે સોશિયલ મીડિયામાં દુ:ખ વ્યક્ત કર્યું
મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નિલમ પરીખનું નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. મહાત્મા ગાંધી બાપુના પ્રપૌત્રી નિલમ પરીખે નવસારી ખાતે જૈફ વયે અંતિમ શ્વાસ લીધા છે. CR પાટીલે સોશિયલ મીડિયામાં દુ:ખ વ્યક્ત કર્યું હતું. પોસ્ટમાં લખ્યું હતું કે, નિલમ પરીખએ ચુસ્ત ગાંધીવાદી વિચારધારા અને ગાંધી મૂલ્યો વચ્ચે એમણે એમનું સમગ્ર જીવન મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણનાં કાર્યોમાં વ્યતિત કર્યું હતું. એમનાં નિધનથી સમાજને મોટી ખોટ પડશે. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારજનોને આ ખોટ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના!