Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

2029 માં પણ NDA ની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી PM બનશે, અમિત શાહે વિપક્ષ પર કર્યો પ્રહાર...

અમિત શાહના વિપક્ષ પર પ્રહાર 2029 માં પણ મોદી બનશે PM અમિત શાહે પાણી પુરવઠો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે ચંદીગઢના મણિમાજરા ખાતે 24 કલાક પાણી પુરવઠો સુનિશ્ચિત કરવાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કુલ રૂ. 75...
2029 માં પણ nda ની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી pm બનશે  અમિત શાહે વિપક્ષ પર કર્યો પ્રહાર
Advertisement
  1. અમિત શાહના વિપક્ષ પર પ્રહાર
  2. 2029 માં પણ મોદી બનશે PM
  3. અમિત શાહે પાણી પુરવઠો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે ચંદીગઢના મણિમાજરા ખાતે 24 કલાક પાણી પુરવઠો સુનિશ્ચિત કરવાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કુલ રૂ. 75 કરોડના ખર્ચે સ્થપાયેલા આ પ્રોજેક્ટથી મણિમાજરાના એક લાખથી વધુ રહેવાસીઓને ફાયદો થશે, જેમાં મોર્ડન હાઉસિંગ કોમ્પ્લેક્સ, શિવાલિક એન્ક્લેવ, ઈન્દિરા કોલોની અને શાસ્ત્રી નગરમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેમણે વિપક્ષી પાર્ટીઓ પર પ્રહારો કર્યા અને દાવો કરીને કોંગ્રેસને અરીસો બતાવ્યો કે 2029 માં પણ NDA ની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી PM બનશે.

પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક ગુલાબ ચંદ કટારિયા પણ આ પ્રસંગે હાજર હતા. 'સ્માર્ટ સિટી મિશન' હેઠળ શરૂ કરાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સતત ઉચ્ચ દબાણ પુરવઠા દ્વારા તેના સંગ્રહમાં ઘટાડો કરીને પાણીનો બગાડ અટકાવવાનો છે. પ્રોજેક્ટના અન્ય ઉદ્દેશોમાં લીકેજમાં ઘટાડો, 'સ્માર્ટ મીટરિંગ' દ્વારા પાણીનું સંરક્ષણ, ભૂગર્ભજળ પર મર્યાદિત અવલંબન અને ઊર્જા વપરાશની દેખરેખનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ માટે કુલ 22 કિલોમીટર લાંબી પાણી પુરવઠાની પાઈપલાઈન નાખવામાં આવી છે અને બે ભૂગર્ભ જળાશયો બનાવવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Visakhapatnam : કોરબા એક્સપ્રેસ બની અકસ્માતનો શિકાર, 4 બોગીમાં લાગી ભીષણ આગ...

અમિત શાહનું નિવેદન...

અમિત શાહે કહ્યું, "હું તમને ખાતરી આપું છું કે વિપક્ષને જે કરવું હોય તે કરવા દો. 2029 માં NDA આવશે, મોદીજી આવશે. તેઓ (વિપક્ષ) નથી જાણતા કે કોંગ્રેસને 3 ચૂંટણીમાં જેટલી બેઠકો મળી છે તેનાથી વધુ બેઠકો મળી છે. ભાજપે આ ચૂંટણી જીતી છે જેઓ અસ્થિરતા ફેલાવવા માંગે છે, તેઓને ખાતરી આપી છે કે સરકાર તેની મુદત પુરી કરશે જ નહીં પરંતુ આગામી સરકાર વિપક્ષમાં બેસવા માટે તૈયાર રહે છે વિપક્ષમાં કામ કરો."

આ પણ વાંચો : MP : Sagar માં દિવાલ ધરાશાયી થતાં 9 બાળકોના મોત, CM મોહન યાદવ આપશે 4 લાખ રૂપિયાનું વળતર

Tags :
Advertisement

.

×