Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગિરનાર અંબાજી શક્તિપીઠ મંદિરના મહંત વિવાદમાં નવો વળાંક : નવા મહંતની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ

ગિરનાર અંબાજી મંદિર : મહંત નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ, વિવાદનો અંત આવશે?
ગિરનાર અંબાજી શક્તિપીઠ મંદિરના મહંત વિવાદમાં નવો વળાંક   નવા મહંતની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ
Advertisement
  • ગિરનાર અંબાજી મંદિર : મહંત નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ, વિવાદનો અંત આવશે?
  • તનસુખગીરી બાપુના નિધન બાદ ગિરનાર મંદિરમાં નવો અધ્યાય
  • ગિરનાર અંબાજી શક્તિપીઠ: મહંત વિવાદમાં સરકારનું મોટું પગલું
  • ગિરનારના મહંત વિવાદમાં નવો વળાંક: અરજીઓ શરૂ
  • જૂનાગઢના અંબાજી મંદિરની ગાદી માટે નવી પ્રક્રિયા

જૂનાગઢ : ગિરનાર પર્વત પર આવેલા પ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તનસુખગીરી બાપુના નિધન બાદ ઉદ્ભવેલા મહંત નિમણૂકના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. ગત 19 નવેમ્બર 2024ના રોજ તનસુખગીરી બાપુના નિધન બાદ અંબાજી મંદિરની ગાદી માટે ત્રણ જૂથો વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. આ વિવાદને પગલે મંદિરનો વહીવટ છેલ્લા 10 મહિનાથી વહીવટદારના હસ્તક છે. હવે, સરકારે આ વિવાદનો અંત લાવવા અને નવા મહંતની નિમણૂક માટે કાર્યવાહી શરૂ કરી છે.

મહંત નિમણૂક માટે અરજી પ્રક્રિયાજૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંબાજી શક્તિપીઠ અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટી તરીકે નિમણૂક માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો- Gandhinagar : ગણેશ ચતુર્થી પહેલા ST નિગમનાં કર્મીઓ માટે આનંદનાં સમાચાર, સરકારનો મોટો નિર્ણય

Advertisement

સરકારે કહ્યું- ઈચ્છુક ઉમેદવારો અરજી કરે

આ માટે 28 ઓગસ્ટ 2025થી 24 સપ્ટેમ્બર 2025 સુધીમાં ઇચ્છુક ઉમેદવારોએ જૂનાગઢ મામલતદાર કચેરીથી અરજી ફોર્મ મેળવવાનું કહેવામાં આવ્યું છે. તે ઉપરાંત અરજી સાથે તમામ આધાર-પુરાવા અને વિગતો રજૂ કરવા સહિત જેમાં શૈક્ષણિક લાયકાત, અનુભવ, અને અન્ય સંબંધિત દસ્તાવેજો પણ આપવાની સૂચના આપવામાં આવી છે.

તનસુખગીરી બાપુ કે જેઓ 35-40 વર્ષથી અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત હતા, તેમનું 71 વર્ષની વયે લાંબી બીમારી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમના નિધન બાદ મંદિરની ગાદી માટે ત્રણ જૂથો વચ્ચે વિવાદ શરૂ થયો હતો.

1. હરીગીરી અને ઇન્દ્રભારતી બાપુનું જૂથ: આ જૂથે દાવો કર્યો કે તેઓ ગાદીના હકદાર છે અને મહેશગીરી પર તનસુખગીરી બાપુની ખોટી સહી-સિક્કા લઈને ગાદી હડપવાનો આરોપ લગાવ્યો હતો.

2. મહેશગીરીનું જૂથ: દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરીએ પોતાનો દાવો રજૂ કર્યો અને આરોપોને નકાર્યા, જણાવ્યું કે તેમની નિમણૂક યોગ્ય પ્રક્રિયા હેઠળ થઈ હતી.

3. તનસુખગીરી બાપુનો પરિવાર: તનસુખગીરી બાપુના પરિવારજનોએ પણ ગાદી પર દાવો કર્યો અને જો ગાદી નહીં મળે તો આત્મવિલોપનની ધમકી આપી હતી.

આ વિવાદને કારણે મંદિરનો વહીવટ જૂનાગઢના મામલતદારને સોંપવામાં આવ્યો હતો. ત્યારથી છેલ્લા 10 મહિનાથી મંદિર વહીવટદારના નિયંત્રણ હેઠળ છે. આ દરમિયાન ધૂળલોટ વિધિ પૂર્ણ થાય તે પહેલાં જ તનસુખગીરી બાપુના પરિવારે વિરોધ કર્યો હતો, જેનાથી વિવાદ વધુ ગરમાયો હતો.

નવા મહંતની નિમણૂક

વિવાદના સુખદ અંત માટે સરકારે પારદર્શક પ્રક્રિયા હેઠળ નવા મહંતની નિમણૂક માટે પગલાં લીધાં છે. અગાઉ પ્રેમગીરી બાપુની અંબાજી મંદિરના નવા મહંત તરીકે નિમણૂકની ચર્ચા થઈ હતી, પરંતુ વિવાદ ચાલુ રહેતાં સરકારે નવેસરથી અરજીઓ મંગાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રક્રિયા દ્વારા અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવશે.

અંબાજી મંદિરનો ઇતિહાસ

ગિરનાર પર્વત જૂનાગઢથી 5 કિલોમીટર દૂર આવેલો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે, જેની ઊંચાઈ 3,383 ફૂટ છે. અંબાજી મંદિર, 3,300 ફૂટની ઊંચાઈએ આવેલું 13મી સદીમાં સોલંકી વંશના જૈન મુખ્યમંત્રી વાસ્તુપાલ દ્વારા બંધાયેલું ગુર્જર ઢબનું પશ્ચિમાભિમુખ મંદિર છે. આ મંદિર શિવ (ભવનાથ) અને પાર્વતી (અંબાભવાની) ના રૂપમાં શ્રદ્ધાળુઓ માટે પવિત્ર સ્થળ છે. ગિરનારની પરિક્રમા, જે દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી થાય છે, લાખો ભક્તોને આકર્ષે છે.

આ પણ વાંચો- Rajkot : બી.એ. ડાંગર કોલેજમાં હોમિયોપેથીકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત

Tags :
Advertisement

.

×