Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તિરુપતિ પ્રસાદ વિવાદમાં આવ્યો નવો વળાંક, SC એ આપ્યો આ મોટો આદેશ...

તિરુપતિ પ્રસાદ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ SIT કરશે તપાસ, કેન્દ્રની માગણી ફગાવી CBI ડાયરેક્ટર આ તપાસ પર નજર રાખશે સુપ્રીમ કોર્ટે (SC) તિરુપતિ પ્રસાદ વિવાદ પર નવી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) બનાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે (SC)...
તિરુપતિ પ્રસાદ વિવાદમાં આવ્યો નવો વળાંક  sc એ આપ્યો આ મોટો આદેશ
Advertisement
  1. તિરુપતિ પ્રસાદ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
  2. SIT કરશે તપાસ, કેન્દ્રની માગણી ફગાવી
  3. CBI ડાયરેક્ટર આ તપાસ પર નજર રાખશે

સુપ્રીમ કોર્ટે (SC) તિરુપતિ પ્રસાદ વિવાદ પર નવી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) બનાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે (SC) કહ્યું છે કે પાંચ સભ્યોની તપાસ ટીમ બનાવવામાં આવે. આ ટીમમાં CBIના બે અધિકારીઓ, રાજ્ય સરકારના બે અધિકારીઓ અને FSSAI ના એક અધિકારીનો સમાવેશ થવો જોઈએ. CBI ડાયરેક્ટર આ તપાસ પર નજર રાખશે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (SC) કહ્યું હતું કે, અમે કોર્ટને રાજકીય લડાઈના પ્લેટફોર્મમાં પરિવર્તિત થવા દેતા નથી. અગાઉ આ મામલાની તપાસ આંધ્રપ્રદેશ સરકારના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે (SC) કહ્યું હતું કે તિરુપતિ બાલાજી પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં ભેળસેળના આરોપોની તપાસ રાજ્ય સરકારની SIT કરશે નહીં અને નવી SIT ની રચના કરવા માટે સૂચના આપી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : UP : 'સેક્સ' રેકેટમાં ફસાઈ દીકરી, માતાને આવ્યો હાર્ટ એટેક, જાણો શું છે ઘટના... Video

સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ...

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટ (SC)માં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચે આ અરજીઓ પર સુનાવણી કરતા નવી તપાસ ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો : CBI ના હથ્થે ચડ્યો NIA નો અધિકારી, 20 લાખની લાંચ લેતા ઝડપાયો

સુનાવણી દરમિયાન શું થયું?

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુનાવણી દરમિયાન કહ્યું કે SIT ની ક્ષમતા પર કોઈ શંકા નથી. અમે ઈચ્છીએ છીએ કે કેન્દ્રીય પોલીસ દળના કોઈ વરિષ્ઠ અધિકારીને તપાસની દેખરેખ સોંપવામાં આવે. તેમણે કહ્યું, "મેં આ મુદ્દાની તપાસ કરી. એક વાત સ્પષ્ટ છે કે જો આ આરોપમાં કોઈ સત્યતા હોય તો તે અસ્વીકાર્ય છે. દેશભરમાં શ્રદ્ધાળુઓ છે. ખાદ્ય સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે. હું તપાસથી વાકેફ છું. SIT સભ્યો દ્વારા હાથ ધરવામાં આવે છે.

આ પણ વાંચો : Mirzapur માં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રેક્ટર-ટ્રોલી સાથે ટ્રક અથડાઈ, 10 મજૂરોના મોત

Tags :
Advertisement

.

×