Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar politics News. : મુખ્યમંત્રી પદેથી નીતિશનું રાજીનામુ

Bihar politics news.: બિહાર( Bihar) ની રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજભવન ખાતે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. નીતિશ કુમાર આજે સાંજે 4 વાગ્યે બિહારના સીએમ તરીકે શપથ લઈ...
bihar politics news    મુખ્યમંત્રી પદેથી નીતિશનું રાજીનામુ
Advertisement

Bihar politics news.: બિહાર( Bihar) ની રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજભવન ખાતે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. નીતિશ કુમાર આજે સાંજે 4 વાગ્યે બિહારના સીએમ તરીકે શપથ લઈ શકે છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા શપથ ગ્રહણમાં હાજરી આપી શકે છે.

મહાગઠબંધનની સરકાર પડી

બિહારમાં મહાગઠબંધનની સરકાર પડી ગઈ છે. નીતિશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે તેમના નેતૃત્વમાં બિહારમાં નવી સરકાર બનવા જઈ રહી છે. તેઓ ટૂંક સમયમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ પહેલા તેમણે JDU ધારાસભ્ય દળની બેઠકને સંબોધિત કરી હતી. એનડીએના વર્તમાન ઘટક 'હમ' નવી JDU-BJP સરકારમાં જોડાય તેવી પૂરી શક્યતાઓ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા પટના આવી રહ્યા છે.

Advertisement

Advertisement

રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પોતાનું રાજીનામું સુપરત કર્યું

નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. નીતીશ કુમાર સીએમ આવાસ પર જેડીયુ વિધાનસભ્ય દળ સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ રાજભવન જવા રવાના થયા અને રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પોતાનું રાજીનામું સુપરત કર્યું. હવે તેમણે ભાજપ સાથે મળીને સરકાર બનાવવાની છે.

બપોરે 4 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે

પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ આજે બપોરે 4 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. એવા સમાચાર છે કે સીએમ નીતિશની સાથે બીજેપીના 3 મંત્રીઓ પણ શપથ લેશે. બીજી તરફ હિન્દુસ્તાન અવમ મોરચાના વડા જીતન રામ માંઝીએ એનડીએ સરકાર બનાવવા માટે ભાજપને સમર્થનનો પત્ર આપ્યો છે.

આ ત્રણેય પક્ષો પાસે કુલ 125 ધારાસભ્યો

હાલમાં, બિહાર વિધાનસભામાં JDU પાસે 45 ધારાસભ્યો છે, જ્યારે BJP પાસે 76 અને જીતન રામ માંઝીના હિન્દુસ્તાન આવામ મોરચા (HAM) પાસે 4 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં, આ ત્રણેય પક્ષો પાસે કુલ 125 ધારાસભ્યો છે, જે સરકાર બનાવવા માટે જરૂરી 122ના જાદુઈ બહુમતીના આંકડા કરતા ત્રણ વધુ છે.

લાલુ પ્રસાદ યાદવની પણ સ્થિતિ પર ચાંપતી નજર

બીજી તરફ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ કહી રહ્યા છે કે નીતિશ કુમાર માટે આ વખતે પક્ષ બદલવો મુશ્કેલ હશે. જો કે હાલમાં આરજેડી પાસે 79, કોંગ્રેસના 19 અને ડાબેરી પક્ષોના 16 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં તેમને કેટલાક ફેરફાર કરવા માટે વધુ કેટલાક ધારાસભ્યોની જરૂર પડશે.

આ પણ વાંચો-----BIHAR POLITICAL : મહાગઠબંધન સરકારનું પતન નિશ્ચિત, નીતિશ કુમાર રવિવારે 9 મી વખત શપથ લઈ શકે છે…!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×