Puri Rath Yatra Stampede : જગન્નાથ રથયાત્રામાં થયેલ નાસભાગ બાદ ઓડિશા સરકારની કડક કાર્યવાહી
- ઓડિશા રથયાત્રામાં થયેલ ભાગદોડ બાદ કાર્યવાહી
- ઓડિશા સરકારે પુરીના DM-SP ની કરી બદલી
- DCP અને કમાન્ડન્ટને બેદરકારી બદલ કર્યા સસ્પેન્ડ
પુરી રથયાત્રામાં ભાગદોડ બાદ ઓડિશા સરકારે કડક કાર્યવાહી કરી છે. મોહન માઝી સરકારે પુરીના જિલ્લા કલેક્ટર અને એસપીની બદલી કરી છે અને ફરજમાં બેદરકારી બદલ ડીસીપી વિષ્ણુ પાટી અને કમાન્ડન્ટ અજય પાધીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ સાથે, મુખ્યમંત્રી કાર્યાલયે ભાગદોડમાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના પરિવારોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ વિકાસ કમિશનરની દેખરેખ હેઠળ વિગતવાર વહીવટી તપાસના આદેશ આપ્યા છે. ચંચલ રાણાને નવા જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પિનાક મિશ્રાએ નવા એસપી તરીકે કાર્યભાર સંભાળ્યો છે.
ભાગદોડમાં ઓછામાં ઓછા 3 શ્રદ્ધાળુઓના મોત
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રવિવારે (29 જૂન, 2025) પુરીમાં એક મંદિર પાસે થયેલી ભાગદોડ માટે ભગવાન જગન્નાથના ભક્તોની માફી માંગી. આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે વહેલી સવારે શ્રી ગુંડિચા મંદિર પાસે થયેલી ભાગદોડમાં લગભગ 50 અન્ય લોકો ઘાયલ થયા છે.
Puri Rath Yatra stampede: Puri District Collector and SP transferred; DCP Vishnu Pati and Commandant Ajay Padhi have been suspended for negligence of duty: Odisha CMO
Odisha CM Mohan Charan Majhi announced a financial assistance of Rs 25 lakh for the next of kin of each… pic.twitter.com/RWSdn3XRYv
— ANI (@ANI) June 29, 2025
સીએમ માઝીએ માફી માંગી
સીએમ માઝીએ 'X' પર પોસ્ટ કરીને કહ્યું, 'હું અને મારી સરકાર બધા જગન્નાથ ભક્તોની માફી માંગીએ છીએ. ભાગદોડમાં જીવ ગુમાવનારા ભક્તોના પરિવારો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે મહાપ્રભુ જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ કે તેઓને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તેમણે એમ પણ કહ્યું કે સુરક્ષામાં થયેલી ખામીની તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
I extend my heartfelt condolences to the families of the three devotees who have lost their lives in the tragic stampede at Saradhabali, #Puri and I pray to Mahaprabhu Jagannatha for the swift recovery of the devotees injured in this devastating incident.
Today’s stampede,…
— Naveen Patnaik (@Naveen_Odisha) June 29, 2025
આ પણ વાંચોઃ Mann Ki Baat : વડાપ્રધાને કટોકટી કાળ, યોગ દિવસ, રથયાત્રા, અમરનાથ યાત્રા જેવા વિષયો આવરી લીધા
નવીન પટનાયકે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
બીજુ જનતા દળ (બીજેડી) ના પ્રમુખ નવીન પટનાયકે જણાવ્યું હતું કે ઓડિશા સરકાર શ્રી ગુંડિચા મંદિર નજીક ભક્તો માટે શાંતિપૂર્ણ રથયાત્રા સુનિશ્ચિત કરવામાં અસમર્થ સાબિત થઈ છે. પટનાયકે 'X' પર પોસ્ટ કર્યું હતું કે હું પુરીના શારદાબલી ખાતે થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા ત્રણ ભક્તોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલ ભક્તોના ઝડપથી સ્વસ્થ થવા માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું. ઓડિશા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પટનાયકે જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન ભીડ વ્યવસ્થાપનની ગંભીર નિષ્ફળતાના એક દિવસ પછી, આજની ભાગદોડએ શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવામાં સરકારની અસમર્થતાને છતી કરી છે.
આ પણ વાંચોઃ Puri Rath Yatra Stampede: પુરીમાં રથયાત્રા દરમિયાન ગુંડીચા મંદિરમાં નાસભાગ, 3 લોકોના મોત, 10 થી વધુ ઘાયલ


