'Operation Sindoor' પછી અમિત શાહ એક્શનમાં, સરહદી રાજ્યોના CM સાથે બેઠક યોજી; ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજર
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી બેઠક
- સરહદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે મહત્વની બેઠક
- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર
- સરહદી રાજ્યોના ડીજીપી પણ બેઠકમાં જોડાયા
- વીડિયો કોન્ફરન્સથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામ (Jammu Kashmir Pahalgam attack) માં થયેલા બર્બર આતંકવાદી હુમલા (Tererist Attack) બાદ, જેમાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા, ભારતે 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને જોરદાર લશ્કરી જવાબ આપવામાં આવ્યો. આ કાર્યવાહી બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah)બુધવારે સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો સાથે એક કટોકટી બેઠક યોજી હતી.
In the meeting with the Chief Ministers and Lieutenant Governors of border states adjoining Pakistan and Nepal held today, asked the states to maintain the availability of essential goods and services and to keep relief and rescue forces like the SDRF, Civil Defence, Home Guards,… pic.twitter.com/oxbZgZOJMa
— Amit Shah (@AmitShah) May 7, 2025
વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજાઈ
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ ઉચ્ચ-સ્તરીય બેઠકમાં જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને ડીજીપીએ ભાગ લીધો હતો. આ ઉપરાંત, લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર પણ આ બેઠકનો ભાગ હતા. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ હાજર રહ્યા હતા.
#WATCH | Delhi | Union Home Minister Amit Shah holds a meeting with Chief Ministers, DGPs and Chief Secretaries of border states
CMs of J&K, Punjab, Rajasthan, Gujarat, Uttarakhand, Uttar Pradesh, Bihar, Sikkim, West Bengal and LG of Ladakh and LG of Jammu and Kashmir… pic.twitter.com/FXnGzTOGCV
— ANI (@ANI) May 7, 2025
એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં દેશની આંતરિક સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને સરહદી રાજ્યોને દરેક સ્તરે તકેદારી અને દેખરેખ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
સૈનિકો રજા પરથી પાછા ફરશે: ગૃહ મંત્રાલય
ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) તમામ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના મહાનિર્દેશકોને રજા પર રહેલા તમામ સૈનિકોને તાત્કાલિક પાછા બોલાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આ સમયે દેશને દરેક મોરચે સંપૂર્ણ સુરક્ષા કવચની જરૂર છે અને સુરક્ષા દળોએ સંપૂર્ણ તૈયારી સાથે તેમની ભૂમિકા ભજવવી પડશે.
ગૃહમંત્રી 'ઓપરેશન સિંદૂર'ને ભારતની સાર્વભૌમત્વ અને નિર્દોષ નાગરિકોની હત્યા વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી ગણાવી. તેમણે સ્પષ્ટતા કરી કે ભારત હવે આતંકવાદ સામે તેની શૂન્ય સહિષ્ણુતાની નીતિ પર મજબૂત રીતે ઉભું છે.
આ પણ વાંચોઃGujarat Mockdrills : આવતીકાલે CM ના અધ્યક્ષ સ્થાને યોજાશે મહત્વની બેઠક
તેમણે પોસ્ટ પર લખ્યું કે અમને અમારી સેના પર ગર્વ છે. 'ઓપરેશન સિંદૂર' એ પહેલગામમાં આપણા નિર્દોષ ભાઈઓની ક્રૂર હત્યાનો ભારતનો જવાબ છે. મોદી સરકાર ભારત અને તેના લોકો પરના કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપવા માટે પ્રતિબદ્ધ છે. ભારત આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચોઃLIVE: Operation Sindoor : PM મોદીએ પસંદ કર્યું હતું 'ઓપરેશન સિંદૂર' નામ


