Oparation Sindoor : પાકિસ્તાનને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આપ્યું નવું ટેન્શન! રાજનાથ સિંહે કહ્યું ઓપરેશન સિંદૂર તો હજુ ટ્રેલર
Operation Sindoor : પહેલગામમાં હિન્દુ પ્રવાસીઓના હત્યાકાંડ બાદ ભારતના ભીષણ હુમલાથી પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું છે. જ્યારે તેમણે યુદ્ધવિરામની વિનંતી કરી, ત્યારે ભારતે પોતાની શરતો પર સંમતિ આપી. ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી દેશભરમાં તિરંગા યાત્રા કાઢીને કરવામાં આવી રહી છે. 15 મેના રોજ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા. ત્યાં તેમણે પાકિસ્તાનને સીધી ચેતવણી આપતા કહ્યું કે અમે તેમની છાતી પર એવો ઘા કર્યો છે કે તેઓ હંમેશા તેને યાદ રાખશે. સંરક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે જો પાડોશી દેશ આતંકવાદી પ્રવૃત્તિઓ પર રોક નહીં લગાવે તો તેને તેની મોટી કિંમત ચૂકવવી પડશે. રાજનાથ સિંહે એમ પણ કહ્યું હતું કે આતંકવાદીઓએ તેમના ધર્મ વિશે પૂછ્યુ પછી માર્યા અને અમે તેમના કાર્યો જોયા પછી માર્યા.
આતંકવાદ સામેની લડાઈમાં ઈઝરાયલે ફરી એકવાર ભારતને ટેકો આપ્યો છે. ત્યાંના સંરક્ષણ મંત્રાલયના મહાનિર્દેશક, મેજર જનરલ (નિવૃત્ત) અમીર બારામે, 'ઓપરેશન સિંદૂર' ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ રીતે, સમગ્ર વિશ્વમાં ભારત માટે સમર્થન સતત વધી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આમિર બરામએ ગુરુવારે ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ સાથે વાત કરી હતી. તેમણે આતંકવાદીઓને ખતમ કરવા માટે ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બદલ ભારતને અભિનંદન આપ્યા. આ દરમિયાન, આમિર બરામે આતંકવાદ સામે ભારતની ન્યાયી લડાઈમાં ઇઝરાયલના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી.
Defence Minister Rajnathsingh Visits Bhuj Airbase ઓપરેશન સિંદૂરની સફળતાને રક્ષામંત્રી Rajnath Singh નું નિવેદન
May 16, 2025 4:55 pm
Defence Minister Rajnathsingh Visits Bhuj Airbase ઓપરેશન સિંદૂરની સફળતાને રક્ષામંત્રી Rajnath Singh નું નિવેદન
Defence Minister Rajnathsingh Visits Bhuj Airbase ઓપરેશન સિંદૂરની સફળતાને રક્ષામંત્રી Rajnath Singh નું નિવેદન | Gujarat First@rajnathsingh @HMOIndia #defenceminister #defenceministerrajnathsingh #Gujaratvisit #Kutchbhujairbasevisit #Viralvideo #Indiapakistantension #Trending… pic.twitter.com/YRWQSiUit3
— Gujarat First (@GujaratFirst) May 16, 2025
સંપૂર્ણ વિશ્વ જોશે ભારતની રાજનૈતિક એકતા!
May 16, 2025 4:54 pm
પાકિસ્તાનને ઉઘાડું પાડવા ભારતનો ફૂટનીતિક પ્લાન છે. ભારત અને રાષ્ટ્રોમાં પ્રતિનિધિ મંડળ મોકલશે. પ્રતિનિધિ મંડળમાં તમામ દળના સાંસદોને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રતિનિધિ મંડળમાં જોડાવા સાંસદોને આમંત્રણ મોકલાયું છે. ભારતની સફળતા અને પાકિસ્તાનની નાપાકી ઉજાગર કરશે.
પાકિસ્તાનને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આપ્યું નવું ટેન્શન!
May 16, 2025 4:54 pm
પાકિસ્તાનને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે નવું ટેન્શન આપ્યું છે, રાજનાથસિંહે કહ્યું કે, ઓપરેશન સિંદૂર તો હજુ ટ્રેલર છે. સમય આવ્યે આખુ પિક્ચર બતાવીશું. રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાન ભારે ચિંતામાં છે. ભારત ફરી કોઈ આક્રમક કાર્યવાહી કરે તેવો પાકિસ્તાનમાં ડર છે. રાજનાથસિંહે ફરી સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે. આતંકના સંપૂર્ણ ખાત્મા સુધી ભારતની લડાઈ ચાલુ રહેશે.
ભારતના બ્રહ્મોસથી ધ્રૂજી ઉઠ્યું આતંકીસ્તાન
May 16, 2025 4:54 pm
રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતના ભૂજ એરબેઝની મુલાકાતે છે. જેઓએ કહ્યું કે, ભારતના બ્રહ્મોસથી આતંકીસ્તાન ધ્રુજૂ ઉઠ્યું છે. ભારતે કરેલા બ્રહ્મોસના વારથી પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બ્રહ્મોસે મધરાતે પાકિસ્તાનમાં સૂર્યોદય કર્યો છે. બ્રહ્મોસે પાકિસ્તાનને ધોળે દિવસે તારા દેખાડ્યા છે. બ્રહ્મોસ મિસાઈલની ઓપરેસન સિંદૂરમાં મહત્વની ભૂમિકા હતી. ભારત પાસેથી 17 રાષ્ટ્રોની બ્રહ્મોસ ખરીદવાની ઈચ્છા છે. 17 રાષ્ટ્રોએ ભારત પાસે બ્રહ્મોસ ખરીદવાની માંગ કરી છે.
Defence Minister Rajnathsingh Visits Bhuj Airbase પાકિસ્તાનને ઇન્ટનેશનલ મોનેટરી ફંડ તરફથી સહાય મળવા મુદ્દે ભારતની પ્રતિક્રિયા
May 16, 2025 3:20 pm
Defence Minister Rajnathsingh Visits Bhuj Airbase પાકિસ્તાનને ઇન્ટનેશનલ મોનેટરી ફંડ તરફથી સહાય મળવા મુદ્દે ભારતની પ્રતિક્રિયા
Defence Minister Rajnathsingh Visits Bhuj Airbase પાકિસ્તાનને ઇન્ટનેશનલ મોનેટરી ફંડ તરફથી સહાય મળવા મુદ્દે ભારતની પ્રતિક્રિયા | Gujarat First @rajnathsingh @HMOIndia @PMOIndia #defenceminister #defenceministerrajnathsingh #Gujaratvisit #Kutchbhujairbasevisit #Viralvideo… pic.twitter.com/jBHqbahEBs
— Gujarat First (@GujaratFirst) May 16, 2025


