Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

‘ભારતે 5 ફાઈટર જેટ ઠોક્યા’ના ખુલાસા પર પાકિસ્તાન લાલચોળ, આપી અઘરી પ્રતિક્રિયા

પાકિસ્તાનનો ઈનકાર: IAFના ઓપરેશન સિંદૂરના દાવાઓને ‘અવિશ્વસનીય’ ગણાવ્યું
‘ભારતે 5 ફાઈટર જેટ ઠોક્યા’ના ખુલાસા પર પાકિસ્તાન લાલચોળ  આપી અઘરી પ્રતિક્રિયા
Advertisement
  • ‘ભારતે 5 ફાઈટર જેટ ઠોક્યા’ના ખુલાસા પર ગુસ્સે થયું પાકિસ્તાન
  • ભારતના 5 જેટ નષ્ટના દાવા પર પાકિસ્તાન લાલચોળ, IAFના પુરાવાઓથી ખુલી પોલ
  • ઓપરેશન સિંદૂર: IAFના 5 જેટ નષ્ટના ખુલાસા સામે પાકિસ્તાનનું જૂઠનું પિટારું
  • પાકિસ્તાનનો ઈનકાર: IAFના ઓપરેશન સિંદૂરના દાવાઓને ‘અવિશ્વસનીય’ ગણાવ્યું

નવી દિલ્હી: ભારતીય વાયુસેના (IAF)ના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના પાંચ ફાઈટર જેટ અને એક મોટા વિમાનને નષ્ટ કરવાનો દાવો કર્યા બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આ દાવાને નકારી કાઢ્યો છે. આ ઘટનાએ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે. IAFના નિવેદનને પડકારતાં આસિફે દાવો કર્યો કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનનું એક પણ વિમાન નષ્ટ થયું નથી, અને ભારતે ત્રણ મહિના સુધી આવા કોઈ દાવા નહોતા કર્યા.

ઓપરેશન સિંદૂર

Advertisement

ઓપરેશન સિંદૂર 7 મે, 2025ના રોજ શરૂ થયું હતું, જે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના આતંકવાદી હુમલાના જવાબમાં ભારતની સૈન્ય કાર્યવાહી હતી, જેમાં 26 નાગરિકો માર્યા ગયા હતા. આ કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા, જેમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના 9 મુખ્ય ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

Advertisement

આ પણ વાંચો-મિસ્ટર ઈન્ડિયાની જેમ ગાયબ થયો કાનપુર જેલનો કેદી... પોલીસ ઝાડથી લઈને ગટર સુધી શોધી રહી છે

એરચીફ માર્શલ અમર પ્રીતનો ખુલાસો

એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે 8 ઓગસ્ટ, 2025ના રોજ બેંગલુરુમાં 16મા એર ચીફ માર્શલ એલ.એમ. કાત્રે મેમોરિયલ લેક્ચરમાં જણાવ્યું હતુ કે, ભારતે પાકિસ્તાનના પાંચ ફાઈટર જેટ અને એક મોટું વિમાન તોડી પાડ્યું હતું. તેમણે કહ્યું હતુ કે, ભારતે S-400 એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને 300 કિલોમીટરના અંતરે એક ELINT અથવા AEW&C વિમાનને નષ્ટ કર્યું, જે અત્યાર સુધીનું સૌથી લાંબા અંતરનું સરફેસ-ટુ-એર ટાર્ગેટ ગણાય છે.

તે ઉપરાંત તેમણે કહ્યું કે આ સાથે જ પાકિસ્તાનના ઘણા યુએવી, ડ્રોન અને કેટલીક મિસાઇલો પણ તોડી પાડવામાં આવી હતી, જેના અવશેષો ભારતીય સરહદની અંદર પડ્યા હતા.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા સંરક્ષણ પ્રધાન ખ્વાજાએ લખ્યું, ભારતીય હુમલામાં એક પણ પાકિસ્તાની વિમાનને તોડી પાડવામાં આવ્યું નથી કે નાશ કરવામાં આવ્યું નથી. ત્રણ મહિના સુધી ભારત દ્વારા આવા કોઈ દાવા કરવામાં આવ્યા ન હતા. પરંતુ, પાકિસ્તાને તરત જ આંતરરાષ્ટ્રીય મીડિયાને બ્રીફિંગ આપ્યું હતું.

સંરક્ષણ પ્રધાન ખ્વાજાએ ભારતના દાવાઓને અવિશ્વસનીય અને ખોટા સમયે કરવામાં આવેલા ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ભારતને પાકિસ્તાન કરતાં નિયંત્રણ રેખા પર વધુ નુકસાન થયું છે.

તેમણે કહ્યું કે જો સત્ય દુનિયાને બતાવવું હોય તો બંને દેશોએ સ્વતંત્ર તપાસ માટે પોતાના વિમાન કાફલા ખોલવા જોઈએ. આનાથી સત્ય બહાર આવશે. પરંતુ મને લાગે છે કે ભારત આવું નહીં કરે. કારણ કે આનાથી તેની વાસ્તવિકતા અને તેના રહસ્યો ખુલશે.

આ પણ વાંચો-Mumbai airport પર ડેટા નેટવર્ક ડાઉન થતા અનેક ફલાઇટ લેટ, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી

Tags :
Advertisement

.

×