Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદીનું આસિયાન સમિટમાં વર્ચ્યુઅલ સંબોધન, 'આસિયાન ભારતની 'એક્ટ ઇસ્ટ પોલિસી'નો મહત્વપૂર્ણ ભાગ'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે આસિયાન સમિટને વર્ચ્યુઅલી સંબોધિત કરી. તેમણે કહ્યું કે આસિયાન ભારતની 'એક્ટ ઇસ્ટ પોલિસી'નો મુખ્ય આધારસ્તંભ છે અને ભારત-આસિયાન ભાગીદારી વૈશ્વિક સ્થિરતાનો પાયો છે. મોદીએ મલેશિયાને અભિનંદન પાઠવ્યા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે "21મી સદી ભારત અને આસિયાનની સદી" છે
pm મોદીનું આસિયાન સમિટમાં વર્ચ્યુઅલ સંબોધન   આસિયાન ભારતની  એક્ટ ઇસ્ટ પોલિસી નો મહત્વપૂર્ણ ભાગ
Advertisement
  • PM Modi ASEAN Summit:   PM મોદીએ આસિયાન સમિટને વર્ચ્યુઅલી સંબોધિત કરી
  • આસિયાન સમિટ સફળ અધ્યક્ષપદ મેલિશિયાન PMને આપ્યા અભિનંદન
  • PM મોદીએ ભારત અને આસિયાનની ભાગીદારીને વૈશ્વિક સ્તરે મહત્વની ગણાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે આસિયાન સમિટને વર્ચ્યુઅલી સંબોધિત કરી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, "આસિયાન પરિવાર સાથે જોડાવાની તક મળી તેનો મને ગર્વ છે. આસિયાન ભારતની 'એક્ટ ઇસ્ટ પોલિસી'નો એક મહત્વપૂર્ણ ભાગ છે." તેમણે ઉમેર્યું કે ભારત હંમેશા આસિયાનના નેતૃત્વ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે તેના વિઝનને સમર્થન આપે છે.

PM Modi ASEAN Summit: PM મોદીએ આસિયાન સમિટને કરી સંબોધિત

પીએમ મોદીએ આસિયાનના સફળ અધ્યક્ષપદ બદલ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત, તેમણે ભારતના કન્ટ્રી કોઓર્ડિનેટરની ભૂમિકા કાર્યક્ષમ રીતે નિભાવવા બદલ ફિલિપાઇન્સના પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ આસિયાનના નવા સભ્ય તરીકે ઇસ્ટ તિમોરનું સ્વાગત કર્યું હતું.

Advertisement

Advertisement

PM Modi ASEAN Summit: ભારતની એક્ટ-ઇસ્ટ પોલિસીનો મુખ્ય આધારસ્તંભ

પ્રધાનમંત્રીએ ભારત અને આસિયાનની ભાગીદારીને વૈશ્વિક સ્તરે મહત્વની ગણાવી હતી. તેમણે કહ્યું કે, સાથે મળીને, ભારત અને આસિયાન વિશ્વની લગભગ એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. "અમે માત્ર ભૂગોળ જ નહીં પરંતુ ઊંડા ઐતિહાસિક સંબંધો અને સહિયારા મૂલ્યો પણ શેર કરીએ છીએ. અમે ગ્લોબલ સાઉથના સાથી પ્રવાસી છીએ." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "અમે ફક્ત વેપારી ભાગીદારો જ નહીં પણ મજબૂત ભાગીદારો પણ છીએ. આસિયાન ભારતની એક્ટ-ઇસ્ટ પોલિસીનો મુખ્ય આધારસ્તંભ છે."

PM મોદીએ ભારત અને આસિયાનની ભાગીદારીને વૈશ્વિક સ્તરે મહત્વની ગણાવી

પીએમ મોદીએ કહ્યું કે ભારત અને આસિયાનની તાકાત અને ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને વિકાસ માટે એક શક્તિશાળી પાયા તરીકે ઉભરી રહી છે. તેમણે જણાવ્યું કે વર્તમાન આસિયાન સમિટનો વિષય 'સમાવેશીતા અને ટકાઉપણું' છે, અને આ વિષય બંનેના સંયુક્ત પ્રયાસોમાં સ્પષ્ટપણે દેખાય છે. તેમણે ખાતરી આપી કે ભારત હંમેશા આસિયાન-કેન્દ્રિત અને ઇન્ડો-પેસિફિક પર આસિયાનના દૃષ્ટિકોણને સમર્થન આપે છે.

સંબોધનના અંતે પીએમ મોદીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, અનિશ્ચિતતાના આ સમયગાળામાં પણ, ભારત-આસિયાન ભાગીદારીએ પ્રગતિ કરી છે. "21મી સદી આપણી સદી છે, ભારત અને આસિયાનની સદી." તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2027 સુધીમાં 'વિકસિત ભારત'નું લક્ષ્ય સમગ્ર માનવતા માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવશે અને ભારતે આસિયાન સાથે ખભે ખભો મિલાવીને કામ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ પણ વાંચો:   કેન્દ્રિય મંત્રીની હાજરીમાં સ્ટેજ પર મહિલા અધિકારીઓ બાખડ્યા, કોણી મારીને ચૂંટલી ભરી લીધી

Tags :
Advertisement

.

×