PM MODI : ક્રોએશિયાના વડાપ્રધાનને સિલ્વર કેન્ડલ સ્ટેન્ડની ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- નરેન્દ્ર મોદી ત્રણ દેશોનો પ્રવાસ પૂર્ણ કરીને પરત ફર્યા
- ક્રોએશિયામાં પ્રથમ વખત ભારતના પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી
- વડાપ્રધાન મોદીએ ક્રોએશિયાના પીએમને યાદગાર ભેટ અર્પણ કરી
PM MODI : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) ત્રણ દેશોની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી આજે ગુરુવારે ભારત પરત ફર્યા છે. તેમણે ક્રોએશિયામાં તેમની મુલાકાતનો છેલ્લો તબક્કો પૂર્ણ કર્યો છે. કોઈપણ ભારતીય પ્રધાનમંત્રીની ક્રોએશિયાની (CROATIA) પ્રથમ સત્તાવાર મુલાકાત હોવાનું સામે આવ્યું છે. આ મુલાકાતને ભારત અને ક્રોએશિયા વચ્ચે મિત્રતા અને સહયોગના નવા અધ્યાયની શરૂઆત માનવામાં આવી રહી છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઓ ક્રોએશિયાના વડાપ્રધાન એન્દ્રેજ પ્લેન્કોવિકને (CROATIA PM ANDREJ PLENKOVIC) ચાંદીનું કલાત્મક કેન્ડર સ્ટેન્ડ ભેટ આપ્યું છે. આ સ્ટેન્ડ રાજસ્થાનના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ઝીણવટભરી રીતે ફૂલો તથા વળાંકો સાથેની કલાત્મક ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રકારકની ડિઝાઇન રજવાડી અને કલાતીત લૂક આપે છે. રાજસ્થાનના ઉદેપૂર અને જયપુરના કારીગરોની આ ખાસીયત છે.
PM Modi gifted a Silver Candle Stand to Andrej Plenković, Prime Minister of Croatia.
This silver candle stand from Rajasthan is a beautiful example of the region’s traditional metalwork. Handmade by skilled artisans, it features detailed floral and geometric designs created… pic.twitter.com/3sWTfsRwW7
— ANI (@ANI) June 19, 2025
પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી
પ્રધાનમંત્રી મોદીએ ક્રોએશિયા મુલાકાતને "ઐતિહાસિક અને યાદગાર" ગણાવી અને ત્યાંના લોકો અને સરકારનો આભાર માન્યો છે. તેમણે લખ્યું, "ક્રોએશિયાના લોકો અને સરકાર તરફથી મળેલું ઉષ્માભર્યું સ્વાગત અવિસ્મરણીય હતું." આ મુલાકાત મિત્રતા અને સહયોગની આપણી સહિયારી યાત્રામાં એક નવો અધ્યાય ઉમેરે છે." પીએમ મોદીએ ઝાગ્રેબમાં ક્રોએશિયન પીએમ આન્દ્રેજ પ્લેન્કોવિક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી છે. તેમણે શેર કર્યું કે, બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ, આઇટી, નવીનીકરણીય ઉર્જા, ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, જહાજ નિર્માણ અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં ઊંડો સહયોગ રહેશે. તેમણે કહ્યું કે બંને દેશો શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સંશોધન અને અવકાશ ભાગીદારી પણ વધારશે.
સતત ત્રીજી વખત જનાદેશ મળ્યો
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત-ક્રોએશિયા સંબંધો લોકશાહી, કાયદાનું શાસન, વિવિધતા અને ગુણવત્તા જેવા બંને દેશોના સહિયારા મૂલ્યોને કારણે મજબૂત છે. તેમણે એ વાતનો પણ આનંદ વ્યક્ત કર્યો કે તેમને અને પીએમ પ્લેન્કોવિકને તેમના સંબંધિત દેશોમાં સતત ત્રીજી વખત જનાદેશ મળ્યો છે, જે બંને દેશોની સ્થિરતા અને લોકશાહી શક્તિને પ્રતિબિંબિત કરે છે. આ દરમિયાન, પીએમ પ્લેન્કોવિકે પીએમ મોદીને ક્રોએશિયાની ઐતિહાસિક રાજધાની ઝાગ્રેબના કેન્દ્રની મુલાકાત પણ લીધી. પીએમ મોદીએ આ ખાસ મુલાકાતને 'મૈત્રીપૂર્ણ અને આદરણીય સંકેત' ગણાવી અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી.
સંરક્ષણ સહયોગ યોજના પણ તૈયાર
પીએમ મોદીએ ક્રોએશિયાની મુલાકાત દરમિયાન એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં કહ્યું કે ભારત અને ક્રોએશિયા સાથે મળીને લાંબા ગાળાના સંબંધો. તેઓ સંરક્ષણ સહયોગ યોજના પણ તૈયાર કરશે. તેમણે એમ પણ કહ્યું કે આ મુલાકાત ભારત અને ક્રોએશિયા વચ્ચેના સંબંધોમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રધાનમંત્રી મોદીના ક્રોએશિયા આગમન પર ઔપચારિક સ્વાગત સમારોહ પણ યોજાયો હતો, જેમાં સ્થાનિક નાગરિકો અને NRI એ પરંપરાગત સૂત્રોચ્ચાર અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે તેમનું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો ---- PM Modi ની ક્રોએશિયા મુલાકાતની ફળશ્રુતિ, ઝાગ્રેબ યુનિ.માં હિન્દી ચેરનો કાર્યકાળ લંબાવાયો


