PM મોદીના હસ્તે BSNLના સ્વદેશી 4G નેટવર્કનો પ્રારંભ, 97 હજાર ટાવરનું ઉદ્ધાટન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બીએસએનએલના 4 જી ના વ્યાપક નેરવર્કનો પ્રારંભ
- BSNL તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે
- આજે દેશે આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું ભર્યું - વડાપ્રધાન મોદી
BSNL 4G Network : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઓડિશાના ઝારસુગુડામાં ભારતના સંપૂર્ણ સ્વદેશી 4G સ્ટેક અને 97,500 થી વધુ BSNL ટાવરનું ઉદ્ઘાટન કર્યું છે. આ તકે તેમણે કહ્યું કે, આ ટાવર દેશના દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં એક નવી ક્રાંતિ લાવશે. 4G ટેકનોલોજીના વિસ્તરણથી દેશભરના 20 મિલિયનથી વધુ લોકોને સીધો ફાયદો થશે.ભારતીય કંપનીઓએ દેશને વિશ્વના ટોચના પાંચ દેશોમાં સ્થાન આપ્યું છે, જેમની પાસે 4G સેવાઓ શરૂ કરવા માટે સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી છે.
Will be in Jharsuguda, Odisha, to inaugurate developmental works worth over Rs. 50,000 crore. In a historic feat, over 97,500 telecom towers across India would be commissioned. These have been built using local technologies and will boost connectivity in remote areas, border…
— Narendra Modi (@narendramodi) September 27, 2025
ભારત વૈશ્વિક ટેલિકોમ ઉત્પાદન કેન્દ્ર
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "ભારતીય કંપનીઓએ દેશને વિશ્વના ટોચના પાંચ દેશોમાં સ્થાન આપ્યું છે જેમની પાસે 4G સેવાઓ શરૂ કરવા માટે સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી છે. BSNL તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આજે, BSNL અને તેના ભાગીદારોની મહેનતને કારણે, ભારત વૈશ્વિક ટેલિકોમ ઉત્પાદન કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે."
આજે, દેશે આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું ભર્યું
આ ટેકનોલોજીની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે કહ્યું, "આજે દેશે આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું ભર્યું છે. જ્યારે ટેલિકોમ જગતમાં 2G, 3G અને 4G જેવી સેવાઓ શરૂ થઈ, ત્યારે ભારત ઘણું પાછળ રહી ગયું. 2G, 3G અને 4G સેવાઓ માટે જરૂરી ટેકનોલોજી માટે ભારત વિદેશી દેશો પર નિર્ભર રહ્યું. આ પરિસ્થિતિ દેશ માટે સારી ન હતી. તેથી, દેશે દેશની અંદર ટેલિકોમ ક્ષેત્ર માટે આ આવશ્યક ટેકનોલોજી વિકસાવવાનો સંકલ્પ કર્યો છે.
BSNL એ પોતાના દેશમાં જ સંપૂર્ણપણે સ્વદેશી 4G ટેકનોલોજી વિકસાવી
તેમણે કહ્યું, "આપણા માટે ગર્વની વાત છે કે BSNL એ પોતાના દેશમાં જ સંપૂર્ણપણે સ્વદેશી 4G ટેકનોલોજી વિકસાવી છે. પોતાની મહેનત, સમર્પણ અને કાર્યક્ષમતાથી, BSNL એ નવો ઇતિહાસ રચ્યો છે. આ કાર્યમાં સામેલ દેશના યુવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું."પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઓડિશા માટે ગર્વની વાત છે કે BSNLનું સ્વદેશી 4G નેટવર્ક આજે ઝારસુગુડાથી શરૂ થઈ રહ્યું છે.
લોકોને ઉત્તમ ડિજિટલ સેવાઓની પણ ઍક્સેસ મળશે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઓડિશા માટે ગર્વની વાત છે કે BSNLનું સ્વદેશી 4G નેટવર્ક, જેમાં આશરે 100,000 4G ટાવરનો સમાવેશ થાય છે, આજે ઝારસુગુડાથી શરૂ થઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું, "લગભગ 30,000 ગામડાઓ જ્યાં પહેલા હાઇ-સ્પીડ ઇન્ટરનેટનો અભાવ હતો ત્યાં પણ હવે આ સુવિધાનો લાભ મળશે. BSNLની સ્વદેશી 4G સેવાઓનો સૌથી વધુ લાભ આદિવાસી વિસ્તારો, દૂરના ગામડાઓ અને પર્વતીય પ્રદેશોને મળશે. હવે, ત્યાંના લોકોને ઉત્તમ ડિજિટલ સેવાઓની પણ ઍક્સેસ મળશે."
BSNLના ટાવર સરળતાથી 5G સેવાઓ માટે તૈયાર થશે
પ્રધાનમંત્રી મોદીએ દેશના લોકોને ખાતરી આપી કે, ભારતે પહેલાથી જ સૌથી ઝડપી 5G સેવાઓ શરૂ કરી દીધી છે. BSNLના ટાવર પણ ખૂબ જ સરળતાથી 5G સેવાઓ માટે તૈયાર થશે.
આ પણ વાંચો ------ Surat : રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે 'અમૃત ભારત ટ્રેન'ને આપી લીલી ઝંડી, કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા


