Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM નો કટાક્ષ, એક નેતાજીનો વીડિયો ફરી રહ્યો છે......

PM : પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi ) એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અમારી વાતમાં વિરોધાભાસ ઓછો છે. PM Narendra Modi એ એક ઇન્ટરવ્યુમાં કોઈનું...
pm નો કટાક્ષ  એક નેતાજીનો વીડિયો ફરી રહ્યો છે
Advertisement

PM : પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi ) એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અમારી વાતમાં વિરોધાભાસ ઓછો છે. PM Narendra Modi એ એક ઇન્ટરવ્યુમાં કોઈનું નામ લીધા વગર સ્પષ્ટ સંકેત આપ્યો કે અત્યારે એક નેતાજીનો વીડિયો ફરતો થઈ રહ્યો છે. તેને જોઈને લોકો સવાલ કરી રહ્યા છે કે અમને કેવી રીતે પાગલ બનાવી દેવામાં આવ્યા. કંઈક બીજુ કહ્યું અને કરવામાં આવ્યું કંઇક બીજુ..... વાસ્તવમાં, અરવિંદ કેજરીવાલના ઘણા વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી એકમાં તેઓ કહે છે કે જો કોઈ નેતા પર આરોપ લાગે છે તો તેમણે પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે પીએમ મોદીએ આવા જ વીડિયોનો ઉલ્લેખ કર્યો છે.

એક નેતા કહે છે કે તે એક જ ઝટકામાં ગરીબી હટાવી દેશે

એટલું જ નહીં, આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે એક નેતા કહે છે કે તે એક જ ઝટકામાં ગરીબી હટાવી દેશે. આ કેવી વાત છે? તેઓ દાયકાઓથી સત્તામાં હતા અને ત્યારે તેઓ શું કરી રહ્યા હતા? આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિર નિર્માણને રાજનીતિ સાથે જોડવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે વિરોધ પક્ષો માટે આ એક રાજકીય મુદ્દો છે. હવે જ્યારે મંદિરનું નિર્માણ થઈ ગયું છે, તો તેમના માટે પણ મુદ્દો સમાપ્ત થઈ ગયો છે. તેમણે કહ્યું કે જ્યારે રામ લલ્લાની પ્રતિષ્ઠા કરવામાં આવી રહી હતો ત્યારે તે મારા માટે ભાવનાત્મક ક્ષણ હતી. આ સમય દરમિયાન મારા મગજમાં 500 વર્ષનો સંઘર્ષ અને સેંકડો લોકોનું બલિદાન ચાલી રહ્યું હતું.

Advertisement

Advertisement

આ કેવી નફરત છે?

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશભરના તેમના પ્રવાસો પર અને અલગ-અલગ પારંપરિક વસ્ત્રો પહેરવા પર સવાલો ઉઠાવનારાઓને પણ ઘેર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક લોકો એટલી બધી નફરતથી ભરેલા છે કે તેઓ દરેક બાબત પર સવાલ ઉઠાવે છે. જ્યારે હું ઉત્તર-પૂર્વમાં મણિપુર જાઉં છું, ત્યારે લોકો પરંપરાગત પોશાક આપે છે અને હું તેને સન્માન સાથે પહેરું છું. જ્યારે હું અન્ય રાજ્યમાં ગયો ત્યારે ત્યાં પણ આવું થયું. તેના પર પણ કેટલાક લોકો સવાલ ઉઠાવે છે. આખરે, આ કેવી નફરત છે?

ડીએમકેનો જન્મ નફરતના વાતાવરણમાં થયો છે

પીએમ મોદીએ સનાતન ધર્મ પર સવાલ ઉઠાવવા બદલ તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકે પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે આ મુદ્દે કોંગ્રેસને સવાલ પૂછ્યો કે તેમની સાથે રહેવાની તમારી શું મજબૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે ડીએમકેનો જન્મ નફરતના વાતાવરણમાં થયો છે, પરંતુ કોંગ્રેસ મહાત્મા ગાંધીની પરંપરામાં પાર્ટી રહી છે. તો પછી તેને શું થયું છે?

આ પણ વાંચો---- PM MODI : મારા નિર્ણયો કોઈને ડરાવવા માટે નથી

આ પણ વાંચો---- PM Modi Interview : PM સાથે સાક્ષાત્કાર કરનારા પત્રકાર વિશે વાંચો આ અહેવાલ

Tags :
Advertisement

.

×