Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PI પાદરીયાને પકડવા માટે પોલીસના ધમપછાડા

રાજકોટમાં પાટીદાર અગ્રણી પર હુમલાના કેસમાં તપાસ તેજ PI પાદરીયાને પકડવા તાલુકા પોલીસના દરોડા પોલીસના રાજકોટ અને જૂનાગઢમાં ધામા હથિયારને લઇનેે પણ પોલીસની તપાસ પોલીસે CCTV ફૂટેજ કબ્જે લઇ FSLમાં મોકલ્યા PI પાદરીયા સિક લિવ પર ઉતરી ગયા હોવાનું...
pi પાદરીયાને પકડવા માટે પોલીસના ધમપછાડા
Advertisement
  • રાજકોટમાં પાટીદાર અગ્રણી પર હુમલાના કેસમાં તપાસ તેજ
  • PI પાદરીયાને પકડવા તાલુકા પોલીસના દરોડા
  • પોલીસના રાજકોટ અને જૂનાગઢમાં ધામા
  • હથિયારને લઇનેે પણ પોલીસની તપાસ
  • પોલીસે CCTV ફૂટેજ કબ્જે લઇ FSLમાં મોકલ્યા
  • PI પાદરીયા સિક લિવ પર ઉતરી ગયા હોવાનું ખુલ્યું

PI Sanjay Padaria : Rajkotના પાટીદાર અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતી કરશનભાઇ સરધારા પર સરદારધામના ઉપપ્રમુખ બનવા બાબતે જૂનાગઢ પીઆઇ સંદિપ પાદરીયા (PI Sanjay Padaria)એ રસ્તા વચ્ચે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોર પીઆઇ હજુ સુધી પકડાયા નથી અને પોલીસ તેમને પકડવા માટે ધમપછાડા કરી રહી છે. પોલીસે પીઆઇ પાદરીયાને પકડવા માટે રાજકોટ અને જૂનાગઢમાં તપાસ શરુ કરી છે. પોલીસની કાર્યવાહી જોતાં પીઆઇ પાદરીયા સિક લિવ પર ઉતરી ગયા છે. આ ઘટના બાદ પોલીસ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાત સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. જો કે આ મામલે પીઆઇ સંદિપ પાદરીયા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે. હજી સુધી પીઆઇની ધરપકડ થઇ નથી.

CCTV ફૂટેજમાં જયંતી સરધારા-PI સંજય પાદરિયા વચ્ચે હાથાપાઈ થઈ હોવાનું દેખાય છે

રાજકોટમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલા મામલે નવો વળાંક સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનાં વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જયંતી સરધારા-PI સંજય પાદરિયા વચ્ચે હાથાપાઈ થઈ હોવાનું દેખાય છે. જો કે, આ CCTV ફૂટેજ સામે આવતા સવાલ ઊભા થયા છે.

Advertisement

આ પણ વાંચો----PI વિરુદ્ધ ગુનો દાખલ પરંતુ ધરપકડ નહીં, સામાન્ય નાગરિકોના સરઘસ કાઢતી પોલીસ ક્યાં ગઇ???

Advertisement

PI પાદરીયા સિક લિવ પર ઉતરી ગયા

બીજી તરફ આ કેસમાં પીઆઇને પકડવા માટે પોલીસ ધમપછાડા કરી રહી છે. PI પાદરીયાને પકડવા તાલુકા પોલીસે વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. પોલીસે રાજકોટ અને જૂનાગઢમાં ધામા નાખ્યા છે અને હથિયારને લઇને પણ પોલીસની તપાસ શરુ થઇ છે. પોલીસે CCTV ફૂટેજ કબ્જે લઇ FSLમાં મોકલ્યા છે તો બીજી તરફ PI પાદરીયા સિક લિવ પર ઉતરી ગયા હોવાનું ખુલ્યું છે

જયંતી પટેલે નરેશ પટેલ પર લગાવ્યા હતા ગંભીર આક્ષેપ

હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત જયંતી સરધારાએ ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, નરેશ પટેલના ઇશારે જ આ પીઆઇ પાદરીયાએ મારી હત્યાના ઇરાદે હુમલો કર્યો હતો. બીજી તરફ ખોડલ ધામે જણાવ્યું કે, આ સમગ્ર મામલે નરેશ પટેલનું નામ ખોટી રીતે જોડાઇ રહ્યું છે. તેઓનો આ સમગ્ર ઘટનામાં કોઇ જ હાથ નથી. તેઓ પોતે જ વિદેશ પ્રવાસે છે.તેમને આ ઘટનાની માહિતી મળતા તેમને દુખ પણ થયું છે. સરદારધામ અને ખોડલધામ વચ્ચે કોઇ જ વિવાદ નથી. બંન્ને પાટીદારોની જ સંસ્થાઓ છે અને પાટીદારોના ઉત્થાન માટે કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો----Rajkot : પાટીદાર અગ્રણી પર હુમલા મામલે નવા CCTV ફૂટેજ સામે આવતા ઊભા થયાં અનેક સવાલ!

Tags :
Advertisement

.

×