Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Porbandar: રાતિયા ગામે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, 8 ઘાયલ

Porbandar વેરાવળ હાઇવે રાતિયા ગામ પાસે રાવલ થી માંગરોળ જતી બોલેરો પીક અપ વાહન નું ટાપર ફાટી જતા અકસ્માત
porbandar  રાતિયા ગામે ગમખ્વાર અકસ્માત  એકનું મોત  8 ઘાયલ
Advertisement
  • Porbandar : રાતિયા ગામ ( નેશનલ હાઇવે ) પર બોલેરો પેસેન્જર વાહનનો અકસ્માત : એકનું મોત : 8 ઘાયલ
  • પોરબંદર વેરાવળ હાઇવે રાતિયા ગામ પાસે રાવલ થી માંગરોળ જતી બોલેરો પીક અપ વાહન નું ટાપર ફાટી જતા અકસ્માત
  • બોલેરો વાહનમા બેસેલ 9 લોકોને ઈજા થઈ હતી જેમાં એક વ્યક્તિનું સ્થળ પર જ મૃત્યુ થયું
  • ઇજાગ્રસ્ત બાકીના 7 લોકોને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
  • આ ઘટનામાં રાવલ ગામના ઇશ્વર મગા વાઘેલા મોત થયું

Porbandar : સૌરાષ્ટ્રના પોરબંદર-વેરાવળ હાઇવે પર આજે એક ભયાનક અકસ્માત થયો છે. જેમાં રાવળથી માંગરોળ જતી બોલેરો વાહન પેસેન્જર વાનનું ટાયર એકાએક ફાટી જતાં વાહન પલટી મારી ગયું હતું. આ દુર્ઘટનામાં બોલેરોમાં બેઠેલા નવજનોમાંથી એકનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે આઠ લોકોને પણ ભારે ઈજા પહોંચી છે. મૃતકની ઓળખ રાવળ ગામના ઇશ્વર મગા વાઘેલા (ઉં. 45) તરીકે થઈ છે, જેમનું અવસાન આ અકસ્માતમાં થયું છે. બાકીના આઠ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

ઘટના રાતિયા ગામના નેશનલ હાઇવે પર બની હતી. જ્યારે રાવળથી માંગરોળ જતી બોલેરો વાનમાં નવજનો બેઠા હતા. પ્રાથમિક તપાસ અનુસાર, વાહનનું પાછળનું ટાયર અચાનક ફાટી જતાં ડ્રાઇવરનું નિયંત્રણ ગુમાવતાં બોલેરો રોડ પરથી નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા ઇશ્વર વાઘેલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે બાકીના આઠજનોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

Advertisement

ઘટનાસ્થળ પર પહોંચેલા સ્થાનિક લોકો અને પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. ઘાયલોને પ્રથમ તબક્કામાં નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ગંભીર હાલતને કારણે તેમને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. મૃતક ઇશ્વર વાઘેલા રાવળ ગામના ખેડૂત હતા અને તેઓ પરિવાર સાથે માંગરોળ જઈ રહ્યા હતા. તેમના અવસાનથી પરિવારમાં શોકનું વાતાવરણ છે.

Advertisement

સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં રોડ અકસ્માતો વધી રહ્યા છે, અને આ ઘટનાએ ફરી એક વખત ડ્રાઇવરોને સુરક્ષાના માપદંડોનું પાલન કરવાની યાદ અપાવી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતાં પ્રતિદિવસ મોટા પ્રમાણમાં અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેમાં અનેક લોકોન મોત થઈ રહ્યાં છે. રોડ સેફ્ટીના નિર્ણયોને અવગણવામાં આવી રહ્યા હોવાના કારણે રાજ્યમાં મોટા પ્રમાણમાં અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તેથી નિર્દોષ લોકોને જીવ ગુમાવવા પડી રહ્યાં છે.

આ પણ વાંચો- Chhota Udepur : ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરનો નવો કીમિયો, મોપેડનો કર્યો ઉપયોગ

Tags :
Advertisement

.

×