Pm Modi પહોંચ્યા બ્રાઝિલ, G20 લીડર્સ સમિટમાં લેશે ભાગ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે બ્રાઝિલ પહોંચ્યા
- તેઓ 18 અને 19 નવેમ્બરે બ્રાઝિલમાં આયોજિત 19મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેશે
- ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું
PM Modi's Visit to Brazil : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે નાઈજીરિયાની પ્રથમ મુલાકાત પૂર્ણ કર્યા બાદ હવે સોમવારે સવારે બ્રાઝિલ પહોંચ્યા (PM Modi's Visit to Brazil) છે. તેઓ અહીં G-20 સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી તેમની ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં 18 અને 19 નવેમ્બરે બ્રાઝિલમાં આયોજિત 19મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેશે.
ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું
રિયો ડી જાનેરોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે બ્રાઝિલમાં ભારતીય પ્રવાસી સમુદાયના સભ્યો મોટી સંખ્યામાં એક હોટલની બહાર એકઠા થયા હતા. તેમણે પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બ્રાઝિલમાં ભારતીય સમુદાયના એક સભ્યએ કહ્યું, "તેમને રૂબરૂ મળવાનું અમારા માટે સન્માનની વાત છે... અમારા માટે આ ગર્વની ક્ષણ છે."
મને આપણા વડાપ્રધાન પર ગર્વ
બ્રાઝિલમાં ભારતીય સમુદાયના સભ્ય રીમાએ કહ્યું, “હું અહીં આવીને ખૂબ જ ઉત્સાહિત છું, મને આપણા વડાપ્રધાન પર ગર્વ છે, તેઓ એવા પ્રથમ વડાપ્રધાનોમાંના એક છે જેમણે મોટી લડાઈ લડી છે…તેમણે દેશને સંભાળ્યો છે. બ્રાઝિલમાં ભારતીય સમુદાયના સભ્ય પ્રદીપ ધોટેએ જણાવ્યું હતું કે, "અમે અહીં ખાસ કરીને વડાપ્રધાન મોદીને મળવા આવ્યા છીએ. અમે ખૂબ જ ઉત્સાહિત છીએ... તેમને બ્રાઝિલમાં એવો જ આવકાર મળવો જોઈએ જે રીતે તેમને અન્યત્ર મળે છે..."
આ પણ વાંચો---PM મોદીને Nigeria નું સર્વોચ્ચ સન્માન મળ્યું, રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી...
બ્રાઝિલના વૈદિક વિદ્વાનોએ વડાપ્રધાન મોદીની સામે વૈદિક મંત્રોનો જાપ કર્યો
બ્રાઝિલના વૈદિક વિદ્વાનોએ રિયો ડી જાનેરોમાં વડાપ્રધાન મોદીની સામે વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા. ભારતીય પ્રવાસી સમુદાયના એક સભ્યએ કહ્યું, "અમે આ ક્ષણ માટે ખરેખર ઉત્સાહિત છીએ. અમે ખરેખર વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશોમાંના એક નેતાને મળવા માંગીએ છીએ."
છેલ્લા 17 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની નાઈજીરીયાની પ્રથમ મુલાકાત
પીએમ મોદીએ અગાઉ નાઈજીરીયામાં રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. મોદી રવિવારે વહેલી સવારે નાઈજીરિયાની રાજધાની પહોંચ્યા હતા. છેલ્લા 17 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હતી. મુલાકાત પૂરી કર્યા પછી મોદીએ 'X' પર લખ્યું, "સાર્થક મુલાકાત માટે નાઈજીરિયાનો આભાર. આ મુલાકાત ભારત-નાઈજીરીયા મિત્રતાને મજબૂત અને પ્રોત્સાહિત કરશે.”
નાઈજીરીયાના રાષ્ટ્રીય સન્માન 'ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર' (GCON)થી નવાજવામાં આવ્યા
વિદેશ મંત્રાલય (MEA) એ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાઇજીરીયાની ફળદાયી મુલાકાત પૂર્ણ કરી." મુલાકાત દરમિયાન મોદીને નાઈજીરીયાના રાષ્ટ્રીય સન્માન 'ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર' (GCON)થી નવાજવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર તેઓ બીજા વિદેશી મહાનુભાવ બન્યા. અગાઉ 1969માં આ સન્માન બ્રિટનની મહારાણી એલિઝાબેથને આપવામાં આવ્યું હતું. મોદી ત્રણ દેશોના પ્રવાસના ભાગરૂપે નાઈજીરિયામાં હતા. તેમનું અંતિમ મુકામ ગુયાના હશે. 18-19 નવેમ્બરના રોજ રિયો ડી જાનેરોમાં યોજાનારી G-20 સમિટમાં ભાગ લેનારા નેતાઓમાં મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને યુએસ પ્રમુખ જો બિડેનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો---સમયસર CORONA રસી આપવાના કારણે આ દેશ PM MODI ને આપશે મોટુ સન્માન