Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત પ્રવાસે રાહુલ : જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિરમાં ગુજરાતી નેતાઓની લગાવશે ક્લાસ

જૂનાગઢમાં રાહુલ ગાંધીનું સ્વાગત : કોંગ્રેસના આળસુ નેતાઓ ઉપર લટકતી તલવાર, ઘરભેગા થવાના એંધાણ
ગુજરાત પ્રવાસે રાહુલ   જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિરમાં ગુજરાતી નેતાઓની લગાવશે ક્લાસ
Advertisement
  • રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ : જૂનાગઢ તાલીમ કેમ્પમાં 41 જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન, 2027 ચૂંટણી તરફ રણનીતિ
  • જૂનાગઢમાં રાહુલ ગાંધીનું સ્વાગત : કોંગ્રેસ પ્રમુખોને 3 કલાકનું માર્ગદર્શન, પછી પોરબંદર તરફ રવાનગી
  • રાહુલ ગાંધી જૂનાગઢ તાલીમ કેમ્પમાં : ગુજરાત કોંગ્રેસને નવી દિશા, 41 જિલ્લા-મહાનગર પ્રમુખોને પ્રશિક્ષણ
  • કોંગ્રેસના લોહ પુરુષ રાહુલ ગાંધીનો આગમન : જૂનાગઢ શિબિરમાં માર્ગદર્શન, કાળવા ચોકમાં ભવ્ય સ્વાગત
  • ગુજરાત કોંગ્રેસને બુસ્ટ : રાહુલ ગાંધી જૂનાગઢમાં પ્રમુખોને પ્રશિક્ષણ આપશે, પોરબંદર જવા રવાના

રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. જોકે, આ વખત નેશનલ લિડરો ગુજરાત ચૂંટણી ઉપર ખુબ જ વધારે ધ્યાન આપી રહ્યાં છે. હાલમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન મલ્લિકાર્જૂન ખડગે ગુજરાતના નેતાઓને પ્રશિક્ષિત કરી રહ્યાં છે. આ વચ્ચે હવે રાહુલ ગાંધીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. તેઓ પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓને ચૂંટણીની તૈયારીઓને લઈને માર્ગદર્શન આપશે. તે ઉપરાંત આ પ્રશિક્ષિણ શિબિરમાં રાહુલ ગાંધી અનેક નેતાઓની ક્લાસ પણ લેવાના છે, તો અનેક નેતાઓને ઘર ભેગા પણ કરી શકે છે. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસમાં રહીને અન્ય પાર્ટીને મદદ કરતાં અને આળસુ નેતાઓને ફાઈનલ વોર્નિંગ આપવામાં આવી શકે છે અથવા તેમને ઘર ભેગા કરવામાં પણ આવી શકે છે.

રાહુલ ગાંધી નું ગુજરાતમાં આગમન

 કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિપક્ષનેતા રાહુલ ગાંધી આજે (12 સપ્ટેમ્બર, 2025) ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ જૂનાગઢમાં ચાલી રહેલી કોંગ્રેસની તાલીમ શિબિરમાં હાજરી આપીને જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખોને માર્ગદર્શન આપશે. આ શિબિરમાં ગુજરાતના 41 જિલ્લા અને મહાનગરોના પ્રમુખો હાજર રહેશે, જ્યાં રાહુલ ગાંધી 2027ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીને નવી દિશા આપશે. શિબિર પછી તેઓ પોરબંદર તરફ રવાના થશે.

Advertisement

રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ પર બપોરે 2 વાગ્યે પહોંચશે અને ત્યાંથી રોડ વે દ્વારા જૂનાગઢના પ્રેરણાધામ આશ્રમ (ભવનાથ તળેટી) પહોંચશે, જ્યાં તાલીમ શિબિર યોજાઈ રહી છે. કાળવા ચોક ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. શિબિરમાં રાહુલ ગાંધી લગભગ 3 કલાક સુધી હાજર રહેશે અને આંતરિક સત્રોમાં જિલ્લા પ્રમુખોને સંબોધન કરશે. આ શિબિર 'સંગઠન સર્જન અભિયાન' હેઠળ યોજાઈ રહી છે, જેમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખર્ગેએ 10 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો- Ahmedabad માં ખંડણી કેસમાં આરોપી પોલીસ ફાયરિંગમાં ઘાયલ

તાલીમ શિબિરનો હેતુ : 2027 ચૂંટણી માટે રણનીતિ અને પાર્ટી મજબૂતી

આ તાલીમ શિબિર ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરવા માટે યોજાઈ રહી છે. રાહુલ ગાંધી જિલ્લા અને મહાનગર કોંગ્રેસ પ્રમુખોને પાર્ટીની વિચારધારા, બંધારણ, વોટર લિસ્ટ મેનેજમેન્ટ, ફંડરેઝિંગ અને બૂથ સ્તરે મજબૂતી વિશે માર્ગદર્શન આપશે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આ શિબિરને ભાજપ વિરુદ્ધ લડવા માટેનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. રાહુલ ગાંધીના માર્ગદર્શનથી પાર્ટીને નવી ઉર્જા મળશે અને તેઓ જિલ્લા પ્રમુખોને ચૂંટણી પસંદગીમાં ભાગીદારીની જવાબદારી આપશે.

શિબિર 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ચાલશે, અને રાહુલ ગાંધી 17 સપ્ટેમ્બરે પણ હાજર રહેશે. આ શિબિરમાં બહારના નિષ્ણાતો પણ ભાગ લેશે, જેમાં પાર્ટીની વ્યૂહરચના અને જમીન સ્તરે કાર્યકરણ વિશે ચર્ચા થશે.

રાહુલ ગાંધી નું સ્વાગત અને કાર્યક્રમની વિગતો

રાહુલ ગાંધીના આગમન પર કાળવા ચોક ખાતે ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. તેઓ કેશોદ એરપોર્ટથી રોડ વે દ્વારા પ્રેરણાધામ આશ્રમ (ભવનાથ તળેટી) પહોંચશે, જ્યાં તાલીમ શિબિર યોજાઈ રહી છે. શિબિરમાં 3 કલાક સુધી રહીને તેઓ પ્રમુખોને સંબોધન કરશે અને પછી પોરબંદર તરફ રવાના થશે. આ પ્રવાસથી ગુજરાત કોંગ્રેસને નવી ઉર્જા મળશે, અને 2027ની ચૂંટણી માટે પાર્ટી તૈયાર થશે.

આ પણ વાંચો- અમદાવાદના ગુંડાએ પીઆઈની પિસ્તૉલ છીનવવા પ્રયાસ કરતા Sangram Sikarwar ને પગમાં ગોળી વાગી

Tags :
Advertisement

.

×