Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Railways Special Trains: ઇન્ડિગોની ફલાઇટ રદ થતા ભારતીય રેલવેએ લીધો મોટો નિર્ણય, તમામ ઝોનમાં સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે!

ઇન્ડિગો દ્વારા 800થી વધુ ફ્લાઇટ્સ રદ થતાં હજારો મુસાફરો ફસાયા છે. આ સંકટને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવેએ મુસાફરોને મદદ કરવા તાત્કાલિક ધોરણે દેશભરમાં 84 ખાસ ટ્રેનોની જાહેરાત કરી છે, જે 104 ટ્રિપ ચલાવશે. રેલવેએ મુખ્ય શહેરોમાં ટ્રાફિકનું વિશ્લેષણ કરીને આ નિર્ણય લીધો છે અને વધતી માંગ મુજબ ટ્રેનોની સંખ્યા વધારવામાં આવશે, જેથી લાખો મુસાફરોને રાહત મળી શકે.
railways special trains  ઇન્ડિગોની ફલાઇટ રદ થતા ભારતીય રેલવેએ લીધો મોટો નિર્ણય  તમામ ઝોનમાં સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
Advertisement
  • દેશમાં ઇન્ડિગોની ફલાઇટ રદ થતા મુસાફરો અટવાયા (Railways Special Trains ) 
  • ફલાઇટ રદ મામલે ભારતીય રેલવેએ લીધો મોટો નિર્ણય
  • દેશના તમામ ઝોનમાં ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે

Railways Special Trains : શનિવારે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) દ્વારા 800 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવતા હજારો મુસાફરો અટવાઇ ગયા હતા અને તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યા હતો. ફલાઇટ રદ થતા મુસાફરોને ભારે અસુવિધા અને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જેને લઇને એરપોર્ટ પર મુસાફરોએ હલ્લાબોલ કર્યું હતું. ઇન્ડિગોના આ વર્તમાન સંકટને ધ્યાનમાં રાખીને અને વિમાન મુસાફરોને મદદ કરવાના હેતુથી, ભારતીય રેલવેએ તાત્કાલિક ધોરણે દેશના તમામ ઝોનમાં 84 ખાસ ટ્રેનોની જાહેરાત કરી છે. રેલવે મંત્રાલય દ્વારા નવી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, પટના અને હાવડા જેવા મુખ્ય શહેરોમાં રેલ ટ્રાફિક પરિસ્થિતિનું ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યા પછી આ ખાસ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હતી. આ ખાસ ટ્રેનો આ મુખ્ય શહેરો વચ્ચે કુલ 104 ટ્રિપ ચલાવશે.

Railways Special Trains : સ્પેશિલ ટ્રેન દોડાવવામાં આવશે

રેલવે બોર્ડના માહિતી અને પ્રચારના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે જણાવ્યું હતું કે, "ટ્રાફિકની પરિસ્થિતિના આધારે ખાસ ટ્રેનોની સંખ્યા અને તેની આવર્તન (ફ્રીક્વન્સી) વધારી શકાય છે." તેમણે ખાતરી આપી હતી કે ફ્લાઇટ રદ થવાને કારણે દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા લાખો મુસાફરોની સુવિધા માટે, આ ટ્રેનોને સુરક્ષિત રીતે ચલાવવા માટે તમામ ઝોનને રોલિંગ સ્ટોક અને માનવશક્તિ સહિત તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

Advertisement

અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોને આ ખાસ ટ્રેનો વિશે જાગૃત કરવાના પ્રયાસો પૂરજોશમાં ચાલી રહ્યા છે. મુસાફરોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે કેટલાક રેલ્વે વિભાગોએ તો નજીકના એરપોર્ટ પર પણ આ માહિતી પ્રસારિત કરી છે. દક્ષિણ પૂર્વીય રેલ્વેએ એક પ્રેસ રિલીઝ જારી કરીને એરપોર્ટ અધિકારીઓને નવી શરૂ કરાયેલી આ ખાસ ટ્રેન સેવાઓ વિશેની માહિતી મુસાફરો માટે પ્રદર્શિત કરવા માટે જાણ કરી હતી.

Railways Special Trains : તમામ ઝોનમાં સ્પેશિયલ ટ્રેન દોડશે

વિવિધ ઝોન દ્વારા શરૂ કરાયેલી ખાસ ટ્રેનોની વિગતો આપતા, પ્રેસ રિલીઝ અનુસાર, પશ્ચિમ રેલ્વે મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી, મુંબઈ સેન્ટ્રલ-ભિવાની, મુંબઈ સેન્ટ્રલ-શકુર બસ્તી, બાંદ્રા ટર્મિનસ-દુર્ગાપુરા, વલસાડ-બિલાસપુર, સાબરમતી-દિલ્હી અને સાબરમતી-દિલ્હી સરાઈ રોહિલ્લા સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સાત ટ્રેનો ચલાવશે. તેવી જ રીતે, દક્ષિણ મધ્ય રેલ્વેએ પણ ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાને કારણે મુસાફરોના વધારાને પહોંચી વળવા માટે ચાર ખાસ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, મધ્ય રેલ્વે અને ઉત્તર રેલ્વેએ અનુક્રમે 14 અને 10 ખાસ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વધતી માંગને પહોંચી વળવા માટે આ સંખ્યાઓની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં ઇન્ડિગોની ફ્લાઇટ કામગીરીને નોંધપાત્ર અસર થઈ છે, જેના કારણે અસંખ્ય ફ્લાઇટ્સ રદ થવા અને વિલંબને કારણે હજારો મુસાફરોને સતત અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ  પણ વાંચો:   IndiGo Government Action: PM નરેન્દ્ર મોદીએ ઇન્ડિગો સામે મોટી કાર્યવાહી કરવાના આપ્યા આદેશ

Tags :
Advertisement

.

×