ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: ચકચારી રાજકુમાર જાટ કેસમાં મોટા સમાચાર, ગણેશ જાડેજાનો થશે નાર્કો ટેસ્ટ

Rajkot ના ચકચારી રાજકુમાર જાટ કેસમાં મોટો વળાંક, ગણેશ જાડેજાનો થશે નાર્કો ટેસ્ટના ચકચારી રાજકુમાર જાટ શંકાસ્પદ મોત કેસમાં મોટો વળાંક આવ્યો છે. SITના અધ્યક્ષ, સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુની અરજી પર,ગણેશ જાડેજા (ગણેશ ગોંડલ)નો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ગણેશે કોર્ટમાં આ ટેસ્ટ માટે સહમતી આપી છે, જેને કોર્ટે માન્ય રાખી. આગામી દિવસોમાં આ ટેસ્ટ કરાશે, જે કેસની જટિલતા ઉકેલવામાં નિર્ણાયક સાબિત થશે.
06:18 PM Dec 05, 2025 IST | Mahesh OD
Rajkot ના ચકચારી રાજકુમાર જાટ કેસમાં મોટો વળાંક, ગણેશ જાડેજાનો થશે નાર્કો ટેસ્ટના ચકચારી રાજકુમાર જાટ શંકાસ્પદ મોત કેસમાં મોટો વળાંક આવ્યો છે. SITના અધ્યક્ષ, સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુની અરજી પર,ગણેશ જાડેજા (ગણેશ ગોંડલ)નો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ગણેશે કોર્ટમાં આ ટેસ્ટ માટે સહમતી આપી છે, જેને કોર્ટે માન્ય રાખી. આગામી દિવસોમાં આ ટેસ્ટ કરાશે, જે કેસની જટિલતા ઉકેલવામાં નિર્ણાયક સાબિત થશે.
ganesh_jadeja_Gujarat_first
Rajkot Rajkumar Jat Case:રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતેના ચકચારી રાજકુમાર જાટ શંકાસ્પદ મૃત્યુ કેસમાં ગણેશ જાડેજાનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ (Narco Test) કરાવવામાં આવશે, જેને લઈને કોર્ટે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી કેસની તપાસ કરી રહેલી SIT ને સત્ય બહાર લાવવામાં મોટી સફળતા મળવાની આશા છે.

ગણેશ જાડેજા

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકુમાર જાટ કેસની તપાસ માટે રચવામાં આવેલી SITના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક (SP) પ્રેમસુખ ડેલુ દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસની ગંભીરતા અને રહસ્યમય સંજોગોને ધ્યાનમાં રાખીને, SITને આ કેસની સાચી હકીકતો જાણવા માટે આ ટેસ્ટ જરૂરી લાગ્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન ગણેશ જાડેજાએ આ નાર્કો ટેસ્ટ કરાવવા માટે પોતાની સહમતી આપી હતી.  આ સહમતીને ધ્યાનમાં લઈને અદાલતે નાર્કો ટેસ્ટની મંજૂરીને ગ્રાહ્ય રાખી છે.

શું છે નાર્કો ટેસ્ટ ?

નાર્કો ટેસ્ટ એ એક ફોરેન્સિક તપાસ પદ્ધતિ છે,  જેમાં વ્યક્તિને 'સોડિયમ પેન્ટોથલ' નામનું 'ટ્રુથ સીરમ' ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ સીરમની અસર હેઠળ વ્યક્તિ અર્ધ-બેભાન અવસ્થામાં પહોંચી જાય છે, જેનાથી તેના માટે ખોટું બોલવું મુશ્કેલ બની જાય છે. ચકચારી રાજકુમાર જાટ કેસમાં લાંબા સમયથી હત્યા અને અકસ્માત વચ્ચેનો ભેદ ઉકેલાયો નથી.

આગામી દિવસોમાં ટેસ્ટ કરાશે

કોર્ટની મંજૂરી બાદ હવે આગામી દિવસોમાં ગણેશ ગોંડલનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે. આ ટેસ્ટ ફોરેન્સિક લેબોરેટરીમાં નિષ્ણાતોની હાજરીમાં કરવામાં આવશે અને તેના રિપોર્ટ પરથી સમગ્ર કેસમાં મોટો ખુલાસો થવાની સંભાવના છે. સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં રહેલા આ કેસની તપાસમાં SP પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં SITની નિષ્પક્ષ કામગીરી પર સૌની નજર ટકેલી છે. આ નાર્કો ટેસ્ટ જટિલ બની રહેલા આ કેસમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ Rajkot: ફોરેન ચોકલેટમાં ખતરો!, મોઢે જતાં પહેલા નીકળી જીવતી ઈયળ!

Tags :
accused Ganesh JadejaGondalGondalCaseGujarat FirstNarco TestRAJKOTRajkumar Jat Case
Next Article