Gujarat AAP : રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપવાસ આંદોલન કરશે
- Gujarat AAP: 16મીએ રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપવાસ આંદોલન કરશે
- ખેડૂતોની માગો સંતોષવાની માગ સાથે કરશે ઉપવાસ આંદોલન
- નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવ્યા છે તેમને છોડી મુકવાની મુખ્ય માગ
Gujarat AAP: 16મીએ રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપવાસ આંદોલન કરશે. જેમાં અમદાવાદ AAP કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ કરશે. તેમાં ખેડૂતોની માંગો સંતોષવાની સાથે ઉપવાસ આંદોલન કરશે. જેમાં નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવ્યા છે તેમને છોડી મુકવાની મુખ્ય માંગ છે. AAPના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે હડદડ ગામમાં પોલીસે ગુજારેલા દમન ઉપર પ્રતિક્રિયા આપી છે.
અમદાવાદના AAPના કાર્યાલય પર આમરણ ઉપવાસ પર ઉતરીશું
પ્રવીણ રામે જણાવ્યું છે કે આગામી 16 તારીખે હું અને રાજુ કરપડા બે માંગણીઓ સાથે અમદાવાદના AAPના કાર્યાલય પર આમરણ ઉપવાસ પર ઉતરીશું. અમારી પ્રથમ માંગ છે કે ખેડૂતોની જે માંગણીઓ છે એ પૂરી કરવામાં આવે, બીજી માંગ છે કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવ્યા છે એમને છોડી દેવામાં આવે. પોલીસ પ્રશાસનને અમારાથી કંઈ વાંધો હોય તો મારા અને રાજુ કરપડા ઉપર પર લાઠીઓ વરસાવે, કરવી હોય એટલી ફરિયાદ કરો, નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ કરશો નહીં. તમામ ખેડૂતોને અમારી અપીલ છે કે અમારા ગયા પછી આ જે ક્રાંતિની શરૂઆત થઈ છે એને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રાખજો.
Gujarat AAP: જાણો સમગ્ર મામલો શું હતો
‘કળદા પ્રથા’ના વિરોધમાં બોટાદના હડદડ ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘કિસાન મહાપંચાયત’માં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસ વાન પર પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે આમ આદમી પાર્ટીએ ભાજપના નેતાઓ અને પોલીસ દ્વારા જ શાંતિનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આરોપ કર્યો હતો. ત્યારે હવે આ મામલે પોલસી ફરિયાદ નોંધવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
બોટાદમાં પથ્થરમારા સંબંધમાં આપના નેતાઓ સામે FIR
બોટાદમાં પથ્થરમારા સંબંધમાં આપના નેતાઓ સામે FIR નોંધવામાં આવી છે. આપ નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત 85 લોકો સામે ખુનની કોશિશ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીના આરોપ સાથે ફરિયાદ નોંધવામાં આવી હોવાના અહેવાલો છે. અન્ય લોકોની પણ ધરપકડ થવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આરોપ કર્યો હતો કે હજુ સુધી કોઈને પણ એફઆઈઆરની કોપી આપવામાં આવી નથી. આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત કુલ 85 લોકો સામે નામજોગ FIR દાખલ કરવામાં આવી હોવાના અહેવાલો છે.
3 પોલીસકર્મીઓને ઇજાગ્રસ્ત પહોંચી હતી
આ સંઘર્ષ મુદ્દે બોટાદ જિલ્લા પોલીસ વડાએ વાત કરતાં કહ્યું હતું કે 3 પોલીસકર્મીઓને ઇજાગ્રસ્ત પહોંચી હતી અમે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં બોટાદ DySP મહર્ષિ રાવલ, LCB PI એ.જી. સોલંકી સહિત ચારથી વધુ પોલીસ કર્મચારીઓને ઈજાઓ થઈ હતી.
આ પણ વાંચો: Gujarat Cabinet Expansion: મંત્રી મંડળ વિસ્તરણની ગણાતી ઘડીઓ, કોને પડતા મુકાશે અને જાણો કોની લોટરી લાગશે?


