Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BJP અને JDU બાદ હવે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJDએ 27 બાગી નેતાઓને કર્યા સસ્પેન્ડ

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં RJDએ મોટું પગલું ભર્યું છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને સત્તાવાર ઉમેદવારો વિરુદ્ધ પ્રચાર કરવા બદલ ૨૭ નેતાઓને ૬ વર્ષ માટે તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. RJDએ સ્પષ્ટ કર્યું છે કે પક્ષ વિરોધી પ્રવૃતિને સાંખી લેવામાં નહીં આવે.
bjp અને jdu બાદ હવે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી rjdએ 27 બાગી નેતાઓને કર્યા સસ્પેન્ડ
Advertisement

  • RJD એ પણ બાગી નેતાઓ સામે કરી કાર્યવાહી
  • 27 નેતાઓને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ
  • આ 27 નેતાઓને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ

બિહાર વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજ્યનું રાજકીય તાપમાન વધી રહ્યું છે. મતદાનની તારીખ નજીક આવતાની સાથે જ રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ થઈ છે અને બળવાખોર નેતાઓ સામે કાર્યવાહીનો દોર શરૂ થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને જનતા દળ યુનાઈટેડ (JDU) પછી, હવે લાલુ પ્રસાદ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (RJD) માં પણ નોંધપાત્ર અને સખત પગલાં લેવામાં આવ્યા છે.એક સાથે 27 નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ 27 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.

Advertisement

RJD એ 27 નેતાઓની કરી હકાલપટ્ટી

RJD દ્વારા જારી કરાયેલા સત્તાવાર પત્ર મુજબ પક્ષે 27 નેતાઓને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ હકાલપટ્ટી છ વર્ષ માટે કરવામાં આવી છે, જે પક્ષ વિરોધી ગતિવિધિઓ સામે RJDની કડક નીતિ દર્શાવે છે. હકાલપટ્ટી કરાયેલા આ નેતાઓની યાદીમાં પક્ષના ઘણા અગ્રણી અને મહત્ત્વપૂર્ણ નેતાઓના નામનો સમાવેશ થાય છે.પાર્ટીએ આ કાર્યવાહી અંગે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આ 27 નેતાઓ RJDના સત્તાવાર ઉમેદવારો વિરુદ્ધ પ્રચાર કરવામાં સામેલ હતા. ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આ નેતાઓએ પક્ષના હિતોને નુકસાન પહોંચાડ્યું હતું.

Advertisement

RJDએ બાગી નેતાઓને આપ્યો સંદેશ

કેટલાક નેતાઓ પર તો પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો પણ આરોપ છે. પક્ષે સ્પષ્ટ કર્યું છે કે સંગઠનાત્મક શિસ્ત જાળવવા અને પક્ષના અધિકૃત ઉમેદવારોને ટેકો સુનિશ્ચિત કરવા માટે આ કડક પગલાં લેવા જરૂરી હતા. RJDના આ નિર્ણયથી બિહારના રાજકારણમાં એક મોટો સંદેશ ગયો છે કે પક્ષ ગદ્દારીને સાંખી નહીં લે.ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે RJDમાં થયેલી આ કાર્યવાહીથી પક્ષના આંતરિક માળખા પર અને બાકીના નેતાઓના મનોબળ પર કેવી અસર પડે છે તે આવનાર સમયમાં ખબર પડી જશે.

આ પણ વાંચો:   ઉત્તરપ્રદેશના ચંદૌલીમાં છઠ પૂજા દરમિયાન મોટી દુર્ઘટના, સેલ્ફીના ચક્કરમાં નાવ પલટી,અનેક લોકો ડૂબ્યા

Tags :
Advertisement

.

×