ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rupal માં વરદાયિની માતાજીની પલ્લી : 5000 વર્ષ જૂની પરંપરા, લાખો ભાવિકોની હાજરી

ગાંધીનગરના Rupal માં મહાભારત કાળની પરંપરા : વરદાયિની માતાજીની પલ્લીમાં હજારો કિલો ઘીનો વરસાદ
12:20 AM Oct 01, 2025 IST | Mujahid Tunvar
ગાંધીનગરના Rupal માં મહાભારત કાળની પરંપરા : વરદાયિની માતાજીની પલ્લીમાં હજારો કિલો ઘીનો વરસાદ

ગાંધીનગર : ગાંધીનગરથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા રૂપાલ ગામમાં ( Rupal ) આ વર્ષે પણ ધામધૂમથી વરદાયિની માતાજીની પ્રસિદ્ધ પલ્લી યોજાઈ. આસો સુદ નોમના દિવસે એટલે કે નવમા નવરાત્રીની મધ્યરાત્રી પછી રાત્રિના 12 વાગ્યે નીકળેલી પલ્લીમાં બાળકો, મહિલાઓ સહિત પાંચ લાખથી વધુ ભક્તોએ દર્શન કરે છે. ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યો અને વિદેશોમાંથી આવેલા ભાવિકોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે.

આ પલ્લી પર લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક થયો જેના કારણે ગામના તમામ રસ્તા અને ગલીઓ ઘીની નદીઓમાં ફેરવાઇ ગઇ હતી.  માનતા પૂરી થતાં ભક્તોએ માતાજીને ઘી અર્પણ કર્યું, જેનાથી હજારો કિલો ઘીનો ઉપયોગ થયો હતો.

રૂપાલ ગામના 27 ચોકમાંથી પસાર થતી આ પલ્લીના રથને ભાવિકોએ શુદ્ધ ઘીથી અભિષેક કર્યો. ગામમાં ખાસ ઘીની ટ્રોલીઓ રાખવામાં આવી હતી, જેમાંથી વહેલી સવારથી જ ઘી વહેતું જોઈને દર્શનાર્થીઓ આશ્ચર્યચકિત થયા. આ દ્રશ્ય જોઈને લાગે છે કે ગામના રસ્તાઓ ઘીની નદીઓમાં બદલાઈ ગઈ છે. ભક્તોમાં વિશ્વાસ છે કે માતાજીના પલ્લી દર્શનથી તેમના તમામ દુઃખ દૂર થાય છે અને માનતાઓ પૂરી થાય છે. મંદિરમાં માતાજીની હાજરીની અનુભૂતિ થાય છે, જે ભક્તોને ભાવુક બનાવે છે.

5000 વર્ષથી ચાલી આવતી પરંપરા

આ પરંપરા છેલ્લા 5000 વર્ષથી ચાલે છે, જે મહાભારત કાળ સાથે જોડાયેલી છે. લોકમાન્યતા પ્રમાણે, પાંડવોએ કૌરવો સાથે યુદ્ધ કરવા જતા પહેલાં વરદાયિની માતાજીના દર્શન કર્યા હતા. યુદ્ધ જીત્યા પછી તેઓએ આ પલ્લી નીકાળી હતી, જે ત્યારથી દર વર્ષે યોજાય છે. રામાયણ અને મહાભારત કાળથી જોડાયેલું આ મંદિર ગાંધીનગર જિલ્લાની આગવી ઓળખ છે. પલ્લીમાં વણકર, કુંભાર, માળી અને અન્ય જાતિઓના લોકો પોતાના વ્યવસાય મુજબ યોગદાન આપે છે, જે સર્વધર્મ સંભાવનું પ્રતીક છે.

આ વર્ષે પણ પલ્લીના આયોજન માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. ગામમાં 275 પોલીસ અને 300 હોમગાર્ડ જવાનો તૈનાત કરાયા, જ્યારે ખાણી-પીણીની તપાસ માટે અધિકારીઓએ પરિશીલન કર્યું. અમદાવાદથી 10 વાહનોની વ્યવસ્થા અને ફાયર સેફ્ટી તેમજ વીજળી વિભાગની 17 ટીમો તૈનાત કરાઈ. આ પલ્લી વિશ્વમાં અનોખી છે, જ્યાં ઘીનો અભિષેક કરીને ભક્તો માનતા પૂરી કરે છે.

આ પણ વાંચો- વાવ-થરાદ જિલ્લાના નવા SP Chintan Teraiya, ધર્મેન્દ્ર શર્માને બોટાદ SPની જવાબદારી

Tags :
#Aasosudanom#Gandhinagarpalli#GhinaAbhishek#GhinaRivers#GujaratDharma2025#MahabharataTradition#Rupalgaam#VardayiniMatajiNavratri2025rupalpalli
Next Article