Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

350 પેટ્રોલ પંપ પર સુરક્ષા, 100 પર પોલીસ તૈનાત... દિલ્હીમાં 62 લાખ વાહનો પર જોખમ !

દિલ્હીમાં એન્ડ-ઓફ-લાઈફ વ્હીકલ્સ (EoL) એટલે કે જે વાહનોએ પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું છે તેમની સામે કડક કાર્યવાહી
350 પેટ્રોલ પંપ પર સુરક્ષા  100 પર પોલીસ તૈનાત    દિલ્હીમાં 62 લાખ વાહનો પર જોખમ
Advertisement
  • અન્ય વાહનના માલિકોને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે
  • ટુ-વ્હીલરનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તેમની જપ્તી પર 5,000 રૂપિયાનો દંડ
  • વાહન ડેટાબેઝ પ્રમાણે, દિલ્હીમાં લગભગ 62 લાખ વાહનો છે

જો તમે દિલ્હીમાં રહો છો અને તમારું વાહન 15 વર્ષથી વધુ જૂનું છે, તો આજે ઘરેથી નીકળતા પહેલા થોડી કાળજી રાખો. આજથી, રાજધાની દિલ્હીમાં એન્ડ-ઓફ-લાઈફ વ્હીકલ્સ (EoL) એટલે કે જે વાહનોએ પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું છે તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

માલિકોને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે

હવે 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનો અને 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોને રસ્તા પર દોડવા દેવામાં આવશે નહીં કે તેમને ઈંધણ પણ મળશે નહીં. દિલ્હી સરકારે આ જૂના વાહનોને પકડવા અને જપ્ત કરવા માટે કડક જોગવાઈઓ લાગુ કરી છે. જો આવા વાહનો પકડાશે તો માલિકે10,000 રૂપિયાનું ચલણ ચૂકવવું પડશે. બીજી તરફ, જે ટુ-વ્હીલરનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તેમની જપ્તી પર 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

Advertisement

પેટ્રોલ ભરવા પર પ્રતિબંધ અને પોલીસ તૈનાત

આ ઝુંબેશ હેઠળ, દિલ્હીમાં 350 પેટ્રોલ પંપ ઓળખવામાં આવ્યા છે. આમાંથી, 100 સૌથી વ્યસ્ત પેટ્રોલ પંપ પર દિલ્હી પોલીસની ટીમો તૈનાત કરવામાં આવશે. પરિવહન વિભાગના અધિકારીઓ 59 પંપ પર દેખરેખ રાખશે. તે જ સમયે, 91 સંવેદનશીલ પેટ્રોલ પંપ પર સંયુક્ત ટીમો તૈનાત કરવામાં આવશે, જેમાં દિલ્હી પોલીસ અને પરિવહન વિભાગ બંનેનો સમાવેશ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) કર્મચારીઓ 100 ઓછા સંવેદનશીલ પંપ પર દેખરેખ રાખશે

Advertisement

દિલ્હીમાં EoL શ્રેણીમાં 62 લાખ વાહનો

વાહન ડેટાબેઝ પ્રમાણે, દિલ્હીમાં લગભગ 62 લાખ વાહનો છે જે હવે EoL શ્રેણીમાં આવે છે. તેમાં 41 લાખ ટુ-વ્હીલર અને 18 લાખ ફોર-વ્હીલરનો સમાવેશ થાય છે. NCRના અન્ય જિલ્લાઓમાં પણ આવા વાહનોની મોટી સંખ્યા છે. આમાં હરિયાણામાં 27.5 લાખ વાહનો, ઉત્તર પ્રદેશમાં 12.4 લાખ અને રાજસ્થાનમાં 6.1 લાખ વાહનોનો સમાવેશ થાય છે. આ ઝુંબેશ પાછળ સરકારનો હેતુ સ્પષ્ટ છે - પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે રસ્તાઓ પરથી ઝેરી ધુમાડો છોડતા જૂના વાહનોને દૂર કરવાનો છે.

આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં જાણો ક્યા કેટલા ઇંચ પડ્યો વરસાદ

Tags :
Advertisement

.

×