કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. શકીલ અહેમદે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
- કોંગ્રેસના દિગ્ગજ નેતા ડૉ. Shakeel Ahmad એ આપ્યું રાજીનામું
- બિહારના પરિણામ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો
- ડૉ. શકીલ અહેમદે કોંગ્રેસના અધ્યક્ષને મોકલ્યું રાજીનામું
બિહાર ચૂંટણી સમાપન બાદ કોંગ્રેસને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. પક્ષના અગ્રણી અને વરિષ્ઠ નેતા ડૉ. શકીલ અહેમદે (Shakeel Ahmad) કોંગ્રેસની (Congress) પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ને મોકલી આપ્યું છે.
બિહારમાં Shakeel Ahmad એ રાજીનામું આપ્યું
નોંધનીય છે કે ડૉ. શકીલ અહેમદ કોંગ્રેસના એક પીઢ મુસ્લિમ ચહેરા અને મજબૂત વ્યક્તિત્વ તરીકે ઓળખાય છે, ખાસ કરીને બિહારની રાજનીતિમાં તેમનો એક વિશાળ કદ છે. તેઓ ભૂતકાળમાં કેન્દ્રની યુપીએ (UPA) સરકારમાં ગૃહ રાજ્ય મંત્રી સહિતના મહત્વના પદ પર રહી ચૂક્યા છે. તેઓ બે વખત લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ બિહાર વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા પણ છે. તેમનું રાજીનામું કોંગ્રેસ માટે એક મોટો ફટકો છે, ખાસ કરીને જ્યારે પક્ષ આવનારી ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યો છે.
वरिष्ठ कांग्रेस नेता शकील अहमद ने पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा दे दिया है।
शकील अहमद यूपीए सरकार में गृह राज्य मंत्री रह चुके हैं। उन्होंने कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे को अपना इस्तीफा भेज दिया है। pic.twitter.com/E2wkeoKJyT
— ANI_HindiNews (@AHindinews) November 11, 2025
Shakeel Ahmad એ પ્રાથમિક સભ્યપદમાંથી આપ્યું રાજીનામું
ડૉ. શકીલ અહેમદના રાજીનામા પાછળના ચોક્કસ કારણો હજુ સ્પષ્ટ થયા નથી. જોકે, રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી પક્ષની આંતરિક નીતિઓ અને નેતૃત્વની શૈલીથી નારાજ હતા. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે બિહારમાં ગઠબંધન અને સીટની વહેંચણીને લઈને ચાલી રહેલા સંઘર્ષના કારણે તેમણે આ પગલું ભર્યું હોઈ શકે છે. તેમનું રાજીનામું બિહારની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જી શકે છે.કોંગ્રેસ પક્ષ તરફથી સત્તાવાર રીતે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આ રાજીનામું પક્ષની નેતૃત્વ ક્ષમતા અને આંતરિક સ્થિતિ પર સવાલો ઉભા કરે છે. આગામી દિવસોમાં ડૉ. શકીલ અહેમદ કયા પક્ષમાં જોડાશે અથવા તેમનો આગામી રાજકીય માર્ગ શું હશે, તેના પર સૌની નજર રહેશે.


