Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ Kalupur માં અજીબોગરીબ છેતરપિંડી; 25 વર્ષ જૂની અપહરણ કથા થકી છેતરપિંડી

અમદાવાદ Kalupur માં નકલી દીકરાનો કેસ : રાજસ્થાની ઇન્દ્રરાજ મેઘવાલ પકડાયો, DNA ટેસ્ટની તૈયારી
અમદાવાદ kalupur માં અજીબોગરીબ છેતરપિંડી  25 વર્ષ જૂની અપહરણ કથા થકી છેતરપિંડી
Advertisement
  • અમદાવાદ Kalupur માં નકલી દીકરાનો કેસ : રાજસ્થાની ઇન્દ્રરાજ મેઘવાલ પકડાયો, DNA ટેસ્ટની તૈયારી
  • ગુમ બાળકનું નાટક કરી છેતરપિંડી : Kalupur પોલીસે ઇન્દ્રરાજ મેઘવાલને ધરપકડ, ગઝીયાબાદથી આલર્ટ
  • સુરતથી આવેલા દંપતીને ફસાવતો ઇન્દ્રરાજ : અમદાવાદમાં નકલી પુત્ર કેસ, રાજસ્થાન-દેહરાદૂનમાં પણ છેતરપિંડી
  • 25 વર્ષ જૂની અપહરણ કથા બનાવી ઠગી : કાલુપુરમાં ઇન્દ્રરાજ મેઘવાલની ધરપકડ, મોડસ ઓપરેન્ડી ખુલી
  • ભાવનાત્મક છેતરપિંડીનો અંત : અમદાવાદમાં પુષ્પા સુર્યવંશીના 'દીકરા' ઇન્દ્રરાજ મેઘવાલ પકડાયો, DNA ટેસ્ટ

અમદાવાદ :  અમદાવાદના કાલુપુર ( Kalupur ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અજીબોગરીબ કેસમાં રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લાના રહેવાસી ઇન્દ્રરાજ ચુનીલાલ મેઘવાલ (ઉંમર 35) નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. તે ગુમ થયેલા બાળકનું નાટક કરીને દુઃખી માતા-પિતાને ફસાવતો હતો અને મફતમાં આશરો મેળવતો હતો. તેમણે બાળપણમાં અપહરણ કરાયું હોવાની કથા સંભળાવીને પરિવારોને વિશ્વાસમાં લેતો અને 3-4 મહિના રહ્યા પછી પછી ઓળખ ખુલી જવાની સ્થિતિ ઉભી થતી ત્યારે તે પહેલાં ફરાર થઈ જતો હતો. આ કેસમાં તેમણે ચોરી નહીં કરી હોવાનું પોલીસે જણાવ્યું છે, પરંતુ ખોટી માહિતી આપીને છેતરપિંડી કરી હતી. આવા કેસો ગઝીયાબાદ દેહરાદૂન અને રાજસ્થાનમાં પણ બન્યા છે.

 કિડનેપિંગની સ્ટોરી બનાવીને છેતરપિંડી

Advertisement

ઇન્દ્રરાજ મેઘવાલે પોતાના માતા-પિતાનું મૃત્યુ 8 વર્ષની ઉંમરે થયું હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, "કેટલાક દિવસો સુધી રોજનું મજૂરી કરી પછી આવી ખોટી કથાઓ બનાવીને આશરો મેળવવાનું શરૂ કર્યું." તેમની મોડસ ઓપરેન્ડીમાં 25-30 વર્ષ પહેલાં અજ્ઞાત ટ્રક ડ્રાઇવર દ્વારા હરિયાણા લઈ જવામાં આવ્યો હોવાની કથા હતી, જ્યાં તેણે ગાયોના ફાર્મમાં કામ કર્યું હતું અને પોતાના માતા-પિતાનું યાદ નથી. આ કથા સાંભળીને ગુમ બાળકોના માતા-પિતા તેને પોતાનો દીકરો સમજીને અપનાવી લેતા હતા.

Advertisement

આ પણ વાંચો-  રાજકોટ: ગોંડલમાં ‘ભૂલકા મેળો’ યોજાયો; 72 પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન

સુરત દંપત્તિને પોતાની જાળમાં ફસાવી

અમદાવાદમાં તેમણે બે અઠવાડિયા પહેલાં કાલુપુર પોલીસ સ્ટેશનમાં હાથલખાણી નોંધ કરી હતી, જેમાં તેમની તસવીરો સોશિયલ મીડિયા પર મોકલવામાં આવી હતી. સુરતની રહેવાસી પુષ્પા સુર્યવંશી (આગળથી ન્યુ રણિપ, અમદાવાદની)એ તેને પોતાના 25 વર્ષથી ગુમ દીકરો તરીકે ઓળખ આપી હતી. તેમણે કહ્યું કે, "જ્યારે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તું મારી માતા છે અને મને ઘરે લઈ જા." સુરતથી આવેલા દંપતી તેને લેવા આવ્યા હતા, પરંતુ તેમનો ભાંડો ફૂટી ગયો હતો. આ અંગે પોલીસે કહ્યું છે કે, "અમે DNA ટેસ્ટ કરવા તૈયારી કરી રહ્યા છીએ કે તે પુષ્પા સુર્યવંશીનો ગુમ દીકરો છે કે નહીં."

અન્ય શહેરોમાં પણ આવું બન્યું

રાજસ્થાનમાં ત્રણ પરિવારો, ગઝીયાબાદ અને દેહરાદૂનમાં એક-એક પરિવાર સાથે 3-4 મહિના રહીને ફરાર થયો. તેમનો હેતુ ઘરમાં રહેવું, નોકરી ન કરવી અને પરિવાર મેળવવાનો હતો. તેમણે કહ્યું કે, "ઘરમાંથી પૈસા, દાગીના કે કિંમતી વસ્તુઓ લઈને નથી ફરાર થતો, પરંતુ ઓળખ ખુલે તે પહેલાં જતો રહે છે."

FIR નોંધીને આગળની કાર્યવાહી

કાલુપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.આર. વાઘેલાએ FIR નોંધીને આગળની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી છે. જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 212 (ખોટી માહિતી આપવી), 319(2) અને 336(3) (નકલી ડોક્યુમેન્ટ) હેઠળ કેસ નોંધાયો છે. સોશિયલ મીડિયા પર તેમની રીલ જોઈને ગઝીયાબાદની સહીબાબાદ પોલીસે કાલુપુર પોલીસને આલર્ટ કર્યા છે. જેમાં ડિસેમ્બર 2024માં ત્યાં પણ આવું બન્યું હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો- Vadodara : લાલબાગ બ્રિજ પર બુલેટનો અકસ્માત, ચાલક ઉપરથી નીચે પટકાતા મોત

Tags :
Advertisement

.

×