Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

"....તો પાટીદારોના રાજકારણનો અંત આવશે" ભાજપ નેતા Varunbhai Patel એ નિસાસો નાખ્યો, Alpeshbhai Kathiria નું સમર્થન

પાટીદાર અગ્રણી અને ભાજપ નેતા વરુણભાઈ પટેલે (Varunbhai Patel) સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે જેના કારણે ફરી એક વાર EWS મુદ્દે રાજકારણ ગરમાયું છે. વરુણભાઈ પટેલે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'EWS નહીં મળે તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે’ ત્યારે વરુણ પટેલના નિવેદનને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ સમર્થન આપ્યું છે.
     તો પાટીદારોના રાજકારણનો અંત આવશે  ભાજપ નેતા varunbhai patel એ નિસાસો નાખ્યો   alpeshbhai kathiria નું સમર્થન
Advertisement
  • ભાજપના પાટીદાર નેતા વરુણભાઈ પટેલે (Varunbhai Patel) નિસાસો નાખ્યો
  • 'EWS નહીં મળે તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે’
  • વરુણ પટેલના નિવેદનને પાટીદાર નેતા અલ્પેશભાઈ કથીરિયાનું સમર્થન
  • પાટીદારો સહિત અન્ય સમાજ ને EWS મળવું જોઈએ:અલ્પેશભાઈ કથીરિયા 
  • ભાજપમાં અગ્રણી અને પાટીદાર નેતા વરુણભાઈ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટ

Surat:  ગુજરાતમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના 10 ટકા અનામતનો લાભ પાટીદાર સમાજને નહીં મળે તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાટીદારોનું રાજકીય અસ્તિત્વ જોખમમાં મુકાશે અને તેમના રાજકારણનો અંત આવી જશે, એવો ગંભીર દાવો ભાજપના પ્રભાવશાળી પાટીદાર નેતા તથા પાટીદાર અનામત આંદોલનના અગ્રણી વરુણભાઈ પટેલે (Varunbhai Patel) કર્યો છે. આ નિવેદનને પાટીદાર સમાજના અન્ય નેતા અલ્પેશભાઈ કથીરિયાએ પૂરેપૂરું સમર્થન આપ્યું છે.

પાટીદાર અગ્રણી વરુણભાઈ પટેલની (Varunbhai Patel) પોસ્ટથી રાજકારણ ગરમાયું

મળતી માહિતી મુજબ પાટીદાર અગ્રણી વરુણભાઈ પટેલે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, “તાજેતરમાં મહેસાણાની દૂધસાગર ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ડેરીના મતદારોના લિસ્ટ પ્રમાણે પાટીદારોના પ્રતિનિધિત્વ ઉપર કાતર ફેરવવામાં આવી છે. આ સહકારી ક્ષેત્રે પાટીદારોનો રાજકીય રકાશ છે.વરુણ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે, જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ પહેલાં ઇડબલ્યુએસ લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારોના રાજકીય પતનની શરૂઆત થઈ જશે ,દૂરબિન લઈને જોશો તોય ક્યાંય નહીં દેખાય,આવું દેખીતી રીતે રાજકીય અનબેલેન્સ સર્જાશે તો દરેક સમાજમાં આક્રોશ જોવા મળશે.”

Advertisement

Advertisement

 વરુણભાઈ પટેલને અલ્પેશભાઈ કથીરિયાનું સમર્થન

વરુણભાઈ પટેલના આ નિવેદનને પાટીદાર નેતા અલ્પેશભાઈ કથીરિયાએ સમર્થન આપતાં કહ્યું કે, “પાટીદારો સહિત અન્ય સમાજને પણ EWSનો લાભ મળવો જોઈએ. આ મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી છે. EWS લાગુ થાય તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાટીદાર સમાજને મોટો ફાયદો થશે.”

 રાજકારણમાં ગરમાવો

આ મુદ્દો હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે, કારણ કે પાટીદાર સમાજ ગુજરાતમાં ભાજપનો મજબૂત પાયો ગણાય છે અને EWSના અમલીકરણનો મુદ્દો સીધો સમાજના રાજકીય પ્રતિનિધિત્વ સાથે જોડાયેલો છે. આવનારા દિવસોમાં આ મુદ્દે પાટીદાર સમાજ શું કરે છે તે જોવું રહ્યું...

આ પણ વાંચો:  Mehsana: મહેસાણા દૂધસાગર ડેરીમાં સત્તાના સોગઠા ગોઠવાયા

Tags :
Advertisement

.

×