Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : ઠાકોર સેનાની મોટી બેઠક, અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2025નો રોડ મેપ નક્કી

Gandhinagar : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સક્રિય, વ્યસનમુક્તિ, શિક્ષણ અને રાજકીય પ્રતિનિધિત્વ પર ફોકસ
gandhinagar   ઠાકોર સેનાની મોટી બેઠક  અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2025નો રોડ મેપ નક્કી
Advertisement
  • Gandhinagar માં ઠાકોર સેનાની મોટી બેઠક : અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2025નો રોડ મેપ નક્કી
  • ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સક્રિય: વ્યસનમુક્તિ, શિક્ષણ અને રાજકીય પ્રતિનિધિત્વ પર ફોકસ
  • અલ્પેશ ઠાકોરની નેતૃત્વમાં ઠાકોર સેનાનો રોડ મેપ: 1000 સ્વયંસેવકો સાથે ગાંધીનગરમાં બેઠક
  • ધવલસિંહ ઝાલાનું નિવેદન: ઠાકોર સેના ગામડાઓમાં જાગૃતિ લાવશે, કુરિવાજો દૂર કરશે
  • ગુજરાત રાજનીતિમાં નવો રંગ: ઠાકોર સેના 2025 માટે રણનીતિ ઘડશે, સરકારમાં પ્રતિનિધિત્વની માંગ

Gandhinagar : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને ફરી એકવાર સક્રિય કરવા માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં સેનાના પ્રમુખ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાની હેઠળ રાજ્યભરમાંથી 500થી વધુ હોદ્દેદારો અને 1000થી વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ ઠાકોર સેનાના આગામી એક વર્ષના કાર્યક્રમો અને રણનીતિનો રોડ મેપ નક્કી કરવાનો હતો, જેમાં સામાજિક સુધારણા, વ્યસનમુક્તિ અને રાજકીય પ્રતિનિધિત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Gandhinagar માં ઠાકોર સેનાનો રોડ મેપ : સામાજિક અને રાજકીય એજન્ડા

Advertisement

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપ-પ્રમુખ અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બેઠકમાં જણાવ્યું કે, “આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, પરંતુ સમાજને જાગૃત કરવાનો અને કુરિવાજો દૂર કરવાનો પ્રયાસ છે. અમે ગામડાઓમાં જઈને ઠાકોર સમાજને એકજૂટ કરીશું અને આગામી એક વર્ષ માટે રોડ મેપ તૈયાર કરીશું.” ધવલસિંહ ઝાલાએ ભારપૂર્વક જણાવ્યું કે ઠાકોર સેનાનો હેતુ સમાજના સર્વાંગી વિકાસ અને રાજકીય પ્રતિનિધિત્વ મેળવવાનો છે.

Advertisement

બેઠકમાં નીચેના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

1. વ્યસનમુક્તિ અભિયાન : ઠાકોર સમાજ દ્વારા દારૂના વેચાણ અને સેવન પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દારૂ પીનારા કે વેચનારને 11,000 રૂપિયાનો દંડ અને સમાજમાંથી બહિષ્કારની સજા નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો- PM Modi Gujarat : સમુદ્રથી સમૃદ્ધિની દિશા નક્કી કરવાનું કેન્દ્ર ભાવનગર

2. શિક્ષણ અને સ્વરોજગાર : મહિલા સ્વરોજગારી અને દીકરીઓના શિક્ષણનું સ્તર સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાની યોજના પણ ચર્ચા કરવામાં આવી હતી.

3. સમૂહ લગ્ન અને પહેરામણી પ્રથાનો અંત : સમાજે વર્ષમાં બે વાર સમૂહ લગ્નનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જાન્યુઆરી 2026માં 21 દીકરીઓના કન્યાદાન માટે માત્ર 1 રૂપિયાની ટોકન ફી લેવામાં આવશે. ઉપરાંત, પહેરામણી પ્રથાને નાબૂદ કરીને માત્ર 11 રૂપિયાની પહેરામણી લેવાની અપીલ કરવામાં આવ્યું છે.

4. આર્થિક સહાય : જરૂરિયાતમંદ પરિવારોને 21,000 રૂપિયાની આર્થિક સહાય અને યુવાનોને વ્યવસાય શરૂ કરવા માટે સમાજ તરફથી મદદ આપવાનો નિર્ણય લેવાયો છે.

5. રાજકીય પ્રતિનિધિત્વ : ઠાકોર સેનાના ઉપ-પ્રમુખ ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે, “દરેક સમાજની ઈચ્છા હોય છે કે તેમના નેતાઓ મંત્રી બને. અમારી આશા છે કે ઠાકોર સમાજના નેતૃત્વને સરકારમાં યોગ્ય સ્થાન મળે.” ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક સમયથી ઠાકોર સેના રાજકીય રીતે સંગઠિત થઈને પોતાની માંગણીઓને વધુ અસરકારક રીતે રજૂ કરી રહ્યો છે, પરંતુ હજું પણ તેમાં સુધારા કરીને રાજકીય રીતે સમાજની ભૂમિકા વધારવા અને સમાજને આર્થિક રીતે મજબૂત બનાવવા તરફ પ્રયાણ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Rain in Gujarat : અમદાવાદમાં મેઘરાજાની ધબધબાટી, ગરબા આયોજકો- ખેલૈયાઓની ચિંતા વધી!

ઠાકોર સેનાની ભૂમિકા

ગુજરાતની રાજનીતિમાં ઠાકોર સમાજ એક મહત્વપૂર્ણ વોટ બેન્ક ધરાવે છે, અને ઠાકોર સેનાએ ભૂતકાળમાં અનામત, વ્યસનમુક્તિ અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર આંદોલનો કરીને રાજકીય સમીકરણોને અસર કરી છે. અલ્પેશ ઠાકોરે 2017માં કોંગ્રેસમાંથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ 2019માં તેઓ ભાજપમાં જોડાયા હતા. તેમના ભાજપમાં જોડાયા બાદ ઠાકોર સેનાની પ્રવૃત્તિઓ ઓછી થઈ હતી, પરંતુ હવે આ બેઠક દ્વારા સેનાને ફરીથી સક્રિય કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.

અલ્પેશ ઠાકોરની રણનીતિ

અલ્પેશ ઠાકોરે આ બેઠક દ્વારા ઠાકોર સેનાને રાજકીય અને સામાજિક રીતે મજબૂત કરવાની દિશામાં પગલાં ભર્યા છે. તેઓ આગામી મહિનાથી ગુજરાતના તમામ તાલુકાઓમાં સ્નેહસંવાદ યાત્રા શરૂ કરવાની યોજના બનાવી રહ્યાં છે, જેનો હેતુ સમાજની એકતા જાળવવી અને યુવાનોને સંગઠિત કરવાનો છે. આ ઉપરાંત, ઠાકોર સેના દારૂબંધીના ચુસ્ત અમલ માટે સરકાર પર દબાણ બનાવવાની તૈયારીમાં છે, જેના ભાગરૂપે 6 ઓક્ટોબરે ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે.

ધવલસિંહ ઝાલાનું નિવેદન

ધવલસિંહ ઝાલાએ ભારપૂર્વક જણાવ્યું કે, “અમે ગામડાઓમાં જઈને સમાજને જાગૃત કરીશું અને કુરિવાજો જેવા કે પહેરામણી પ્રથા અને વ્યસનોને દૂર કરવા માટે કામ કરીશું. અમારો હેતુ ઠાકોર સમાજને એક મંચ પર લાવવાનો અને તેમના હક્કો માટે લડવાનો છે.” તેમણે એમ પણ કહ્યું કે, ઠાકોર સેનાને સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ, જેના માટે સંગઠન રાજકીય રીતે સક્રિય રહેશે.

ઠાકોર સેનાની આ સક્રિયતા ગુજરાતની રાજનીતિમાં નવો રંગ લાવી શકે છે, ખાસ કરીને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને. ઠાકોર સમાજની વોટ બેન્ક રાજકીય પક્ષો માટે મહત્વની છે. આ બેઠક બાદ સેના કયા પક્ષને ટેકો આપે છે કે સ્વતંત્ર રીતે ચૂંટણી લડે છે, તે રાજકીય નિરીક્ષકો માટે રસપ્રદ રહેશે. ભૂતકાળમાં અલ્પેશ ઠાકોરે ઠાકોર સેના દ્વારા આંદોલનો કરીને સરકાર પર દબાણ બનાવ્યું હતું. આ બેઠક તેમની રાજકીય શક્તિને ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ માનવામાં આવે છે.

તો બીજી તરફ એક ચર્ચા એવી પણ છે કે, ઠાકોર સેના થકી એકમાત્ર બીજેપીને ફાયદો કરાવવામાં આવી શકે છે. તે ઉપરાંત અલપેશ ઠાકોર પણ પોતાની રાજકીય પૃષ્ઠભૂમિને મજબૂત કરવા માટે સમાજના યુવાઓનો ખભા ઉપર પગ બીજેપીમાં પોતાના સ્થાનને મજબૂત બનાવી શકે છે. ઉલ્લેખનિય છે કે, પહેલા પણ સમાજે અલ્પેશ ઠાકોરને ચૂંટીને પોતાના કામો કરવા માટે ગાંધીનગર મોકલ્યા હતા. પરંતુ તેઓ સમાજને ભૂલી બેઠા અને પક્ષપલટો કરીને પોતાની રાજકીય કારકિર્દી ઉપર વધારે ધ્યાન આપ્યું હતું.

આ પણ વાંચો- Banaskantha : સર્વ સમાજ દ્વારા પ્રેમ લગ્ન અને મૈત્રી કરાર સામે વિરોધ, CMને નવા નિયમો માટે આવેદનપત્ર

Tags :
Advertisement

.

×