ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Waqf Amendment Act : વકફ સુધારા કાયદા પર 'સુપ્રીમ' સુનાવણી 15 મેના રોજ થશે, જાણો કેન્દ્રના સોગંદનામામાં શું હતું?

વકફ સુધારા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પાંચ અરજીઓ દાખલ કરવામાં આવી
02:53 PM May 05, 2025 IST | SANJAY
વકફ સુધારા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પાંચ અરજીઓ દાખલ કરવામાં આવી
Supreme Court, Waqf Amendment Act, India, GujaratFirst

સોમવારે સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા બિલ પર ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે સુનાવણી કરી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને આગામી અઠવાડિયા સુધી સુનાવણી મુલતવી રાખવા વિનંતી કરી છે. તેમની માંગ પર, બેન્ચે આ મામલાની સુનાવણી 15 મે સુધી મુલતવી રાખી છે. વક્ફ સુધારા કાયદાની બંધારણીય માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.

મુસ્લિમ સમુદાય આ કાયદાનો વિરોધ કરી રહ્યો છે

મુસ્લિમ સમુદાય આ કાયદાનો વિરોધ કરી રહ્યો છે. સુનાવણીને લઈને પોલીસ અને વહીવટીતંત્ર પણ સતર્ક સ્થિતિમાં હતું. અગાઉ, સુપ્રીમ કોર્ટે 17 એપ્રિલે આ કેસની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો પક્ષ રજૂ કરવા અને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપ્યો હતો. આ ઉપરાંત, કેસની આગામી સુનાવણી સુધી વક્ફ બોર્ડમાં નવી નિમણૂકો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સોગંદનામામાં શું ખાસ હતું?

કેન્દ્ર સરકારે 25 એપ્રિલે એક સોગંદનામું દાખલ કર્યું જેમાં કહેવામાં આવ્યું કે આ કાયદો સંપૂર્ણપણે બંધારણીય છે. સંસદે કાયદો પસાર કર્યો છે, જેને રોકવો જોઈએ નહીં. આ ઉપરાંત, સરકારે દાવો કર્યો હતો કે 2013 થી, વકફ મિલકતોમાં 20 લાખ એકરથી વધુનો વધારો થયો છે. સરકારી અને ખાનગી જમીન અંગે ઘણી વખત વિવાદો ઉભા થયા છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) દ્વારા આ સરકારી આંકડાઓને ખોટા ગણાવવામાં આવ્યા હતા. બોર્ડે કહ્યું હતું કે કોર્ટમાં ખોટું સોગંદનામું આપનાર અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ.

વકફ સુધારા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પાંચ અરજીઓ દાખલ કરવામાં આવી

વકફ સુધારા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પાંચ અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીની અરજી પણ સામેલ છે. કોર્ટે અરજીઓ પર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો અને જવાબ દાખલ કરવા માટે સમય પણ આપ્યો હતો. લઘુમતી બાબતોના મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં1332 પાનાનું સોગંદનામું દાખલ કર્યું હતું. કહેવામાં આવ્યું હતું કે વકફ મિલકતોની નોંધણી વર્ષ 1923 થી ફરજિયાત બનાવવામાં આવી છે. સરકારે કહ્યું હતું કે વકફ (સુધારો) અધિનિયમ 2025 મુસ્લિમોની ધાર્મિક પ્રથાઓનું સન્માન કરે છે.

આ પણ વાંચો : Pahalgam Attack : 'અમે ઘરડા થયા પણ અમારી ખુંમારી ઘરડી નથી થઈ' : ખમીરવંતી મહિલાઓનો એકસૂરે હુંકાર

Tags :
GujaratFirstIndiaSupreme CourtWaqf Amendment Act
Next Article