ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદના નરોડાગામમાં જન્માષ્ટમીનો પરંપરાગત આઠમનો મેળો, ગોલ્ડન ટેમ્પલે ભક્તોની ભીડ

નરોડાગામમાં રણછોડજીનો જલવો: આઠમના મેળામાં હજારો ભક્તો ઉમટ્યા
08:33 PM Aug 16, 2025 IST | Mujahid Tunvar
નરોડાગામમાં રણછોડજીનો જલવો: આઠમના મેળામાં હજારો ભક્તો ઉમટ્યા

અમદાવાદના નરોડાગામમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે પરંપરાગત આઠમનો મેળો યોજાયો, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. નરોડાગામનો આ મેળો દર વર્ષે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીનો અભિન્ન હિસ્સો રહ્યો છે. આ વર્ષે પણ રણછોડજી ગોલ્ડન ટેમ્પલ આ મેળાનું મુખ્ય આકર્ષણ રહ્યું. ભક્તો અને મેળાની મજા માણવા આવેલા લોકોએ “જય રણછોડ, માખણચોર”ના નાદથી આખો વિસ્તાર ગુંજાવી દીધો.

રણછોડજી ગોલ્ડન ટેમ્પલનું આકર્ષણ

નરોડાગામનું રણછોડજી ગોલ્ડન ટેમ્પલ આઠમના મેળાનું પ્રતીક છે, જ્યાં ભગવાન કૃષ્ણના રણછોડ રૂપની પૂજા થાય છે. આ વર્ષે મંદિરે કુરુક્ષેત્રની થીમ પર આધારિત ખાસ શણગાર કરવામાં આવ્યો, જેમાં જીવંત પાત્રોએ મહાભારતના પાત્રોની વેશભૂષા ધારણ કરીને ભૂમિકાઓ ભજવી. આ દૃશ્યએ ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા અને મંદિરમાં દર્શન માટે ભાવિ ભક્તોની લાંબી કતારો જોવા મળી. રણછોડજીના દર્શન માટે નરોડા અને આસપાસના ગામોમાંથી હજારો ભક્તો ઉમટી પડ્યા, જે આ મંદિરની આસ્થા અને મહત્વને દર્શાવે છે.

આ પણ વાંચો- યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમીનો ઉત્સાહ, રણછોડજીના દર્શન માટે ભક્તોની ભીડ

આઠમના મેળાનો ઉત્સાહ

નરોડાગામનો આઠમનો મેળો એક પરંપરાગત અને સાંસ્કૃતિક ઉત્સવ છે, જે નરોડા અને તેની આસપાસના ગામોના લોકો માટે ખાસ મહત્વ ધરાવે છે. આ મેળામાં ફેરિયાઓ, રમકડાંની દુકાનો, ખાણીપીણીના સ્ટોલ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો અને યુવાનો મેળાની મજા માણવા માટે ઉત્સાહથી ઉમટ્યા, જ્યારે વડીલો રણછોડજીના દર્શન અને ભક્તિમય કાર્યક્રમોમાં જોડાયા હતા.

નરોડાગામનો આઠમનો મેળો દાયકાઓથી ચાલતી પરંપરા છે, જે નરોડાની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખને જાળવી રાખે છે. આ મેળો નરોડા અને આસપાસના ગામોના લોકોને એકઠા કરે છે. ભગવાન કૃષ્ણની ભક્તિની સાથે સામાજિક એકતાનું પણ પ્રતીક છે. મેળામાં ગામના લોકો, ખાસ કરીને યુવાનો ઉત્સાહથી ભાગ લે છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ગામની પરંપરાઓને જીવંત રાખે છે. આજના આધુનિક યુગમાં પણ આ મેળાનું મહત્વ અનેરું રહ્યું છે, અને તે નરોડાગામની શાન બની રહે છે.

આઠમના મેળામાં ઉમટેલી ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રે અને મંદિર ટ્રસ્ટે વ્યાપક વ્યવસ્થા કરી હતી. ભક્તોની સલામતી અને સુવિધા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મેળાના સ્ટોલ્સ અને દર્શનની લાઈનોને નિયંત્રિત કરવા માટે વધારાનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મંદિર પરિસરમાં સ્વચ્છતા અને પાણીની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી, જેથી ભક્તોને કોઈ અગવડ ન પડે.

આ પણ વાંચો-સુરત : વાગડના દહી હાંડી કાર્યક્રમમાં પહોંચ્યા પાટીલ, યુવાનોની પિરામિડને લઈને આપ્યો મોટો સંદેશ

Tags :
#Janmashtami2025#NarodaAathamMela#RanchhodjiGoldenTempleAhmedabadNews
Next Article