Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમરેલીના તોફાની દરિયામાં બે બોટ ડૂબી, 10 માછીમારો બચાવાયા, 8 લાપતા, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

અમરેલી : જાફરાબાદમાં દરિયાઈ તોફાને બે બોટ ગળી, 8 માછીમારોની શોધખોળ ચાલુ
અમરેલીના તોફાની દરિયામાં બે બોટ ડૂબી  10 માછીમારો બચાવાયા  8 લાપતા  રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Advertisement
  • અમરેલીના તોફાની દરિયામાં બે બોટ ડૂબી, 10 માછીમારો બચાવાયા, 8 લાપતા
  • જાફરાબાદમાં દરિયાઈ તોફાને બે બોટ ગળી, 8 માછીમારોની શોધખોળ ચાલુ
  • અમરેલીના દરિયામાં ભયંકર તોફાન, 10 માછીમારો બચ્યા, 8 ગુમ
  • જયશ્રી અને મુરલીધર બોટ ડૂબી, કોસ્ટગાર્ડનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
  • અમરેલીના માછીમારો પર આફત, બે બોટ ડૂબતાં 8 લાપતા, રેસ્ક્યૂ ચાલુ

અમરેલી : અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે ભારે પવન અને વરસાદે દરિયાને તોફાની બનાવ્યો જેના કારણે જાફરાબાદથી 18 નોટિકલ માઈલ દૂર બે માછીમારી બોટ જાફરાબાદની જયશ્રી તાત્કાલિક અને ગીર સોમનાથના રાજપરાની મુરલીધર ડૂબી ગઈ છે. આ બોટમાં કુલ 18 માછીમારો સવાર હતા, જેમાંથી 10ને અન્ય બોટ ધારકોએ બચાવી લીધા, પરંતુ 8 માછીમારો હજુ લાપતા છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચિંતા ફેલાવી છે, અને ખરાબ હવામાને રેસ્ક્યૂ ઓપરેશનને વધુ જટિલ બનાવ્યું છે.

દરિયામાં જોવા મળ્યો કરંટ

જાફરાબાદ અને રાજપરાની આ બે બોટ દરિયામાં માછીમારી માટે ગઈ હતી, પરંતુ ભારે પવન અને વરસાદના કારણે તોફાની દરિયામાં ફસાઈ ગઈ. બંને બોટમાં નવ-નવ માછીમારો હતા. જયશ્રી તાત્કાલિક બોટમાંથી 5 માછીમારોને બચાવવામાં આવ્યા, જેમાંથી 2 ઈજાગ્રસ્ત છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાકીના 8 માછીમારોની શોધખોળ માટે પીપાવાવ કોસ્ટગાર્ડ, ફિશરીઝ વિભાગ અને સ્થાનિક માછીમારો દ્વારા સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

Advertisement

ખરાબ હવામાન અને તોફાની દરિયાને કારણે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચી શક્યું નથી, જેના લીધે રેસ્ક્યૂ ઓપરેશન બોટ દ્વારા જ હાથ ધરવામાં આવી રહ્યું છે. વાયરલેસ દ્વારા માહિતીની આપ-લે ચાલુ છે, અને અન્ય માછીમારો પણ લાપતા સાથીઓને શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો-જીવલેણ સાબિત થઈ બીડી; નિકોલમાં બીડી પીવા બાબતે મર્ડર

10 લોકોને બચાવી લેવાયા તો 8ની શોધખોળ

જાફરાબાદ કોળી સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ હમીર સોલંકીએ જણાવ્યું, “બે બોટ ડૂબી ગઈ છે, જેમાંથી 10 માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. બાકીના માછીમારોને શોધવા માટે અમારા બોટ ધારકો દ્વારા શોધખોળ ચાલુ છે. અમે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ.” જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ ઉમેર્યું, “હાલ વાતાવરણ ખૂબ ખરાબ છે, અને ભારે પવન તેમજ વરસાદે દરિયામાં સ્થિતિ વધુ બગડી છે. તમામ બોટને પરત બોલાવવામાં આવી રહી છે.”

રાજુલા પ્રાંત અધિકારી મેહુલ બરાસરાએ જણાવ્યું, “ખરાબ હવામાનને કારણે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ઘટનાસ્થળે જઈ શકે તેમ નથી. હાલ બોટ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે, અને અમે લાપતા માછીમારોને શોધવા માટે પૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ.”

હવામાન વિભાગે દરિયો ન ખેડવા આપી સૂચના

હવામાન વિભાગે અમરેલી, ગીર સોમનાથ, અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનની ચેતવણી જારી કરી છે. આ ઘટના દરમિયાન દરિયામાં 50-60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે બોટ ડૂબવાની ઘટના બની. હવામાન વિભાગે 24 ઓગસ્ટ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે.

આ પણ વાંચો-દલિત છો તો વાળ નહીં કાપી આપવામાં આવે સદીઓથી ચાલી આવતી પ્રથાનો અંત

Tags :
Advertisement

.

×