ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara: 'સરદાર ન હોત તો કાશ્મીરની સ્થિતિ જુદી હોત, જાણો યુનિટી માર્ચમાં LG મનોજ સિન્હાએ શું કહ્યું?

Vadodara: સરદાર@150 અંતર્ગત 'યુનિટી માર્ચ' ડભોઈ પહોંચી, જ્યાં LG મનોજ સિન્હાએ સરદાર સભામાં કહ્યું કે સરદાર પટેલે 562 રજવાડા એક કર્યા, અને જો તેઓ ન હોત તો કાશ્મીરની સ્થિતિ જુદી હોત. DyCM હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર સરદારના વિચારોને દબાવવાના ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો હતો. આ યાત્રા વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરવા માટે યોજાઈ હતી.
05:58 PM Dec 01, 2025 IST | Mahesh OD
Vadodara: સરદાર@150 અંતર્ગત 'યુનિટી માર્ચ' ડભોઈ પહોંચી, જ્યાં LG મનોજ સિન્હાએ સરદાર સભામાં કહ્યું કે સરદાર પટેલે 562 રજવાડા એક કર્યા, અને જો તેઓ ન હોત તો કાશ્મીરની સ્થિતિ જુદી હોત. DyCM હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર સરદારના વિચારોને દબાવવાના ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો હતો. આ યાત્રા વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરવા માટે યોજાઈ હતી.
Vadodara
Unity March in Vadodara:સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત 'Unity March' વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે પહોંચી હતી. જ્યાં મેનપુરા ખાતે એક ભવ્ય 'સરદાર સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા અને સભાનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર સાહેબના એકતા અને રાષ્ટ્ર નિર્માણના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો છે.

"યાત્રા વિકસિત ભારતને ગતિ આપવામાં સફળ થશે"

સરદાર સભામાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ (LG) મનોજ સિન્હા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં સરદાર પટેલના યોગદાનને યાદ કરીને કહ્યું હતું કે, "આ યુનિટી માર્ચ માત્ર એક યાત્રા નથી, પરંતુ સરદાર પટેલના સિદ્ધાંતો પર ચાલવાનો સંકલ્પ છે. આ યાત્રા આગામી 22 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં ગતિ આપવામાં સફળ સાબિત થશે." LG સિન્હાએ સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણના કાર્યને બિરદાવતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, "સરદાર પટેલે 562 રજવાડાઓને એક કરીને મજબૂત લોકતંત્રની સ્થાપના કરી. જો સરદાર પટેલ ન હોત, તો આજે કાશ્મીર અને હૈદરાબાદની સ્થિતિ સંપૂર્ણપણે જુદી હોત." તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે.

DyCM હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સભામાં યુવાનોને સંબોધતા કહ્યું કે આ યાત્રાનો મુખ્ય હેતુ સરદાર સાહેબના વિચારોને યુવાનો સુધી પહોંચાડવાનો છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના નેજા હેઠળ આ યાત્રામાં અલગ-અલગ સમાજના 150 પ્રતિનિધિઓ જોડાયા છે. DyCM સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "કોંગ્રેસે સરદાર સાહેબના વિચારોને લોકો સુધી પહોંચાડવા ન દેવા માટે ઘણા ષડયંત્રો રચ્યા હતા." તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વખાણ કરતા કહ્યું કે, "મારા જેટલા તેમજ મારા પછીના બધા લોકો નસીબદાર છે જેમને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન મળ્યા છે, જેમણે સરદાર સાહેબના યોગદાનને યોગ્ય સન્માન આપ્યું છે."

રાજકીય દિગ્ગજોની ઉપસ્થિતિ

આ ભવ્ય સરદાર સભામાં LG મનોજ સિન્હા અને DyCM હર્ષભાઈ સંઘવી ઉપરાંત ગુજરાતના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ગૃહમંત્રી જાડેજાએ આ પદયાત્રામાં જોડાઈને સરદાર સાહેબના રાષ્ટ્રભાવને વધુ મજબૂત બનાવ્યો હતો. આ યુનિટી માર્ચ ડભોઈના લોકોને એકતા અને અખંડિતતાનો સંદેશો આપીને સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

 આ પણ વાંચોઃ Bharuch: દારૂબંધીના દાવા વચ્ચે AAPનો જ વરવો ચહેરો, MLA ના નજીકના કાર્યકરના ઘરેથી દારૂ ઝડપાયો!

Tags :
attacks CongressBJPDabhoiGujarat FirstGujarat PoliticsHarsh SanghviLG Manoj SinhaSardar@150Unity MarchVadodara
Next Article