USA : અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા 8 ગુજરાતીઓ અમદાવાદ આવી પહોંચ્યા, જાણો કોણ છે તે લોકો
- 116 ભારતીયોને લઈ USA એરફોર્સની ફ્લાઇટ આવી હતી
- 8 ગુજરાતીઓ પૈકી કલોલના 2, અમદાવાદના 1, માણસા 1
- અમદાવાદ એરપોર્ટ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો
USA : અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા 8 ગુજરાતીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. જેમાં 116 ભારતીયોને લઈ USA એરફોર્સની ફ્લાઇટ આવી હતી. તેમાં 8 ગુજરાતીઓ પૈકી કલોલના 2, અમદાવાદના 1, માણસા 1 સહિત અલગ અલગ શહેરના લોકો સામેલ છે. તંત્ર દ્વારા તમામને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ છે. તથા અમદાવાદ એરપોર્ટ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે.
અમેરિકાથી વધુ 119 ભારતીય ડિપોર્ટ કરાયા
પંજાબના અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા તમામ
ડિપોર્ટ થયેલા 119 લોકોમાં 8 ગુજરાતી સામેલ
ડંકી રૂટથી અમેરિકામાં પ્રવેશતા પકડાયા હતા
અગાઉ 5 ફેબ્રુઆરીએ 104 લોકો ડિપોર્ટ થયા હતા#gujarat #america #deporte #indians #GujaratFirst pic.twitter.com/VfYf3nM2Wk— Gujarat First (@GujaratFirst) February 16, 2025
6 ફેબ્રુઆરીનાં રોજ પ્રથમ ફ્લાઇટમાં 33 ગુજરાતીઓ આવ્યા હતા
6 ફેબ્રુઆરીનાં રોજ પ્રથમ ફ્લાઇટમાં 33 ગુજરાતીઓ આવ્યા હતા. જેમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 8 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા છે તેઓ ગઈકાલે અમૃતસર ઉતર્યા હતા. ગઈકાલે મોડી રાતે 116 ગેરકાયદે ભારતીયોને બીજી ફ્લાઈટમાં અમેરિકાથી અમૃતસર ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ લોકોમાં 8 ગુજરાતી પણ સામેલ હતા. જેમને આજે સવારે અમૃતસરથી અમદાવાદ મોકલી દેવામાં આવ્યા છે. અમેરિકાએ અગાઉ ગેરકાયદે વસતાં 33 ગુજરાતીઓને પરત મોકલ્યા હતાં. જેમાં સૌથી વધુ મહેસાણામાંથી હતાં. ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની યાદી જોઇએ તો તેમાં...
1- રુદ્ર ધવલભાઈ લુહાર - કલોલ
2- ધવલભાઈ કિરીટકુમાર લુહાર - કલોલ
3- મિહિર ઠાકોર - ગુજરાત
4- ધિરજકુમાર કનુભાઈ પટેલ - અમદાવાદ
5- કેનિશ મહેશભાઈ ચૌધરી - માણસા
6- દીપકપુરી બળદેવપુરી ગોસ્વામી - ગુજરાત
7- આરોહીબેન દીપકુપરી ગોસ્વામી - ગુજરાત
8- પૂજાબેન દીપકપુરી ગોસ્વામી - ગુજરાત
All eyes will be on the U.S. aircraft which will land today in Amritsar bringing back illegal immigrants.
Will the deportees be handcuffed and their legs tied with ropes?
It is a test for Indian diplomacy
— P. Chidambaram (@PChidambaram_IN) February 15, 2025
157 ભારતીયોને લઈને ત્રીજી ફ્લાઇટ રવિવારે (16 ફેબ્રુઆરી) અમૃતસર પહોંચવાની ધારણા
આ પહેલા 5 ફેબ્રુઆરીના રોજ, 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક અમેરિકન વિમાન પણ અમૃતસરમાં ઉતર્યું હતું. તેમાંથી, હરિયાણા અને ગુજરાતના 33-33 અને પંજાબના 30 હતા. મોટાભાગના દેશનિકાલ કરાયેલા લોકોએ કહ્યું કે તેઓ તેમના પરિવારોને વધુ સારું જીવન પૂરું પાડવા માટે અમેરિકામાં સ્થાયી થવા માંગે છે. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 157 ભારતીયોને લઈને ત્રીજી ફ્લાઇટ રવિવારે (16 ફેબ્રુઆરી) અમૃતસર પહોંચવાની ધારણા છે. તેમાંથી 59 હરિયાણાના, 52 પંજાબના, 31 ગુજરાતના અને બાકીના અન્ય રાજ્યોના છે.
ડન્કી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે પકડાયા
આ બધા લોકો 'ડન્કી રૂટ'નો ઉપયોગ કરીને અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સરહદ પર પકડાયા હતા. વાયરલ થયેલા એક વીડિયોમાં, અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સના પહેલા જૂથને બેડીઓથી બાંધેલા જોવા મળ્યા. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ સાથેના આ દુર્વ્યવહાર અંગે વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં વિપક્ષને ખાતરી આપી હતી કે ભારત સરકાર ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે જેથી ખાતરી કરી શકાય કે અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા ભારતીયો સાથે કોઈપણ રીતે દુર્વ્યવહાર ન થાય. એસ. જયશંકરે પુષ્ટિ આપી હતી કે મહિલાઓ અને બાળકો સિવાયના પુરૂષ દેશનિકાલ કરાયેલા લોકોને હાથકડી અને સાંકળથી બાંધવામાં આવ્યા હતા. વિદેશ મંત્રીએ કહ્યું કે ફ્લાઇટ દરમિયાન તમામ ડિપોર્ટેડ લોકોને ખોરાક અને દવા આપવામાં આવી હતી.
આ પણ વાંચો: USA થી દેશનિકાલ કરાયેલા 120 ભારતીયોની બીજી ફ્લાઇટ અમૃતસર પહોંચી


