VADODARA : પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાથી ગંભીરા બ્રિજ તૂટ્યો - ઋષીકેશ પટેલ
- ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસે રાજ્ય સરકારના મંત્રી પહોંચ્યા
- અત્યાર સુધીમાં 18 લોકોના મૃતદેહો રીકવર કરવામાં આવ્યા છે
- હજુ પણ જે પગલાં લેવા પડશે, એ પગલાં રાજ્ય સરકાર ચોક્કસ લેશે - ઋષીકેશ પટેલ
VADODARA : વડોદરા જિલ્લાના પાદરા (VADODARA - PADRA) તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી (GAMBHIRA BRIDGE COLLAPSE) પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે (GUJARAT HEALTH MINISTER - RUSHIKESH PATEL) આજે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના (CM BHUPENDRA PATEL) આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા આવી છે અને આ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે આ બ્રિજ તૂટી પડ્યો હોવાનું નોંધાયું છે.
Rishikesh Patel Visits Gambhira Bridge : કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ગંભીરા બ્રિજની મુલાકાતે | Gujarat First
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ગંભીરા બ્રિજની મુલાકાતે
ગંભીરા બ્રિજ પર હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો
મંત્રી ઋષિકેશ પટેલે રેસ્ક્યુ કામગીરીનું કર્યું નિરીક્ષણ
દુર્ઘટના સ્થળની… pic.twitter.com/2F5MqN6yd6— Gujarat First (@GujaratFirst) July 11, 2025
તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સોંપવામાં આવશે
માધ્યમો સાથે વાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, માર્ગ અને મકાન વિભાગની આ સમિતિ દ્વારા ૩૦ દિવસમાં વિસ્તૃત અહેવાલ આપવામાં આવશે. તેના ટેકનિકલ અને વહીવટી કારણો સાથેનો તપાસ અહેવાલ મુખ્યમંત્રી ને સોંપવામાં આવશે. બાદમાં તેના આધારે અન્ય નિર્ણયો લેવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં પણ બેદરકારી ધ્યાને આવી, એ માટેના જવાબદાર માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને રાજ્ય સરકારે ફરજ મોકૂફી હેઠળ મૂક્યા છે. હજુ પણ જે પગલાં લેવા પડશે, એ પગલાં રાજ્ય સરકાર ચોક્કસ લેશે.
તંત્રએ ત્વરિત અને સંવેદના સાથે કામગીરી કરી
તેમણે જણાવ્યું કે. હાલમાં બ્રિજ દુર્ઘટનામાં શોધખોળ કામગીરી અંતિમ તબક્કામાં છે. અંદર પડેલા વાહનો બહાર કાઢવામાં આવ્યા છે. હતભાગીઓનાં મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. સમગ્ર તંત્રએ ત્વરિત અને સંવેદના સાથે કામગીરી કરી છે. તેમણે મીડિયા સાથેની વાતમાં વધુમાં ઉમેર્યું હતું કે, રેસ્ક્યૂની કામગીરીમાં કોઇ પણ પ્રકારે ખલેલ ના પહોંચે તે માટે અહિંયા તેઓ અથવા અન્ય કોઇ મંત્રી અત્યાર સુધી આવ્યા ન્હતા. પરંતુ તેઓ આજે સ્થિતીનો તાગ મેળવવા માટે પહોંચ્યા છે.
આ પણ વાંચો ---- VADODARA : મહીસાગર નદીમાં સલ્ફ્યુરિક એસિડ ટેન્કનું જોખમ ટાળવા બ્રિજનો સ્લેબ તોડાશે


