Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ AIIMS માં દાખલ, છાતીમાં દુખાવો અને બેચેનીની ફરિયાદ, ડોક્ટરોએ આપ્યા સ્વાસ્થ્ય અપડેટ

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ ડૉ. રાજીવ નારંગની દેખરેખમાં CCUમાં સારવાર હાલમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત સ્થિરઃ સૂત્ર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (73 વર્ષ) ને રવિવારે સવારે AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની હાલત સ્થિર છે. સૂત્રોએ જણાવ્યું...
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ aiims માં દાખલ  છાતીમાં દુખાવો અને બેચેનીની ફરિયાદ  ડોક્ટરોએ આપ્યા સ્વાસ્થ્ય અપડેટ
Advertisement
  • દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ
  • ડૉ. રાજીવ નારંગની દેખરેખમાં CCUમાં સારવાર
  • હાલમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત સ્થિરઃ સૂત્ર

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (73 વર્ષ) ને રવિવારે સવારે AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની હાલત સ્થિર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ધનખડને રાત્રે 2 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Advertisement

ડોક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે

ડોક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. ધનખડને એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ ક્રિટિકલ કેર યુનિટ (CCU) માં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ઉપરાષ્ટ્રપતિની હાલત સ્થિર છે અને તેમને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ ધનખરને એઇમ્સમાં દાખલ કર્યા પછી તરત જ તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને એઇમ્સ પહોંચ્યા છે.

Advertisement

આ પણ વાંચો: BAPS Temple : અમેરિકામાં ફરી હિન્દુ મંદિર પર હુમલો, કેલિફોર્નિયામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારત વિરોધી સૂત્રો લખ્યા

Tags :
Advertisement

.

×