ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Modi-Xi meeting : ભારત અને ચીને પોત-પોતાના નિવેદનમાં શું કહ્યું? પરંતુ ન મળ્યા વિપક્ષના પ્રશ્નોના જવાબ

Modi-Xi meeting : ભારત-ચીન સંબંધોમાં નવો અધ્યાય, વિપક્ષે ઉઠાવ્યા ડમ્પિંગ અને જમીનના સવાલ
11:39 PM Aug 31, 2025 IST | Mujahid Tunvar
Modi-Xi meeting : ભારત-ચીન સંબંધોમાં નવો અધ્યાય, વિપક્ષે ઉઠાવ્યા ડમ્પિંગ અને જમીનના સવાલ

વડોદરા : ચીનના તિયાનજિનમાં યોજાયેલ શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સમિટની બાજુમાં રવિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ( Modi-Xi meeting ) વચ્ચે મહત્વની બેઠક યોજાઈ. આ બેઠકમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા સીમા પર શાંતિ જાળવવા અને વૈશ્વિક સ્થિરતા માટે સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે બેઠક બાદ એક નિવેદન જાહેર કર્યું, જેમાં બંને દેશોને વિકાસના ભાગીદાર તરીકે ગણાવ્યા જે પ્રતિસ્પર્ધી નથી.

જોકે, ભારતના વિપક્ષે આ બેઠક અંગે અનેક સવાલો ઉઠાવ્યા જેના જવાબ હજુ સુધી મળી શક્યા નથી.

ભારતનું નિવેદન ( Modi - Xi meeting )

ભારતના વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શી જિનપિંગ સાથેની બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને ચીન બંને રણનીતિક સ્વાયત્તતા (strategic autonomy) ઇચ્છે છે અને તેમના સંબંધોને કોઈ ત્રીજા દેશના દૃષ્ટિકોણથી ન જોવા જોઈએ. મોદીએ ઓક્ટોબર 2024માં કઝાન (રશિયા) ખાતે શી જિનપિંગ સાથે થયેલી બેઠકનો ઉલ્લેખ કર્યો, જે બાદ દ્વિપક્ષીય સંબંધોમાં સકારાત્મક પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું કે ભારત અને ચીન વિકાસના ભાગીદાર છે, પ્રતિસ્પર્ધી નહીં, અને તેમના મતભેદોને વિવાદમાં ફેરવવા ન જોઈએ.

સીમા શાંતિ : મોદીએ સીમા પર શાંતિ અને સ્થિરતાના મહત્વ પર ભાર મૂક્યો, ખાસ કરીને 2020ની ગલવાન ખીણની ઘટના બાદ. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે સૈન્ય પાછું ખેંચવાની પ્રક્રિયા (disengagement) બાદ સીમા પર શાંતિનું વાતાવરણ સર્જાયું છે. બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે સીમા વ્યવસ્થાપન અંગે સમજૂતી થઈ છે, અને બંને નેતાઓએ સીમા વિવાદના ન્યાયી, વાજબી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

લોકો વચ્ચે સંબંધો : બંને નેતાઓએ કૈલાસ માનસરોવર યાત્રા, પર્યટક વિઝા, વિઝા સુવિધા અને બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ્સ શરૂ કરવા પર ભાર મૂક્યો છે. મોદીએ જણાવ્યું કે આ ફ્લાઈટ્સ, જે 2020ની કોવિડ મહામારી દરમિયાન બંધ થઈ હતી, ટૂંક સમયમાં ફરી શરૂ થશે.

વેપાર અને આર્થિક સહકાર : ભારતે ઉલ્લેખ કર્યો કે બંને દેશોની અર્થવ્યવસ્થાઓ વૈશ્વિક વેપારને સ્થિર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દ્વિપક્ષીય વેપાર અને રોકાણ વધારવા તેમજ ભારતના વેપાર ખાધને ઘટાડવા માટે રણનીતિક અને રાજકીય દિશામાં આગળ વધવાની જરૂર છે. 2024-25ના આંકડા દર્શાવે છે કે ભારતે ચીનને 14.25 અબજ ડોલરની નિકાસ કરી જ્યારે ચીનથી 113.46 અબજ ડોલરની આયાત થઈ, એટલે કે વેપાર ખાધ 99.21 અબજ ડોલરની હતી.

બહુધ્રુવીય વિશ્વ : ભારતે બહુધ્રુવીય વિશ્વ અને એશિયાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેમાં પરસ્પર આદર, હિત અને સંવેદનશીલતાના આધારે સ્થિર સંબંધો બંને દેશોના 2.8 અબજ લોકોના વિકાસ અને વૈશ્વિક શાંતિ માટે જરૂરી છે.

બ્રિક્સ આમંત્રણ : મોદીએ શી જિનપિંગને 2026માં ભારતમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં આમંત્રણ આપ્યું અને શીએ ભારતની બ્રિક્સ અધ્યક્ષતા માટે સમર્થન દર્શાવ્યું.

ચીનનું નિવેદન ( Modi - Xi meeting )

ચીનની સરકારી ન્યૂઝ વેબસાઈટ ગ્લોબલ ટાઈમ્સ મુજબ, શી જિનપિંગે SCO સમિટમાં જણાવ્યું કે ભારત અને ચીન પ્રતિસ્પર્ધી નથી, પરંતુ ભાગીદાર છે, અને બંને એકબીજા માટે ખતરો નહીં, પરંતુ વિકાસની તકો છે. શીએ ભારત-ચીન રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે બંને દેશોએ રણનીતિક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી સંબંધોને જોવું જોઈએ.

ડ્રેગન અને હાથીનું જોડાણ : શીએ કહ્યું, “ચીન અને ભારત વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ અને સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છે, તેમજ ગ્લોબલ સાઉથનો ભાગ છે. દોસ્ત રહેવું, સારા પડોશી બનવું અને ડ્રેગન (ચીન) અને હાથી (ભારત)નું એકસાથે આવવું ખૂબ જરૂરી છે.”

સીમા વિવાદ : શીએ સીમા વિવાદ પર વિસ્તૃત ન બોલતાં કહ્યું કે બંને દેશોએ સીમા વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ, અને સીમા વિવાદને દ્વિપક્ષીય સંબંધોની સંપૂર્ણ તસવીર નક્કી ન કરવા દેવી જોઈએ.

રણનીતિક સંવાદ : શીએ રણનીતિક સંવાદને મજબૂત કરવા, પરસ્પર ભરોસો વધારવા, આદાન-પ્રદાન વધારવા અને બંને માટે ફાયદાકારક સહકારની હિમાયત કરી.

વિપક્ષના સવાલો

ભારતના વિપક્ષે મોદી-શી બેઠક અંગે અનેક સવાલો ઉઠાવ્યા જે ભારત-ચીન સંબંધોની જટિલતા અને ઘરેલું રાજકારણને દર્શાવે છે.

1. જયરામ રમેશ (કોંગ્રેસ)

ગલવાન ઘટના : રમેશે જણાવ્યું કે જૂન 2020માં ગલવાન ખીણમાં ચીનની આક્રમકતાને કારણે ભારતના 20 સૈનિકો શહીદ થયા પરંતુ મોદીએ ચીનને “કાયરતાપૂર્ણ ક્લીન ચિટ” આપી દીધી હતી.

2. સીમા યથાસ્થિતિ : તેમણે પૂછ્યું કે સેના પ્રમુખે લદ્દાખમાં સીમા પર યથાસ્થિતિની સંપૂર્ણ બહાલીની માગણી કરી હતી, પરંતુ આ હજુ થયું નથી. ચીનની આક્રમકતાને આમ આડકતરી રીતે વૈધતા આપવામાં આવી છે.

3. ઓપરેશન સિંદૂર : રમેશે ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સૈન્ય સંઘર્ષ દરમિયાન ચીનની પાકિસ્તાન સાથેની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો. ઉપ-સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહે આ અંગે સ્પષ્ટ રીતે બોલ્યા હતા, પરંતુ મોદી સરકારે આને ચૂપચાપ સ્વીકારી લીધું છે.

4. યારલુંગ સાંગપો ડેમ: ચીને તિબ્બતમાં વિશ્વનો સૌથી મોટો હાઈડ્રોપાવર ડેમ બનાવવાનું શરૂ કર્યું, જે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો ખાસ કરીને બ્રહ્મપુત્ર નદીના પ્રવાહ પર ગંભીર અસર કરી શકે છે. આ ડેમથી ભારત અને બાંગ્લાદેશના કરોડો લોકો અને પર્યાવરણને નુકસાન થઈ શકે છે, પરંતુ મોદી સરકારે આ અંગે એક શબ્દ પણ નથી બોલ્યો.

5. ચીની ડમ્પિંગ : ચીનથી અનિયંત્રિત ડમ્પિંગને કારણે ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગોને નુકસાન થયું છે. અન્ય દેશોએ આવા ડમ્પિંગ સામે સખત પગલાં લીધા પરંતુ ભારતે ચીની આયાતકારોને લગભગ ખુલ્લી છૂટ આપી છે.

2. અખિલેશ યાદવ (સમાજવાદી પાર્ટી)

1. બેરોજગારી અને ઉદ્યોગો : અખિલેશે જણાવ્યું કે ચીનથી આયાત થતી વસ્તુઓ પર ભારતની નિર્ભરતા વધી રહી છે, જેની ખરાબ અસર ભારતના ઉદ્યોગો, કારખાનાઓ અને દુકાનોના ઘટતા વેપાર પર પડી રહી છે, જેનાથી બેરોજગારી વધી રહી છે.

2. જમીન પર કબજો : તેમણે ચીન દ્વારા ભારતીય જમીન પર કબજાનો મુદ્દો ઉઠાવ્યો અને ભાજપ સરકાર પર આંખ બંધ રાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કટાક્ષ કરતાં પૂછ્યું કે ભાજપ સરકારના સમયે દેશની કુલ જમીન જેટલી હતી, તે હવે ચીનના કબજા બાદ ઘટી છે કે નહીં?

આ પણ વાંચો- ટ્રમ્પનું Japan પર અમેરિકન ચોખા ખરીદવાનું દબાણ : નારાજ જાપાની પ્રતિનિધિમંડળે અમેરિકા પ્રવાસ કર્યો રદ

Tags :
#BorderPeace#ModiXi#TradeDeficit#YarlungTsangpoDumpingindiachinaModi - Xi meetingSCOSummitUnemployment
Next Article