Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતનાં 'OperationSindoor' અંગે શું કહે છે PAK મીડિયા ? જાણો

આ ઓપરેશન હેઠળ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને POK માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા છે.
ભારતનાં  operationsindoor  અંગે શું કહે છે pak મીડિયા   જાણો
Advertisement
  1. ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતે 'OperationSindoor' શરૂ કર્યું
  2. ભારતીય વાયુસેનાનો પાકિસ્તાન અને POK માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો
  3. પાકિસ્તાની ન્યૂઝે ઓપરેશન સિંદૂરને ભારતની આક્રમક-ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી
  4. ભારતે બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં મધ્યરાત્રિએ હુમલા કર્યા : અહેમદ શરીફ ચૌધરી

OperationSindoor : જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને POK માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાની મીડિયા આના પર કેવી પ્રતિક્રિયા આપી રહ્યું છે ? જાણો....

ભારતે બહાવલપુર, કોટલી, મુઝફ્ફરાબાદમાં મધ્યરાત્રિએ હુમલા કર્યા : અહેમદ શરીફ ચૌધરી

પાકિસ્તાનના ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) નાં ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતે બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં મધ્યરાત્રિએ હુમલા કર્યા છે. DG ચૌધરીએ ARY ન્યૂઝને સવારે 1.06 વાગ્યે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા, ભારતે બહાવલપુરનાં અહમદ પૂર્વ વિસ્તારમાં ત્રણ સ્થળોએ હવાઈ હુમલા કર્યા હતા- સુભાનલ્લાહ મસ્જિદ, કોટલી અને મુઝફ્ફરાબાદ. તેમણે કહ્યું કે, આ હુમલો ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી કરવામાં આવ્યો હતો. હું કહેવા માંગુ છું કે પાકિસ્તાન આનો જવાબ પોતાની પસંદગીનાં સમયે અને સ્થળે આપશે. આ ઘૃણાસ્પદ ઉશ્કેરણીનો જવાબ આપવામાં આવશે.

Advertisement

પાકિસ્તાની ન્યૂઝે ઓપરેશન સિંદૂરને ભારતની આક્રમક-ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી

પાકિસ્તાની સમાચાર એજન્સી જીઓ ન્યૂઝે ઓપરેશન સિંદૂરને ભારત દ્વારા આક્રમક અને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી હતી. ચેનલે કહ્યું કે, ભારતે ત્રણ સ્થળોએ મિસાઇલ હુમલા કર્યા છે અને પાકિસ્તાન આનો યોગ્ય જવાબ આપશે. પાકિસ્તાની મીડિયા ભારતના આ હુમલાઓને પાકિસ્તાનની સાર્વભૌમત્વ પર હુમલો ગણાવી રહ્યું છે. પાકિસ્તાનના સરકારી પ્રસારણકર્તા PTV ન્યૂઝે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, પાકિસ્તાને લશ્કરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Advertisement

ISPR ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ હુમલાની પુષ્ટિ કરી

દરમિયાન, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ARY ન્યૂઝને જણાવ્યું હતું કે, રહેણાંક વિસ્તારો પર હુમલો કરવામાં આવ્યો હતો. ભારતે તેના હવાઈ ક્ષેત્રથી હુમલો કર્યો છે. તેઓએ તેમની સરહદથી હુમલો કર્યો. તેમને બહાર આવવા દો, અમે યોગ્ય જવાબ આપીશું. પાકિસ્તાનના ડેઇલી પાકિસ્તાને જણાવ્યું હતું કે, ભારતે બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. ISPR ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ હુમલાની પુષ્ટિ કરી છે. કેટલીક ચેનલોએ ભારતનાં હુમલાઓને મર્યાદિત દર્શાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ એમ પણ કહ્યું કે પાકિસ્તાન આકરો જવાબ આપશે.

ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી

તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા જ્યારે 17 ઘાયલ થયા હતા. આ હુમલો પહલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા. પહેલગામ હુમલા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ પહેલીવાર છે જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી.

Tags :
Advertisement

.

×