રક્ષાબંધનના દિવસે અકસ્માતની ઘટના સામે આવી છે ત્યારે પાટણના સમી-શંખેશ્વર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. કાર અને આઇસર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. મૃતક યુવાનો રાધનપુરના હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત રાતના સમયે સર્જાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કાર આઇસર પાછળ અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે કાર ધડાકાભેર અથડાતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.