અમદાવાદના ઝાયડસ હોસ્પિટલ નજીક AMC અને ઔડાની દબાણ હટાવ કામગીરી દરમિયાન હોબાળો મચી ગયો. મહાકાળી માતાનું મંદિર તોડવાની કામગીરી હાથ ધરાતા VHP અને મહાકાળી સેવા ટ્રસ્ટે વિરોધ નોંધાવ્યો.. પોલીસ અને VHP ના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મંદિરના મહારાજ રાજેન્દ્રગીરીનો દાવો છે કે તેમની પાસે મંદિરના કાયદેસરના દસ્તાવેજો છે. પરંતુ જમીન ખાલી કરાવવા માટે ગણેશ હાઉસિંગના બિલ્ડર દ્વારા આ બધુ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Mahisagar DPO નો Asaram પ્રત્યેનો પ્રેમ આવ્યો સામે