Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રખડતાં ઢોર મામલે AMCનો નિર્ણય, ઘાસચારો વેંચતા લારી દેખાશે તો કાર્યવાહી થશે

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેના પગલે આજે અમદાવાદ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઢોરના આતંક મામલે આખરે કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં હવે ઘાસચારો વેંચતા લારી દેખાશે તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે જે મામલે મ્યુ.કમિશનર દ્વારા સ્ટેસ્ટ વિભાગને આદેશ કરી દેવામાં આવ્યો છે.જાહેર રોડ પર ઘાસચારો વેંàª
રખડતાં ઢોર મામલે amcનો નિર્ણય  ઘાસચારો વેંચતા લારી દેખાશે તો કાર્યવાહી થશે
Advertisement
અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેના પગલે આજે અમદાવાદ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઢોરના આતંક મામલે આખરે કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં હવે ઘાસચારો વેંચતા લારી દેખાશે તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે જે મામલે મ્યુ.કમિશનર દ્વારા સ્ટેસ્ટ વિભાગને આદેશ કરી દેવામાં આવ્યો છે.
જાહેર રોડ પર ઘાસચારો વેંચતા ઢોર રોડ પર આવતા હોય છે, જેના કારણે અકસ્માત સર્જાય છે. જો આમ કરવામાં આવશે તો ઘાસ વિક્રેતાની લારી 1 મહિના સુધી મનપા દ્વારા છોડવામાં નહીં આવે. મહત્વનું છે કે, ચાલુ મહિને મનપા દ્વારા 1800 ઢોર પકડવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા મહાનગરપાલિકા દૂર કરી શકી નથી. ઢોર અંકુશ વિભાગ દ્વારા કરોડોનો ખર્ચ કરવા છતાં પરિણામ આવી શક્યું નથી. ત્યારે AMCની હેલ્થ કમિટીની બેઠકમાં રખડતા ઢોરનો મુદ્દો ઉઠ્યો હતો. હેલ્થ કમિટીના ડેપ્યુટી હેલ્થ ચેરમેને અધિકારીઓને ખખડાવ્યા હતા. હેલ્થ કમિટીના ચેરમેન ભરત પટેલે ઠપકો આપતા કહ્યું હતું કે, કમિટી આવે ત્યારે કામગીરી સારી કરવામાં આવે છે અને પછી કામગીરી દેખાતી નથી. જો કામગીરી યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી આપી હતી. આ સુચના મુજબ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે.
અમદાવાદમાં રખડતા ઢોરના આતંક મામલે આખરે કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં હવે ઘાસચારો વેંચતા લારી દેખાશે તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, જે મામલે મ્યુ.કમિશનર દ્વારા સ્ટેસ્ટ વિભાગને આદેશ કરી દેવામાં આવ્યો છે. 
Tags :
Advertisement

.

×