Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખૈબર પખ્તુનખ્વામાં બસ-કારની ટક્કર, 25ના મોત,

પાકિસ્તાન (Pakistan)ના ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa)ના અપર કોહિસ્તાન વિસ્તારમાં 40 થી વધુ મુસાફરોને લઈ જતી બસ એક કાર સાથે અથડાઈ હતી. ટક્કર બાદ બંને વાહનો પાણીમાં પડી ગયા હતા, જેમાં 25 લોકોના મોત થયા હતા. પાકિસ્તાની મીડિયા સામા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.દિયામેર જિલ્લામાં અકસ્માતગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના દિયામેર જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) શેર ખાને જણાવ્યું હતું કે તેમની ટીમે વાહનોમાંàª
ખૈબર પખ્તુનખ્વામાં બસ કારની ટક્કર  25ના મોત
Advertisement
પાકિસ્તાન (Pakistan)ના ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa)ના અપર કોહિસ્તાન વિસ્તારમાં 40 થી વધુ મુસાફરોને લઈ જતી બસ એક કાર સાથે અથડાઈ હતી. ટક્કર બાદ બંને વાહનો પાણીમાં પડી ગયા હતા, જેમાં 25 લોકોના મોત થયા હતા. પાકિસ્તાની મીડિયા સામા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
દિયામેર જિલ્લામાં અકસ્માત
ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના દિયામેર જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) શેર ખાને જણાવ્યું હતું કે તેમની ટીમે વાહનોમાંથી 25 મૃતદેહોને બહાર કાઢ્યા હતા, જ્યારે 15 ઘાયલોને ચિલાસની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. બસ કારાકોરમ હાઈવે પર ગિલગિટથી રાવલપિંડી જઈ રહી હતી. આ અકસ્માત દિયામેર નજીક સતીયલ ચેકપોસ્ટ પાસે થયો હતો. સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારીઓ દ્વારા બચાવ કાર્ય ચાલુ છે.
બિલાવલ ભુટ્ટો અને આસિફ ઝરદારીએ શોક વ્યક્ત કર્યો
અપર કોહિસ્તાન જિલ્લાના પોલીસ વડા તાહિર ઈકબાલે જણાવ્યું હતું કે કારમાં છ લોકો હતા, જેમાંથી પાંચના મોત થયા હતા. દરમિયાન, વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો-ઝરદારી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના નેતા આસિફ ઝરદારીએ આ દુ:ખદ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. સામાના જણાવ્યા અનુસાર મંત્રીએ ઘાયલોના જીવ બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવાની માંગ કરી છે.
આવી જ ઘટના ગયા મહિને પણ બની હતી.
તમને જણાવી દઈએ કે આવી જ એક ઘટના 29 જાન્યુઆરીએ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક પેસેન્જર વાહન ખાડીમાં પડી હતી અને 41 લોકોના મોત થયા હતા. આ ઘટના બલૂચિસ્તાનના લાસબેલા જિલ્લામાં બની હતી. લાસબેલાના આસિસ્ટન્ટ કમિશનર હમઝા અંજુમે ઘટનાની પુષ્ટિ કરી હતી. ડોનના અહેવાલ મુજબ અંજુમે જણાવ્યું કે 48 મુસાફરોને લઈને વાહન ક્વેટાથી કરાચી જઈ રહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વાહન લાસબેલા નજીક પુલના થાંભલા સાથે અથડાયું હતું અને બાદમાં ખીણમાં પડી ગયું હતું અને આગ લાગી હતી. હમઝા અંજુમે આશંકા વ્યક્ત કરી છે કે મૃતકોની સંખ્યા વધીને 48 થઈ શકે છે.
ડોને હમઝા અંજુમને ટાંકીને જણાવ્યું હતું કે લાસબેલા નજીક યુ-ટર્ન લેતી વખતે વધુ ઝડપને કારણે વાહન પુલના થાંભલા સાથે અથડાયું હતું. આ પછી તે ખાડામાં પડ્યું અને પછી આગ લાગી. હમઝા અંજુમના જણાવ્યા અનુસાર, અકસ્માત સ્થળેથી એક બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોને બચાવી લેવાયા છે. ઈજાગ્રસ્તો પૈકી એકનું હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત નીપજ્યું હતું. તેમણે કહ્યું કે દુર્ઘટનાગ્રસ્ત બસમાંથી મળી આવેલા મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. અંજુમે કહ્યું કે મૃતકની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×