Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંબાજી મંદિર ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી મંગળા આરતીમાં જોડાયા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji)ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે .અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તી
અંબાજી મંદિર ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી મંગળા આરતીમાં જોડાયા
Advertisement
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji)ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે .અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે.વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજે અંબાજી મંદિર ખાતે વહેલી સવારે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત આવી પહોંચ્યા હતા જેમનું ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગબ્બર પરિક્રમા મહોત્સવ 
અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત ખાતે હાલમાં રાજ્ય સરકાર દ્વારા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે હાલમાં વિવિધ નેતાઓ અને વીઆઈપી લોકો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજે પરિક્રમા મહોત્સવના પાંચમાં દિવસે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત વહેલી સવારે અંબાજી મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપના નેતાઓ અને કાર્યકર્તા જોડાયા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમને માતાજીના ગર્ભગૃહ માં મંગળા આરતીમાં ભાગ લીધો હતો.
કેન્દ્રીય મંત્રી મંગળા આરતીમાં જોડાયા 
અંબાજી મંદિર ખાતે હાલમાં દેશ વિદેશમાંથી ભક્તો અંબાજી ખાતે આવી રહ્યા છે ત્યારે ગબ્બર પરિક્રમા મહોત્સવને લઈને વિવિધ નેતાઓ પણ અંબાજી ખાતે પહોંચી રહ્યા છે જેમાં ખ્યાતનામ  કલાકારો પણ આવી રહ્યા છે ત્યારે આજે પરિક્રમા મહોત્સવના પાંચમા દિવસે કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ અંબાજી મંદિર આવ્યા હતા અને તેમને વહેલી સવારે મંગળા આરતીમાં ભાગ લીધો હતો ત્યારબાદ તેમને અંબાજી મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યુ હતું અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×