Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદના ઘી કાંટા ખાતે અનોખો Ganesh પંડાલ તૈયાર કરાયો

Ahmedabad : અમદાવાદ શહેર જ્યારે ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav) ની ભક્તિમય ઉજવણીમાં ડૂબેલું છે, ત્યારે શહેરના ઘી કાંટા વિસ્તારમાં એક એવા ગણેશ પંડાલ (Ganesh Pandal) ની સ્થાપના કરવામાં આવી છે, જેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
Advertisement
  • અમદાવાદના ઘી કાંટા ખાતે અનોખો Ganesh પંડાલ તૈયાર કરાયો
  • પ્લેન ક્રેશની ઘટના આધારિત થીમથી ગણેશ પંડાલ તૈયાર કરાયો
  • ફાયર, પોલીસ, ડોક્ટર અને 108ની મહેનત દર્શાવતી થીમ
  • આ થીમ બનાવવા માટે 2 મહિના જેટલો સમય લાગ્યો હતો
  • ગણેશ પંડાલના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
  • આવનાર સમય શહેર માટે શુભ રહે તે હેતુથી થીમ બનાવાઈ

Ahmedabad : અમદાવાદ શહેર જ્યારે ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav) ની ભક્તિમય ઉજવણીમાં ડૂબેલું છે, ત્યારે શહેરના ઘી કાંટા વિસ્તારમાં એક એવા ગણેશ પંડાલ (Ganesh Pandal) ની સ્થાપના કરવામાં આવી છે, જેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ પંડાલની થીમ અનોખી અને સામાજિક સંદેશ આપે તેવી છે. 12 જૂનના રોજ બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના પર આધારિત આ પંડાલ, તે સમયે બચાવ કામગીરી કરનાર ફાયર, પોલીસ, ડોક્ટર અને 108ની ટીમના અદમ્ય પ્રયાસોને શ્રદ્ધાંજલિ આપે છે.

માનવતા અને બહાદુરીનું પ્રતીક

આ ગણેશ પંડાલમાં ગણપતિની પ્રતિમાને એક ફાયર મેન તરીકે દર્શાવવામાં આવી છે, જે બચાવ કામગીરીમાં સક્રિય છે. આ દ્રશ્યમાં તેમની સાથે ડોક્ટરો, 108ની ટીમ અને પોલીસકર્મીઓ પણ જોવા મળે છે, જેઓ ઘટનાસ્થળે મદદ કરતા હોય તેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મીડિયાની ટીમને પણ દર્શાવવામાં આવી છે, જેઓ ઘટનાની માહિતી લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ પંડાલ માત્ર એક ધાર્મિક આયોજન નથી, પરંતુ માનવતા, બહાદુરી અને નિઃસ્વાર્થ સેવાના ગુણોને ઉજાગર કરતું એક જીવંત પ્રદર્શન છે.

Advertisement

આ પણ વાંચો :    Una : જુના સિક્કા અને ચલણી નોટોથી બનેલો 25 ફૂટનો હાર ગણપતિ બાપાને કરાશે અર્પણ
Advertisement
Tags :
Advertisement

.

×