Ahmedabad Airindia Plane Crash: અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન ક્રેશ અંગે અમેરિકી અખબારે નવો દાવો કર્યો
કેપ્ટન સુમિત સભરવાલે ફ્યુઅલ સ્વીચ બંધ કરીઃ WSJ 'કો-પાઈલટે ગભરાતા અવાજે પૂછ્યું- કેમ સ્વીચ બંધ કરી?' બે પાઈલટ વચ્ચેની છેલ્લી વાતચીત અંગે દાવાથી હડકંપ Ahmedabad Airindia Plane Crash: અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન ક્રેશ અંગે અમેરિકી અખબારે નવો દાવો કર્યો...
Advertisement
- કેપ્ટન સુમિત સભરવાલે ફ્યુઅલ સ્વીચ બંધ કરીઃ WSJ
- 'કો-પાઈલટે ગભરાતા અવાજે પૂછ્યું- કેમ સ્વીચ બંધ કરી?'
- બે પાઈલટ વચ્ચેની છેલ્લી વાતચીત અંગે દાવાથી હડકંપ
Ahmedabad Airindia Plane Crash: અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન ક્રેશ અંગે અમેરિકી અખબારે નવો દાવો કર્યો છે. બે પાઈલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકી અધિકારીઓન ટાંકીને કહ્યું કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો. કોકપીટ રેકોર્ડિંગના આધારે દાવો કરાયો છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, 'તમે ફ્યુઅલ સ્વીચને 'કટઓફ' કેમ કરી?'...પ્રશ્ન પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયો. તે ગભરાઈ ગયો હતો, જ્યારે કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા. જોકે આ રિપોર્ટ પર ભારતના એરક્રાફ્ટ એક્સીડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો, નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બોઈંગ અથવા એર ઇન્ડિયાની પ્રતિક્રિયા સામે આવી નથી.
Advertisement


