Ahmedabad Rath Yatra 2025 : ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા રંગે ચંગે સંપન્ન
ગતરોજ અમદાવાદમાં રથયાત્રા રંગે ચંગે સંપન્ન થઈ હતી. આખી રાત ભગવાનના રથ મંદિર પરિસરમાં રાખવામાં આવ્યા હતા. હવે આજે ભગવાન નિજ મંદિરમાં બિરાજમાન થશે.
Advertisement
Ahmedabad Rath Yatra 2025 : અમદાવાદમાં ગતરોજ 27 જૂન, 2025ના રોજ ભગવાન જગન્નાથજીની 148મી ઐતિહાસિક રથયાત્રા પરંપરાગત ઉત્સાહ અને ભક્તિના અનેરા રંગો સાથે યોજાઈ હતી. ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષથી અમદાવાદ શહેરની ગલીઓ ગુંજી ઉઠી હતી. જ્યાં ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની નગરચર્યાએ લાખો ભક્તોના હૃદયમાં આનંદનો સંચાર કર્યો હતો. જૂઓ અહેવાલ....
Advertisement


