Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઈમરજન્સી દરમિયાન ભારતના લોકતંત્રને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. પોતાના સંબોધનમાં તેમણે પૂર્વ વડાપ્રધાન  ઇન્દિરા ગાંધી દ્વારા લગાવવામાં ઈમરજન્સી વિશે વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઈમરજન્સી દરમિયાન ભારતના લોકતંત્રને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેશની અદાલતો, દરેક બંધારણીય સંસ્થા, પ્રેસ, બધું જ નિયંત્રિત હતું. સેન્સરશીપની એવી સ્થિતિ હતી કે મં
ઈમરજન્સી દરમિયાન ભારતના લોકતંત્રને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો  વડાપ્રધાન મોદી
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. પોતાના સંબોધનમાં તેમણે પૂર્વ વડાપ્રધાન  ઇન્દિરા ગાંધી દ્વારા લગાવવામાં ઈમરજન્સી વિશે વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઈમરજન્સી દરમિયાન ભારતના લોકતંત્રને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેશની અદાલતો, દરેક બંધારણીય સંસ્થા, પ્રેસ, બધું જ નિયંત્રિત હતું. સેન્સરશીપની એવી સ્થિતિ હતી કે મંજૂરી વિના કશું જ છાપી શકાતું નથી. આમ છતાં ભારતના લોકોએ લોકતાંત્રિક રીતે કટોકટી દૂર કરી અને ફરીથી લોકશાહીની સ્થાપના કરી. સરમુખત્યારશાહી માનસિકતા, સરમુખત્યારશાહી વૃત્તિને લોકતાંત્રિક રીતે હરાવવાનું આખી દુનિયામાં આવું ઉદાહરણ મળવું મુશ્કેલ છે.

વડાપ્રધાને કહ્યું કે, મને ઈમરજન્સી દરમિયાન લોકોના સંઘર્ષનો સાક્ષી બનવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આપણે કટોકટીના ભયાનક સમયને ભૂલવો ન જોઈએ. તેમણે કહ્યું કે લોકોના જીવનનો અધિકાર છીનવાઈ ગયો હતો. આમ છતાં લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ઓછો થયો નહતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે જ્યારે આપણો ભારત આટલા ક્ષેત્રોમાં સફળતાના આકાશને સ્પર્શી રહ્યો છે તો આકાશ કે અંતરિક્ષ તેનાથી અછૂત કેવી રીતે રહી શકે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશમાં અવકાશ ક્ષેત્રને લગતા ઘણા મોટા કામો થયા છે. દેશની આ સિદ્ધિઓમાંની એક ઇન-સ્પેસ નામની એજન્સીની સ્થાપના થઈ છે. તેમણે કહ્યું કે, થોડા વર્ષો પહેલા આપણા દેશમાં સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટ અપ વિશે કોઈએ વિચાર્યું પણ નહોતું. આજે તેમની સંખ્યા 100 થી વધુ છે. જો દેશના યુવાનો આકાશને સ્પર્શવા માટે તૈયાર હોય તો આપણો દેશ કેવી રીતે પાછળ રહી શકે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, આપણા દેશમાં વરસાદ સતત વરસી રહ્યો છે. ઘણા રાજ્યોમાં વરસાદ વધી રહ્યો છે. પાણી બચાવવાનો પણ આ સમય છે. સમાજ સદીઓથી આ જવાબદારી નિભાવી રહ્યો છે. જળ સંરક્ષણ એ જીવન સંરક્ષણ છે. આજકાલ અનેક નદી નજીક ઉત્સવો થવા લાગ્યા છે. તમારી પાસે અહીં પાણીના જે પણ સ્ત્રોત છે, ત્યાં ચોક્કસપણે કોઈ કાર્યક્રમનું આયોજન કરો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, મિતાલી રાજ પણ ભારતની સૌથી પ્રતિભાશાળી ક્રિકેટરોમાંથી એક છે. તેણે આ મહિને ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે અનેક રમતપ્રેમીઓને ભાવુક કરી દીધા હતા. “તે માત્ર એક અસાધારણ ખેલાડી નથી. તે ઘણા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ પણ રહી છે.
Advertisement
Tags :
Advertisement

.

×